________________
૨૩૬ ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ કાં તો અનભિલાપ્ય છે. એટલે કે કોઈ શબ્દથી કહી ન શકાય તેવા પદાર્થ સ્વરૂપે છે, અવાચ્ય છે અથવા કંઈ છે જ નહીં. સર્વથા શૂન્યતા જ છે. ઘટ-પટ આદિ તે તે પદાર્થોનો સર્વથા અભાવ જ છે. માટે સર્વશૂન્યતા માનવી એ જ શ્રેયસ્કર છે.
વળી આ સંસારમાં જે વસ્તુ ઉત્પન્ન થતી નથી તે વસ્તુ ખરવિષાણની જેમ સર્વથા અસત્ જ છે. જેમ ખરવિષાણ-વસ્થાપુત્ર, આકાશપુષ્પ ઈત્યાદિ વસ્તુઓ ઉત્પન થતી જ નથી. તેથી તે વસ્તુઓ આ સંસારમાં અસત્ જ છે. તેવી જ રીતે ઘટ-પટ-મઠ આદિ સઘળી પણ વસ્તુઓની ઉત્પત્તિ યુક્તિથી સંભવતી જ નથી. માટે તે પણ સર્વે વસ્તુઓ નિર્વિવાદપણે અસત્ જ છે. લોકમાં ઘટ-પટ-ઘર આદિ ઉત્પન્ન થતી જે વસ્તુઓ દેખાય છે તે વસ્તુઓની ઉત્પત્તિ પણ (૧) ગાત, (૨) મનાત, (૩) ૩મય આદિ પક્ષો દ્વારા વિચારીએ તો સંભવતી જ નથી. જે વાત આગળ આવનારી ૧૬૯૪ મી ગાથામાં સમજાવાય છે. તેથી પણ “સર્વથા શૂન્યતા માનવી” એ જ શ્રેયસ્કર માર્ગ છે. ll૧૬૯૪.
जायाजायोभयओ, न जायमाणं च जायए जम्हा । अणवत्थाभावोभयदोसाओ सुण्णया तम्हा ॥१६९४॥ जाताजातोभयतो न जायमानं च जायते यस्मात् । अनवस्थाऽभावोभयदोषात् शून्यता तस्मात् ॥)
ગાથાર્થ - જાત, અજાત અને ઉભયથી ઉત્પન્ન થતી વસ્તુ જે કારણથી સંભવતી નથી. કારણ કે તેમ માનવામાં અનુક્રમે અનવસ્થા, અભાવ અને ઉભય દોષો આવે છે. તેથી સર્વશૂન્યતા જ યોગ્ય છે. /૧ ૬૯૪ll
વિવેચન – બૌદ્ધદર્શનના પેટા ફિરકા ચાર છે. ૧. સૌત્રાન્તિક, ૨. વૈભાષિક, ૩. યોગાચાર અને ૪. માધ્યમિક. તેમાં માધ્યમિક નામના ચોથા ફિરકાના અનુયાયી નાગાર્જુનાચાર્યાદિ તથા તેમના મહંતો આ સંસારમાં ઘટ-પટ-ઘર-જીવ-જડ વગેરે જે કોઈ પદાર્થો દેખાય છે તે કોઈ પદાર્થો છે જ નહીં. જે કંઈ દેખાય છે તે ભ્રમમાત્ર જ છે. ઝાંઝવાના જલસમાન છે. અર્થાત્ વસ્તુઓ નથી જ. પરંતુ ભ્રમમાત્રથી વસ્તુઓ જણાય છે. આવું માનનારા શૂન્યવાદી નાગાર્જુનાદિ બૌદ્ધાચાર્યોના પક્ષવર્તી અનુયાયી કોઈ વાદીઓ કહે છે કે -
કહો કે શું નાત (ઉત્પન્ન થયેલી) વસ્તુ ઉત્પન્ન થાય છે ? કે મનાત (ઉત્પન ન થયેલી) વસ્તુ ઉત્પન્ન થાય છે ? કે ૩મય (બન્ને ભાવવાળી) વસ્તુ ઉત્પન્ન થાય છે ?