SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથા ગણધર - વ્યક્ત ગણધરવાદ ૨૩૮ હોવાથી પહેલાં ઉત્પન્ન થયેલો જ બન્યો એટલે “જાત” જ થયો. પણ તે ઉભયાત્મક રહ્યો નહીં. તેથી નાત વાળા પ્રથમ પક્ષમાં કહેલો અનવસ્થા નામનો દોષ લાગે અને જો ‘‘નાતાનાત'' વાળો ઉભયાત્મક એવો આ ત્રીજો પક્ષ સંસારમાં પહેલેથી નથી એમ કહેશો તો તે પક્ષ વિદ્યમાન ન હોવાથી અજ્ઞાત જ થયો. પણ તે ઉભયાત્મક તો ન જ રહ્યો. તેથી અજ્ઞાત વાળા બીજા પક્ષમાં કહેલો અભાવાત્મક આકાશપુષ્પાદિ પણ ઉત્પન્ન થવાં જોઈએ તે દોષ લાગશે. હવે નાત-અજ્ઞાત અને ૩મય આ ત્રણે પક્ષમાં દોષો આવતા હોવાથી આ ત્રણને છોડીને ખાયમાન વસ્તુ ઉત્પન્ન થાય છે. આમ જો કહેશો તો, સારાંશ કે ઉત્પન્ન થયેલી વસ્તુ ઉત્પન્ન થાય છે એમ જો ખાતમુત્પદ્યતે કહીએ તો અનવસ્થા આવે છે. ન ઉત્પન્ન થયેલી વસ્તુ ઉત્પન્ન થાય છે. આમ જો અજ્ઞાતમુત્વદ્યતે કહીએ તો અભાવની ઉત્પત્તિ માનવી પડે છે અને ખાતાનાતમુત્વદ્યતે એટલે કે ઉભયાત્મક વસ્તુ ઉત્પન્ન થાય છે એમ જો કહીએ તો બન્ને દોષો સાથે આવે છે. તેથી આ ત્રણે પક્ષોને છોડીને નાયમાન = વર્તમાનકાલીન વસ્તુ એટલે કે ઉત્પન્ન થતી વસ્તુ ઉત્પન્ન થાય છે. આવો બચાવ જો કરશો તો પૂર્વે કહેલા બન્ને વિકલ્પો આડા આવશે. તે આ પ્રમાણે - તે જાયમાન = ઉત્પન્ન થતી વસ્તુ જગતમાં છે કે નથી ? જો નાયમાન વસ્તુ છે એમ કહેશો તો તે વસ્તુ વિદ્યમાન હોવાથી નાત = પૂર્વે ઉત્પન્ન થયેલી જ છે. તેથી જ્ઞાત પક્ષવાળો અનવસ્થા દોષ આવશે અને જો તે ખાયમાન વસ્તુ સંસારમાં પહેલેથી નથી એમ કહેશો. તો તે વસ્તુ અવિદ્યમાન હોવાથી અનુત્પન્ન = અજ્ઞાત જ થઈ. તેથી અભાવની ઉત્પત્તિવાળો બીજો દોષ આવશે. આ બન્ને પક્ષમાં જે એક-એક દોષ આવે છે તે અમે પૂર્વે કહ્યા જ છે. નાગાર્જુનના (બૌદ્ધદર્શનના) અનુયાયી લોકો ઉપર મુજબ દલીલો કરે અને પોતે કરેલી આ ચર્ચાની ઉપર મજબૂતાઈ જણાવવા અને સાચાપણાની મહોર મારવા માટે તેમના શાસ્ત્રપાઠની સાક્ષી આપતાં કહે છે કે - गतं न गम्यते तावदगतं नैव गम्यते । गतागतविनिर्मुक्तं गम्यमानं न गम्यते ॥ (નાગાર્જુનીય મધ્યકારિકાગ્રંથ શ્લોક-૧૫) શ્લોકાર્થ - જાણેલું જણાતું નથી. કારણ કે તે જાણી લીધું છે. નહીં જાણેલું પણ જણાતું નથી. કારણ કે નહીં જાણેલું અભાવાત્મક છે. તેથી ગત અને અગત આ બન્ને પક્ષોથી ભિન્ન એવું મ્યમાન બીલકુલ જણાતું નથી. કારણ કે શમ્યમાન એ ગત કે અાત થી ભિન્ન નથી. અને આ બન્ને પક્ષોમાં તો દોષો આવે જ છે. તે અમે પૂર્વે કહી ગયા છીએ.
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy