________________
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ
પ્રશ્ન - ‘‘અન્યવિજ્ઞાનપૂર્વમિમાં વાતવિજ્ઞાનમ્'' = આ બાલવિજ્ઞાન પૂર્વભવીય અન્ય વિજ્ઞાન (વાળા પદાર્થ) પૂર્વકનું છે. ન્યાયની પરિભાષા પ્રમાણે આ “પ્રતિજ્ઞા” કહેવાય છે અને વિજ્ઞાનત્વાત્ એ હેતુ કહેવાય છે. પ્રતિજ્ઞા કરાયેલા વાક્યમાં જે વાસ્તવિજ્ઞાનું પદ છે. તેમાંનો જ એક ભાગ (એક દેશ) વિજ્ઞાનં એવું જે પદ છે. તે જ ભાગ વિજ્ઞાનત્વાત્ કહીને હેતુરૂપે રજુ કરવામાં આવ્યો છે. હવે પ્રતિજ્ઞા કરાયેલો પદાર્થ હજુ સિદ્ધ થયેલ નથી. જો સિદ્ધ થયેલ હોત તો તેને સિદ્ધ કરવા માટે આ અનુમાન કરવું જ ન પડત. માટે સિદ્ધ નથી. પરંતુ અસિદ્ધ છે. તે પ્રતિજ્ઞાવાળા પદનો જ એક દેશભૂત આ હેતુ હોવાથી પ્રતિજ્ઞા અસિદ્ધ છે. માટે આ હેતુ પણ અસિદ્ધ હેત્વાભાસ થશે.
૧૮૬
ઉત્તર - તમારો આ પ્રશ્ન ઉચિત નથી. કારણ કે આ અનુમાનમાં હેતુ સામાન્યરૂપે છે અને પ્રતિજ્ઞા અર્થાત્ પક્ષ એ વિશેષરૂપે છે. સામાન્યથી વિજ્ઞાનમાત્ર એ હેતુ છે અને બાલ્યાવસ્થાથી વિશિષ્ટ એવું વિજ્ઞાન એ પક્ષ છે. પણ પ્રતિજ્ઞાત અર્થના એકદેશરૂપ આ હેતુ નથી. તેથી અસિદ્ધ હેત્વાભાસ થતો નથી અને વિશેષ પક્ષ કરાયે છતે સામાન્ય એ હેતુ બની શકે છે. સામાન્ય હેતુ હોઈ શકે છે. જેમકે -
वर्णात्मकशब्दः, अनित्यः शब्दत्वात्, मेघशब्दवत् आम्रवृक्षः, वनस्पतिः, वृक्षत्वात् निम्बवृक्षवत्, देवदत्तनरः, द्विपादवान्, नरत्वात्, चैत्रनरवत्
ઈત્યાદિ અનેક અનુમાનો એવાં થાય છે કે જેમાં વિશેષ પક્ષ બનાવ્યો હોય ત્યારે સામાન્ય એ હેતુ બની શકે છે. તેમ અહીં પણ વાતમાવસન્ધિ વિજ્ઞાન એ વિશેષરૂપે પક્ષ છે અને સામાન્ય વિજ્ઞાનમાત્ર એ હેતુ જાણવો. જો અમે સામાન્યથી વિજ્ઞાનમાત્રને અન્ય વિજ્ઞાનપૂર્વક છે, આવો પક્ષ કર્યો હોત તો પક્ષમાં રહેલ વિજ્ઞાનમાત્ર એ સિદ્ધ ન હોવાથી એને જ હેતુરૂપે રજુ કરતાં અસિદ્ધ નામનો હેત્વાભાસ થાત. જેમકે શ: અનિત્ય: શાત્ આ અનુમાનમાં જે પક્ષ છે તે જ (સિદ્ધ થયેલ ન હોવા છતાં પણ) હેતુસ્વરૂપે રજુ કરેલ છે તેને અસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. પરંતુ અમે તેવો પક્ષ કર્યો જ નથી કે જેથી અમને આવો દોષ લાગે. (આ ન્યાયશાસ્ત્રની પ્રક્રિયા છે.) ૧૬૬૧॥
पढमो थणाहिलासो, अण्णाहाराहिलासपुव्वोऽयं ।
जह संपयाहिलासो, अणुभूइयो सो य देह हिओ ॥१६६२॥
(प्रथमः स्तनाभिलाषोऽन्याहाराभिलाषपूर्वोऽयम् ।
यथा साम्प्रताभिलाषोऽनुभूतितः, स च देहाधिकः ॥ )