________________
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ
૧૭૩
મદ્યના અંગોમાં મદશક્તિ છે તેમ, આવા પ્રકારની શિષ્યની બુદ્ધિ કદાચ થાય તો આ હેતુ સિદ્ધ નથી પણ અસિદ્ધ છે. /૧૬પપો
વિવેચન - ધાવડીનાં પુષ્પાદિ અંગોનો જ સમુદાય કરીએ ત્યારે જ મદશક્તિ દેખાય છે. તેથી તેનાં વિવક્ષિત અંગો જે ધાવડીનાં પુષ્પાદિ છે. તે પ્રત્યેકમાં પણ આ મદશક્તિ આંશિક રૂપે છે. આવા પ્રકારની મદિરાના અંગોમાં જે મદશક્તિ ઉપરની ગાથામાં સિદ્ધ કરવામાં આવી તે બહુ સારું થયું. આમ વાયુભૂતિ કહે છે કારણ કે તે મારી વાતને સિદ્ધ કરનાર હોવાથી મારે તે કામનું છે. મારે ભૂતોમાં પ્રત્યેકમાં આંશિક ચેતનાશક્તિનું અસ્તિત્વ સિદ્ધ કરવું છે તેમાં આ અનુપમ ઉદાહરણ રૂપે બનશે. આ જ ઉદાહરણના સાધનથી હવે હું ભૂતોમાં પણ પ્રત્યેકમાં આંશિક ચેતના છે. તે સિદ્ધ કરી બતાવીશ. તે આ પ્રમાણે
વ્યસ્તેષ પિ મૂતેષુ ચૈતન્યસ્તિ-જાદા જાદા એક-એક ભૂતમાં પણ આંશિક ચૈતન્ય છે. આ પ્રતિજ્ઞા થઈ. તત્સમુદાયે તદર્શનાત્ તે ચારે ભૂતોના સમુદાયમાં ચેતના પરિપૂર્ણ દેખાય છે માટે, આ હેતુ છે. મદાફેષ મવત્ મદિરાના અવયવોમાં જેમ આંશિક મદશક્તિ છે. તેની જેમ આ ઉદાહરણ છે, યથા મ મ થમ્પિત્ની નીતિપૂર્ણ, તત્સકુવા त्वभिव्यक्तिमेति, तथा भूतेष्वपि पृथगवस्थायामणीयसी चेतना, तत्समुदाये तु भूयसीयमिति જેમ મદિરાના અંગોમાં પૃથપૃથર્ રહેલી મદશક્તિ અલ્પમાત્રામાં હોવાથી અતિશય સ્પષ્ટ નથી. પરંતુ તેના સમુદાયમાં તે મદશક્તિ પરિપૂર્ણપણે વ્યક્ત થાય છે, તેવી જ રીતે ચારે ભૂતોમાં પણ પૃથક પૃથક્ અવસ્થા હોય ત્યારે અલ્પમાત્રા વાળી ચેતના હોય છે. પરંતુ તેના સમુદાયમાં આ જ ચેતના ઘણી પ્રબળ હોય છે. કેવું સુંદર ઉદાહરણ બંધબેસતું આવી ગયું. મદ્યાંગમાં જો પ્રત્યેકમાં મદશક્તિ છે તો જ સમુદાયમાં દેખાય છે. તેમ ભૂતોમાં પણ એકેકમાં ચેતનાશક્તિ હોય તો જ ભૂતોના સમુદાયમાં ચેતનાશક્તિ ઘટી શકે અને સમુદાયમાં ચેતનાશક્તિ દેખાય છે.
ઉત્તર- તમે કરેલી આ સંગતિ બરાબર નથી કારણ કે ચેતનાથી મૂતસમુલાયે વર્ણનાત્ આવા પ્રકારનો તમારો જે હેતુ છે. તે હેતુ અસિદ્ધ છે અર્થાત્ પક્ષમાં આ હેતુ સંભવતો નથી કારણ કે ભૂતસમુદાયમાં ચેતના દેખાય છે. આ વાત ખોટી છે. જે ભૂતસમુદાયમાં તમને ચેતના દેખાય છે. તે ભૂતસમુદાયની અંદર રહેલા આત્માની ચેતના દેખાય છે. પણ ભૂતોની નહીં. કારણ કે ચેતના એ આત્માનો ધર્મ છે. ભૂતોનો ધર્મ નથી જ્યારે ભૂતોના સમુદાયાત્મક એવા તે શરીરમાંથી આત્મા મૃત્યુ પામે છે અને ચાલ્યો જાય છે. ત્યારે આત્માના અભાવમાં ભૂતોનો સમુદાય હોવા છતાં પણ તે ચેતનાની અસિદ્ધિ છે. તે ચેતના અલ્પમાત્રાએ પણ ત્યાં હોતી નથી અને જણાતી પણ નથી. તેથી ચેતના એ ભૂતોનો ધર્મ