SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત ૨૩૭ આ ત્રણ પક્ષોમાંથી બોલો તમને કયો પક્ષ માન્ય છે ? પહેલા પક્ષમાં અનવસ્થા, બીજા પક્ષમાં અભાવ અને ત્રીજા પક્ષમાં અનવસ્થા અને અભાવ એમ ઉભય દોષો જ આવે છે. તેથી કોઈ પણ પદાર્થની ઉત્પત્તિ સંભવતી નથી. માટે શૂન્યતા માનવી એ જ માર્ગ કલ્યાણકારી છે. (૧) હવે જો પ્રથમ પક્ષ સ્વીકારો અને કહેશો કે જે વસ્તુ ખાત છે એટલે કે ઉત્પન્ન થયેલી છે તે ઉત્પન્ન થાય છે તો આ પક્ષ વ્યાજબી નથી. કારણ કે જે વસ્તુ ખાત છે ઉત્પન્ન થયેલી જ છે, તે વસ્તુ ખાતત્વાત્ વ = ઉત્પન્ન થયેલી હોવાથી જ ઉત્પન્ન થવાનું રહેતું જ નથી. ઉત્પન્ન થયેલા એવા ઘટને અર્થાત્ બની ચુકેલા એવા ઘટને હવે જેમ ઉત્પન્ન થવાનું હોતું નથી. તેમ જ્ઞાત ને એટલે કે ઉત્પન્ન ને ઉત્પન્ન થવાનું સંભવતું નથી અને છતાં જો ઉત્પન્નની પણ ઉત્પત્તિ થાય આમ માનશો તો તે સદાકાળ ઉત્પન્ન થયા જ કરશે. ખાતત્વ = ઉત્પન્ન થયેલાપણું સમાન હોવાથી ફરી ફરી ઉત્પન્ન થયા જ કરશે. ક્યારેય વિરામ આવશે જ નહીં. તેથી અનવસ્થા નામનો દોષ આવશે. (૨) હવે જો બીજો પક્ષ સ્વીકારશો અને કહેશો કે જે વસ્તુ અનાત = ઉત્પન્ન થયેલી નથી, અનુત્પન્ન છે તે ઉત્પન્ન થાય છે. તો આ પક્ષ પણ વ્યાજબી નથી. તેનો ઉત્તર એ છે કે ખવિષાણ-વન્ધ્યાપુત્ર, આકાશપુષ્પ જેવી જે જે વસ્તુઓનો આ સંસારમાં સર્વથા અભાવ છે, એટલે અજ્ઞાત છે, અનુત્પન્ન છે. ઉત્પન્ન થયેલી નથી તે તે વસ્તુઓ પણ ઉત્પન્ન થવા લાગશે. કારણ કે અજ્ઞાતત્વ = નહીં ઉત્પન્ન થવાપણું ખરવષાણાદિમાં પણ છે. અર્થાત્ ઘટ-પટ વગેરે પદાર્થો અજ્ઞાત = ઉત્પન્ન થયેલા નથી. માટે ઉત્પન્ન થાય છે. આમ જો કહેશો તો ખરવિષાણાદિ જે જે સર્વથા અભાવ સ્વરૂપ છે. તે પણ અજાત એટલે કે અનુત્પન્ન હોવાથી તે તે પદાર્થો પણ ઉત્પન્ન થવા જોઈએ. અજાતપણું તો તે ખરવિષાણાદિમાં પણ છે. માટે આ અજાતપક્ષ પણ ઉચિત નથી. (૩) હવે ખાતાનાતરૂપમુમયં = જાત અને અજાત એમ ઉભયવાળો જો ત્રીજો પક્ષ કહો એટલે કે ઘટ-પટ-ઘર વગેરે સંસારવર્તી તમામ વસ્તુઓ કથંચિદ્ ઉત્પન્ન અને કથંચિદ્ અનુત્પન્ન છે અને ઉત્પન્ન થાય છે. આવો જો ઉભયવાળો પક્ષ સ્વીકારશો તો તો બન્ને દોષો આવશે. કારણ કે ઉભયાત્મક એવા આ પક્ષમાં જાત માનો છો એટલે અનવસ્થાદોષ આવે અને અજાત માનો છો એટલે અભાવની પણ ઉત્પત્તિ થવાવાળો દોષ આવે. આમ પહેલા અને બીજા પક્ષમાં કહેલા બન્ને દોષો ત્રીજા પક્ષમાં સાથે લાગવાનો ભય રહે છે. વળી ‘નાતાનાત’’ વાળો ઉભયાત્મક એવો આ ત્રીજો પક્ષ સંસારમાં છે કે સંસારમાં નથી ? જો “છે” એમ કહેશો તો ‘‘નાતાનાત'' વાળો ત્રીજો પક્ષ વિદ્યમાન
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy