________________
૧૫૮
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
ફેશાન = સ્વામી છે. અર્થાત્ આ જે પુરુષ છે તે મુક્તિનો સ્વામી છે.
નૈનાતિરોતિ = જે પુરુષ એટલે આત્મા અન્નગ્રહણ વડે વૃદ્ધિ પામે છે.
નતિ = જે ચાલે છે, ગમનાગમન કરે છે તે પુરુષ જ છે. વદ્ નૈનતિ = જે ચાલતો નથી, પર્વતાદિ, તે પણ પુરુષ = આત્મા જ છે. યદ્ દૂર = જે દૂર દૂર છે. જેમકે મેરુ પર્વત વગેરે, તે પણ પુરુષ જ છે. યદું મન્તિ = જે અતિશય સમીપ છે તે શરીરાદિ પણ પુરુષ જ છે. યન્ત: = જે ચેતન અને અચેતન એમ સર્વની અંદર છે તે પણ પુરુષ જ છે.
યદેવ સર્વચાણસ્ય વીદ્યતઃ = ચેતન-અચેતન. એમ સર્વે પણ પદાર્થોની બહાર જે છે તે પણ પુરુષ જ છે.
તત્સર્વ પુરુષ પ્રતિ = તે સર્વ પુરુષ જ છે. આત્મા જ છે. આ પાઠોના ઉપરોક્ત અર્થો તમારા મનમાં રમે છે. તે કારણથી પુરુષથી (આત્માથી) વ્યતિરિક્ત એવું કર્મતત્ત્વ નથી જ. આમ જ તમારા મનમાં સ્થિર થયું છે તેથી કર્મના અસ્તિત્વની શ્રદ્ધા અતિશય દુષ્કર છે.
તથા “વિજ્ઞાનધન પર્વતૈો ભૂખ્યઃ સમુન્જાય” ઈત્યાદિ વેદપદોનો અર્થ પણ છે અગ્નિભૂતિ ! તમે જીવમાત્ર જ છે. પરંતુ કર્મ નથી. એમ કર્મના અભાવને જ સૂચવનાર તમે માનો છો. “વિજ્ઞાનન' શબ્દની પાસેનો જે વાર છે તે વિજ્ઞાનના સમૂહાત્મક એવો આત્મા જ છે. પણ કર્મ નથી. એમ કર્માદિ તત્ત્વના નિષેધ માટે જ આ એવકાર છે. ઉપર કહેલા બન્ને પાઠોનો અર્થ તમે “કર્મના અસ્તિત્વનો નિષેધ કરવામાં જ” કરો છો. પરંતુ તે પદોના સાચા અર્થ હે અગ્નિભૂતિ ! તમે જાણતા નથી.
ઉપરોક્ત બન્ને પ્રકારના વેદપદોના પાઠોના જે અર્થ તમારા ચિત્તમાં વર્તે છે તે અર્થ બરાબર નથી. તે વેદપદોના સાચા અર્થ આ પ્રમાણે છે -
“પુરુષ વેન્દ્ર સર્વ” ઈત્યાદિ જે વેદપાઠ છે. તે પુરુષની (આત્માની) સ્તુતિસૂચક પદો છે. જાતિ આદિથી થતા આઠ પ્રકારના મદના (અભિમાનના) ત્યાગ માટે અને “અદ્વૈત” ની ભાવનાને સમજાવવા માટે તે પદો છે. પરંતુ કર્મના અસ્તિત્વનો નિષેધ કરવા માટે નથી. આપણને પ્રાપ્ત થયેલું સાંસારિક સુખ વાસ્તવિકપણે તો આપણા પુણ્યથી જ પ્રાપ્ત થયેલું હોય છે અને ધાર્મિક સંસ્કારો અને સગુણો મોહનીય આદિ કર્મોના ક્ષયોપશમથી