________________
૧૫૯
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ જ પ્રાપ્ત થયા હોય છે. તો પણ “હે પ્રભુ” આ બધી તમારી કૃપા છે આમ કહેવામાં આવે છે. આ રીતે પરમાત્માની સ્તુતિ અને પોતાના મદનો ત્યાગ તેમાં સમાયેલો હોય છે. તે જ રીતે કેટલાંક વેદના પદો વિધિવાદને સમજાવનારાં હોય છે. કેટલાંક વેદનાં પદો અર્થવાદને સમજાવનારાં હોય છે અને કેટલાંક વેદનાં પદો માત્ર અનુવાદને સમજાવનારાં હોય છે.
મનિદોર્યં કુર્યાત્ સ્વામ:” આ જે વાક્યો છે તે વિધિવાદને સમજાવનારા છે. એટલે કે અગ્નિહોત્રાદિ યજ્ઞો જીવનમાં કરવા જોઈએ. એમ ધર્મનાં કાર્યો કરવા જેવાં છે. આવું કર્તવ્ય તરીકેનું વિધાન કરનારાં આ પદો છે.
અર્થવાદને સમજાવનારાં પદો બે જાતનાં હોય છે. એક સ્તુતિ સ્વરૂપ અર્થને કહેનારાં અને બીજા નિન્દાત્મક અર્થને કહેનારાં. ત્યાં “પુરુષ પવે સર્વ” ઈત્યાદિ જે વેદનાં પદો છે તે પુરુષની એટલે કે આત્માની સ્તુતિ કરનારાં પદો છે. આ જે કંઈ છે તે સર્વ આત્માનું જ બળ છે. આત્માનું જ પુણ્યકામ કરે છે. ઈશ્વરનો જ પ્રતાપ છે ઈત્યાદિ ભક્તિસ્વરૂપે સ્તુતિસૂચક અર્થવાચી પદો છે તથા તે જ વેદપદોમાં જે આવા પ્રકારનાં પદો છે કે -
“स सर्वविद् यस्यैषा महिमा भुवि दिव्ये ब्रह्मपुरे ह्येष व्योम्नि आत्मा सुप्रतिष्ठितस्तमक्षरं वेदयते यस्तु स सर्वज्ञः सर्ववित् सर्वमेवाविवेश" इति तथा एकया पूर्णयाहूत्या सर्वान्
માનવાખોતિ રૂત્યાવિશ સર્વોપ સ્તુત્યર્થવાદ = તે ઈશ્વર જ સર્વને જાણનાર છે. જેનો આ મહિમા પૃથ્વી ઉપર, દેવલોકમાં બ્રહ્મપુરમાં પણ પ્રવર્તે છે. આ આત્મા સર્વ આકાશમાં રહેલો છે. અવિનાશી એવા આત્માને જે જાણે છે તે સર્વજ્ઞ-સર્વવિત્ર છે અને તે સર્વત્ર પ્રવેશેલા છે. આ વાક્ય પરમાત્માની સ્તુતિને કરનારાં છે. તથા સંપૂર્ણ એવી એક આહૂતિ જો આપવામાં આવે તો તે સર્વ ઈચ્છાઓને પ્રાપ્ત કરે છે. આ વાક્ય પણ પરમાત્માની (ઈશ્વરની) સ્તુતિમાત્ર કરનારાં છે, ભક્તિવચનો છે, ઈશ્વરની પ્રશંસાસૂચક વચનો છે.
પ્રશ્ન - ય પૂUદૂત્ય = જે ઉપર કહેલાં બે પ્રકારનાં વેદનાં પદો છે. તેમાં પ્રથમનાં ત્રણ-ચાર લાઈનનાં પદો તે ઈશ્વરની પ્રશંસા સૂચક છે પરંતુ જે છેલ્લું પયા વગેરે પદોવાળું વાક્ય છે કે જેનો અર્થ “એક પરિપૂર્ણ આહૂતિ વડે આ સર્વ ઈચ્છાઓને પ્રાપ્ત કરે છે” આ વાક્ય સ્તુતિ અર્થવાળાને બદલે વિધિઅર્થવાળું છે આમ કેમ ન કહેવાય? કારણ કે જો પરિપૂર્ણ એવી એક આહૂતિ આપીએ તો બધી જ ઈચ્છાઓ ફલીભૂત થાય છે. માટે આ કાર્ય કરવા જેવું છે. આવો પણ અર્થ થાય છે તેથી વિધિવાક્ય પણ બને જ ને ?