________________
૧૭૦
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ
છે જ. જો પ્રત્યેક અવયવમાં સર્વથા મદશક્તિ ન જ હોય તો તે જ અવયવો ભેગા કરવાથી મદશક્તિ કેમ પ્રગટ થાય ? ગમે તે પદાર્થોનો સમુદાય કરીએ તો પણ મદશક્તિ પ્રગટ થવી જોઈએ. ધાવડીનાં જ પુષ્પો લેવાય છે. ગોળ જ લેવાય છે તેનો અર્થ જ એ છે કે તે તે પદાર્થમાં આંશિક મદશક્તિ છે જ, કે જે સમુદાય મળવાથી સંપૂર્ણ બને છે. માટે મદ્યાંગમાં પણ પ્રત્યેકમાં મદશક્તિ આંશિકપણે છે જ, તો જ સમુદાયમાં તે મદશક્તિ થાય છે. જ્યારે આ ચાર ભૂતોમાં તો આંશિક ચેતના પણ નથી કે જેથી સમુદાયમાં તે ચેતના પૂર્ણપણે પ્રગટ થાય. તેથી અમારો આ હેતુ ‘પ્રત્યેાવસ્થાયામનુપત્નમ્બ્રાત્' અનૈકાન્તિક હેત્વાભાસ નથી પણ સંપૂર્ણપણે શુદ્ધ હેતુ છે. ૧૬૫૨॥
અવતરણ મદિરાના અંગોની જેમ ચારે ભૂતોમાં પણ આંશિક ચેતના છે એમ કહો તો તે બરાબર નથી - આ વાત સમજાવે છે.
-
મિ-ળિ-વિતારૂં, પત્તેયં પિ હૈં નહા મયંગેસુ ।
तह जइ भूएसु भवे, चेया तो समुदये होज्जा ॥१६५३॥
( શ્રમિ-શ્રાળિ-વિતૃાતાદ્ય:, પ્રત્યેમપિ જીતુ યથા મદ્યાÌપુ । तथा यदि भूतेषु भवेच्चेतना, ततः समुदाये भवेत् ॥ )
ગાથાર્થ - જેમ મિદરાના છુટા-છુટા પ્રત્યેક અવયવોમાં અનુક્રમે ભ્રમણ-ધ્રાણતા અને વિતૃષ્ણતા વગેરે શક્તિઓ છે તો જ સમુદાયમાં મદશક્તિ ઉત્પન્ન થાય છે. તેવી રીતે ભૂતોમાં પણ જો પ્રત્યેકમાં આંશિક ચેતના હોત તો સમુદાયમાં પરિપૂર્ણ ચેતના ઘટે. ||૧૬૫૩
વિવેચન - ધાવડીનાં પુષ્પ, ગોળ અને પાણી વગેરે જે જે મદિરાનાં અંગો એટલે કે મદ્યાંગો લોકમાં પ્રસિદ્ધ છે તે પ્રત્યેક અંગમાં અનુક્રમે મદોત્પાદક એવી ભ્રમિ-ધ્રાણિ અને વિતૃષ્ણતા નામની આંશિક શક્તિઓ અવશ્ય છે જ. તેથી મદિરા બનાવવામાં તે તે અંગો જ લેવામાં આવે છે. જો તે તે અંગોમાં ભ્રમિ આદિ મદશક્તિ ન હોત તો તે જ અંગોનો સમુદાય બનાવવાનો નિયમ ન હોત, રેતી પત્થર જેવા ગમે તે અંગોનો સમુદાય કરવામાં આવે તેમાં પણ મદશક્તિ ઉત્પન્ન થવી જોઈએ. પણ ગમે તે અવયવોના સમુદાયમાં મદશક્તિ થતી નથી. પણ ધાવડીનાં પુષ્પાદિ જ અંગો લેવાય છે. તેથી તે ધાવડીનાં પુષ્પાદિ પ્રત્યેક અવયવમાં પણ અવશ્ય યત્કિંચિત્ માત્રાએ મદશક્તિ છે જ.
ભ્રમિ
એટલે ચિત્તને ભ્રમિત કરવાની શક્તિવિશેષ.
=