________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
વિવેચન જન્મ-જરા અને મૃત્યુને જિતનારા સર્વજ્ઞ અને સર્વદર્શી એવા તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે હે વ્યક્ત ! તમે ભલે આવ્યા. એમ કહીને બોલાવ્યા. અને કહ્યું કે તમારા મનમાં પણ એક શંકા છે. આ પ્રમાણે વ્યક્ત પંડિત કંઈ પણ બોલે તે પહેલાં જ પરમાત્માએ કેવલજ્ઞાનથી જોઈને તેમના હૃદયના સંશયને કહેવાની શરૂઆત કરી. આ જોઈને વ્યક્તપંડિત મનમાં આશ્ચર્ય પામ્યા. કંઈક અહોભાવ તો પહેલેથી જ હતો પણ કંઈ પણ પૂછ્યા વિના હૃદયના સંશયને યથાસ્થિતપણે બોલતા જોઈને વ્યક્ત પંડિતને પરમાત્મા પ્રત્યે અહોભાવની વૃદ્ધિ થઈ. વિશાળ પર્ષદા જોવાથી અને અમૃતવાણી સાંભળવાથી પણ ઘણા અહોભાવની અને પૂજ્યભાવની વૃદ્ધિ થઈ. ૧૬૮૮॥
૨૨૮
–
किं मण्णे अत्थि भूया, उदाहु नत्थित्ति संसओ तुझ । वेयपयाण य अत्थं, न याणसि तेसिमो अत्थो ॥१६८९ ॥
( किं मन्यसे सन्ति भूतान्युताहो न सन्तीति संशयस्तव । वेदपदानां चार्थं, न जानासि तेषामयमर्थ: ॥ )
ગાથાર્થ - પૃથ્વી આદિ પાંચ ભૂતો છે કે નથી આવો સંશય હે વ્યક્તપંડિત ! તમને છે. પણ વેદપદોના અર્થને તમે જાણતા નથી. તે વેદપદોના અર્થ આ પ્રમાણે છે. ।।૧૬૮૯॥
વિવેચન - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ નામનાં પાંચ ભૂતો જગતમાં પ્રસિદ્ધ છે. પરંતુ તે પાંચ ભૂતો વાસ્તવિકપણે છે કે વાસ્તવિકપણે નથી ? આવો સંશય હે વ્યક્તપંડિત ! તમારા હૃદયમાં છે. આવા પ્રકારનો સંશય થવાનું કારણ પરસ્પર વિરુદ્ધ અર્થવાળાં વેદનાં પદોનું શ્રવણ છે. તે વેદનાં પદો આવા પ્રકારનાં છે.
**
‘‘સ્વપ્નોપમ હૈ સમિષ બ્રહ્મવિધિજ્ઞમા વિજ્ઞેયઃ ।'' તથા ‘ઘાવા-પૃથિવી ।’’ તથા ‘પૃથિવી દેવતા, આપો દેવતા ।'' નૃત્યાદ્રિ ।
ઉપરોક્ત વેદપાઠોના અર્થ તમારા મનમાં આ પ્રમાણે ચાલે છે. (૧) પહેલા પાઠનો અર્થ - આખુંય આ જગત સ્વપ્નની ઉપમાવાળું છે અર્થાત્ સ્વપ્નતુલ્ય છે. આ જ સાચો પરમાર્થ છે એમ ન્યાયથી જાણવું. વેદપદોનો આવો અર્થ કરવાથી પાંચ ભૂતો સંસારમાં નથી. જે કંઈ લોકો કહે છે અને પ્રત્યક્ષ દેખાય છે તે બધુંય સ્વપ્નની જેમ મિથ્યા છે. ઝાંઝવાના જળની તુલ્ય છે. વસ્તુ નથી પણ ભ્રમમાત્રથી વસ્તુનો આભાસ થાય છે. આવો અર્થ તમારા મનમાં સ્કુરાયમાન થવાથી “ભૂતો નથી” એવો બોધ તમારા મનમાં વર્તે
46
છે. (૨) પરંતુ ‘ઘાવા-પૃથિવી’’ ‘પૃથિવી વેવતા’’ ‘‘આપો તેવતા'' = સ્વર્ગ અને પૃથ્વી