________________
૧૭૨
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ
થાય છે આમ માનીને આ ઉદાહરણની જેમ જ ચાર ભૂતોમાં પણ ચેતનાશક્તિ નથી. પરંતુ સમુદાયમાં ચેતનાશક્તિ પ્રગટ થાય છે. આમ માનીએ તો શું દોષ આવે ? સારી રીતે આ વાત સંગત થાય છે. તેમાં કોઈ દોષ દેખાતો નથી. આવું માનતા વાયુભૂતિને તેનો ઉત્તર આ ગાથામાં શ્રી ભગવાન આપે છે કે -
જો મદ્યનાં અંગોમાં પ્રત્યેકમાં સર્વથા મદશક્તિનો અભાવ જ છે. આમ કહેવામાં આવે તો તે અંગોનો જ આ નિયમ કેમ ઘટે ? મંદિરા બનાવવા માટે ધાવડીનાં પુષ્પ, ગોળ અને પાણી જ લાવવાં જોઈએ. આ અંગોનો જ સમુદાય બનાવીએ તો જ મિંદરા બને, આવા પ્રકારનો મદ્યના અંગોનો નિયમ કેમ કરાય ? અથવા તે અંગોનો જ સમુદાય કેમ લેવાય ? ગમે તે પદાર્થોનો સમુદાય કરીએ તો પણ મદશક્તિ પ્રગટ થવી જ જોઈએ. મદ્ય બનાવવાનો અર્થી જીવ ધાવડીનાં પુષ્પાદિ અંગોને જ કેમ શોધે છે ? તેને શા માટે ભેગાં કરે છે ? તેનો જ સમુદાય શું કરવા બનાવે છે ? તે જ અવયવોનો સમુદાય બનાવવાનો નિયમ કેમ ? ધાવડીનાં પુષ્પ, ગોળ અને પાણીને છોડીને અન્ય એવાં ભસ્મ (રખ્યા) અશ્મન્ (પત્થર) અને ગોમય (છાણ) વગેરે ગમે તે પદાર્થોનો સમુદાય બનાવીને મદિરા કેમ બનાવાતી નથી ? ભસ્માદિ ગમે તે અન્ય પદાર્થોના સમુદાયમાં પણ મદશક્તિ પ્રગટ થવી જોઈએ પણ આમ બનતું નથી. મદ્યના અંગોનો નિયમ છે તેથી તે અંગોમાં જ મદની આંશિક શક્તિ છે. અને સમુદાયમાં તે પૂર્ણ મદશક્તિ બને છે. ચાર ભૂતોમાં તેમ નથી. કારણ કે એક-એક અંગમાં (ભૂતમાં) ચેતના શક્તિ અંશરૂપે પણ નથી. તેથી સમુદાયમાં ભૂતોથી ચેતના આવતી નથી. પરંતુ તેનાથી અતિરિક્ત એવા જીવદ્રવ્યથી જ ચેતના આવે છે. ૧૬૫૪॥
ધાવડીનાં પુષ્પાદિ મદ્યના એક-એક જે અંગ છે. તેમાં આંશિક મદશક્તિ છે. એવું ઉપરની ૧૬૫૪મી ગાથામાં સિદ્ધ કરવામાં આવ્યું. તે સાંભળીને કોઇક શિષ્ય કદાચ આવો ઉલટ પ્રશ્ન કરે કે
भूयाणं पत्तेयं पि, चेयणा समुदए दरिसणाओ ।
जह मज्जुंगेसु मओ, मइत्ति हेऊ न सिद्धोऽयं ।। १६५५ ।।
( ભૂતાનાં પ્રત્યે માપ, ચેતના સમુલ્યે વર્શનાત્ ।
यथा मद्याङ्गेषु मदो मतिरिति हेतुर्न सिद्धोऽयम् ।। )
ગાથાર્થ - ભૂતોમાં પણ પ્રત્યેકમાં ચેતના હો, સમુદાયમાં દેખાય છે માટે, જેમ