________________
૧૮૮
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ
સાધ્યાભાવમાં પણ વર્તે છે. માટે અનૈકાન્તિક એટલે કે વ્યભિચારી છે.
દોષવાળું છે. કારણ કે તમારો કહેલો જે અનુભવત્વાત્ કે અમિતાષત્વાત્ આ હેતુ આ પ્રમાણે - જે કોઈ અભિલાષા થાય છે તે પૂર્વકાલીન અભિલાષાપૂર્વક જ થાય છે. એવો નિયમ નથી. પૂર્વકાલીન અભિલાષા વિના પણ નવી અભિલાષા થતી જગતમાં દેખાય છે. જેમકે જ્યારે આ જીવ સમ્યગ્દર્શનને પામે છે અથવા સમ્યગ્દર્શનને અભિમુખ થાય છે ત્યારે જે મોક્ષાભિલાષ પ્રગટે છે તે નવો જ અભિલાષ છે. તે મોક્ષાભિલાષ પૂર્વકાલીન મોક્ષાભિલાષપૂર્વક ઘટતો નથી. માટે સમ્યક્ત્વાભિમુખ જીવને જેમ નવો જ સૌથી પ્રથમ મોક્ષાભિલાષ પ્રગટ થાય છે તેમ બાલજીવમાં જન્મ પામતાં જ પૂર્વકાલીન અભિલાષ વિના સ્તનપાન કરવારૂપ નવો જ પ્રથમ આહારાભિલાષ થાય. આવું કેમ ન બને ?
ઉત્તર - તમે અમારા અભિપ્રાયને બરાબર સમજ્યા નથી. તેથી તમને આવો પ્રશ્ન થાય છે. પણ ખરેખર તમારો પ્રશ્ન અયોગ્ય છે. કારણ કે અમે વિશેષને સામાન્યપૂર્વક છે એમ સમજાવીએ છીએ એટલે કે વિશિષ્ટ એવો જે સ્તનપાનાભિલાષ છે તે સામાન્યથી અભિલાષપૂર્વક હોય છે, આ પ્રમાણે અમારું કહેવું છે. પણ વિશેષને વિશેષપૂર્વક અમે કહેતા નથી. એટલે કે જે પ્રથમ સ્તનપાનાભિલાષ થાય છે તે પૂર્વકાલીન સ્તનપાનાભિલાષપૂર્વક થાય છે એમ અમે કહેતા નથી. તેથી અમારી વાતમાં કોઈ દોષ આવતો નથી અને આવી સામાન્યપૂર્વક વિશેષની વાત તો મોક્ષાભિલાષમાં પણ ઘટે જ છે. કારણ કે સમ્યક્ત્વાભિમુખ બનેલા જીવને જે પ્રથમ મોક્ષાભિલાષ થાય છે તે પણ પૂર્વકાલીન અન્ય અભિલાષપૂર્વક જ હોય છે. આજ સુધી સંસારસુખાભિલાષ હતો તેને બદલે હવે મોક્ષસુખાભિલાષ થાય છે. પણ તે મોક્ષસુખાભિલાષ અંતે તો પૂર્વકાલીન (સંસારસુખના) પણ અભિલાષપૂર્વક જ છે. તેથી અનૈકાન્તિહેત્વાભાસ કે વ્યભિચાર દોષ આવતો નથી. જે વિશેષ હોય છે તે તે સામાન્યપૂર્વક જ હોય છે. આમ અમારું સમજાવવું છે. પણ જે જે વિશેષ હોય છે તે તે વિશેષપૂર્વક હોય છે, આમ અમારું કહેવું નથી. જે જે ચૈત્ર-મૈત્ર-દેવદત્તાદિ છે. તે તે અવશ્ય મનુષ્ય છે આમ વિશેષ હોય છે તે સામાન્યપૂર્વક હોય છે. આ વાત ધ્યાનપૂર્વક સમજવા જેવી છે. ૧૬૬૨
बालसरीरं देहंतरपुव्वं, इन्दियाइमत्ताओ ।
જીવવેદ્દો વાભાવિવ સ નસ વેહો, સ વૈહિત્તિ ૬૬રૂ
( बालशरीरं देहान्तरपूर्वमिन्द्रियादिमत्त्वात् ।
યુવવેદ્દો વાભાવિ, સ યસ્ય વેદઃ, F વેહ્રીતિ )