SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫) ગણધરવાદ બીજા ગણધર - અગ્નિભૂતિ બનાવવાનું પ્રયોજન શું? વળી કેવું બનાવવું એનું નિયંત્રક કોણ ? વળી ઉપકરણનો પણ અભાવ તથા શુદ્ધ જીવો પણ જો ગર્ભવાસમાં જાય તો મોક્ષના જીવો પણ ગર્ભવાસમાં જાય, ઈત્યાદિ અનેક દોષ આવે. તેથી શુદ્ધ જીવ કર્તા નથી. આ અનુમાન પ્રયોગમાં ૩૫RUTTમાવત્'' આ હેતુ સમજાવ્યો. હવે આ જ અનુમાનપ્રયોગ બીજા હેતુઓ મુકીને બીજી રીતે પણ સમજાવાય છે. શુદ્ધ એવો આ જીવ અથવા ઈશ્વરાદિ ભોગ્ય એવા સ્થૂલ શરીરાદિની રચના કરતા નથી. આ ઉપરોક્ત પ્રતિજ્ઞામાં જ (૧) ઉપરVTમાવત્ ઉપરાંત (૨) નિશૈષ્ણવી, (૩) अमूर्तत्वात्, (४) अशरीरत्वात्, (५) निष्क्रियत्वात्, (६) सर्वगतत्वात्, (७) एकत्वात् ઈત્યાદિ હેતુઓ પણ સમજવા અને કાશવત્ તથા પરમાણુવત્ આ ઉદાહરણો સમજવાં. ભાવાર્થ આ પ્રમાણે છે - (૧) કર્મ વિનાનો શુદ્ધ જીવ અથવા ઈશ્વરાદિ આ ભોગ્ય એવા ઔદારિક શરીરના કર્તા નથી. ઉપકરણ વિનાના હોવાથી, દંડ-ચક્રાદિ સામગ્રી વિનાના કુંભારની જેમ તે સ્થૂલશરીરના કર્તા નથી. (૨) કર્મ વિનાનો શુદ્ધ જીવ અથવા ઈશ્વરાદિ ભોગ્યશરીરવાળા ન હોવાથી ચેષ્ટા વિનાના છે. તેથી ચેષ્ટા વિનાના એવા તે આકાશની જેમ સ્કૂલશરીરના કર્તા નથી. | (૩) કર્મ વિનાનો શુદ્ધ જીવ અથવા ઈશ્વરાદિ અમૂર્ત હોવાથી આકાશની જેમ ભૂલશરીરના કર્તા નથી. (૪) કર્મ વિનાનો શુદ્ધ જીવ અથવા ઈશ્વરાદિ અશરીરી હોવાથી આકાશની જેમ સ્કૂલશરીરના કર્તા નથી. (૫) કર્મ વિનાનો શુદ્ધ જીવ અથવા ઈશ્વરાદિ અક્રિય હોવાથી (શારીરિક ક્રિયા વિનાના) હોવાથી સ્થૂલશરીરના કર્તા નથી. (૬) કર્મ વિનાનો શુદ્ધ જીવ અથવા ઈશ્વરાદિ સર્વવ્યાપી હોવાથી આકાશની જેમ સ્કૂલશરીરના કર્તા નથી. (૭) કર્મ વિનાનો શુદ્ધ જીવ અથવા ઈશ્વરાદિ એકલા હોવાથી (સહાયક કાર્મણશરીર ન હોવાથી) પરમાણુની જેમ સ્કૂલશરીરના કર્તા નથી. પ્રશ્ન - અહીં કદાચ એવો પ્રશ્ન કરવામાં આવે કે ઈશ્વર અશરીરી નથી. પરંતુ, પોતાની જાતે બનાવેલું સૂક્ષ્મ-અદેશ્ય શરીર ઈશ્વરને છે. એટલે કે ઈશ્વર શરીરવાળા છે.
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy