SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ બીજા ગણધર - અગ્નિભૂતિ ગણધરવાદ (૩) * મૂર્તિ, વાટોન વનાથાના, સ્નેહાર્નિવનાથાનધરવત, કર્મ એ મૂર્તદ્રવ્ય છે. કારણ કે બાહ્ય એટલે ઈન્દ્રિયગોચર એવા સ્ત્ર (પુષ્પમાલા), ચંદન અને અંગના (સ્ત્રી) આદિ પદાર્થો દ્વારા બલોપચય કરાતો હોવાથી. જેમ તૈલાદિ સ્નિગ્ધ પદાર્થો વડે ઘટ મજબૂત કરાય છે. (એટલે બળવૃદ્ધિવાળો કરાય છે) તેમ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય આદિમાં નિમિત્તભૂત થનારા એવા બાહ્ય પદાર્થો વડે કર્મ બળવાન બને છે. માટે કર્મ એ મૂર્તિ છે. અહીં આત્મા અને આત્માના જ્ઞાનાદિ જે ધર્મો છે તે બન્ને ભાવો આહારપાણી-અનુકુલ હવા-ઔષધ આદિ મૂર્તદ્રવ્યો વડે બલોપચય પામે છે. છતાં તે મૂર્ત નથી. તેથી તેમાં વ્યભિચાર દોષ આવે છે. તે દોષ રોકવા માટે હેતુમાં “સાત્મનો નાકીના તથHળ વ્યતિરિક્ત સતિ” આવું વિશેષણ ઉમેરવું. (૪) “ મૂર્તિ, માત્માવિવ્યતિરિવૉલ્વે સત પરિમિત્વાન્ ક્ષીરમવ" કર્મ એ મૂર્ત પદાર્થ છે. પરિણામી દ્રવ્ય હોવાથી, દૂધની જેમ. જેમ દૂધદ્રવ્ય દહીંરૂપે, ખીરરૂપે, દૂધપાકરૂપે પરિણામ પામે છે માટે મૂર્તિ છે. તેવી જ રીતે કાર્મણવર્ગણા કર્મરૂપે, અને કર્મ પુનઃ કાર્યણાવર્ગણા રૂપે પરિણામ (રૂપાન્તર) પામે છે તથા શુભકર્મ અશુભકર્મરૂપે અને અશુભકર્મ શુભકર્મરૂપે પરિણામ પામે છે. માટે મૂર્તિ છે. અહીં પણ આત્માદિ કેટલાંક દ્રવ્યો અમૂર્તિ છે છતાં પરિણામી છે. તેથી ત્યાં વ્યભિચારદોષ આવે છે. તે વારવા માટે “માત્માદ્રિવ્યતિરિક્તત્વે સતિ” આવું વિશેષણ આપેલ છે. કર્મ એ મૂર્તિ (રૂપી) પદાર્થ છે. વર્ણાદિ ગુણોવાળો પદાર્થ છે. આ રીતે કર્મ એ પુદ્ગલદ્રવ્ય છે. એમ સિદ્ધ થયું પણ નૈયાયિક આદિ માને છે તેવા ધર્મ-અધર્મ નામના આત્માના ગુણ સ્વરૂપ નથી. આ સમજાવવા માટે જ આ ચાર હેતુ અને આ ચાર ઉદાહરણો આપીને ચાર અનુમાનો જણાવ્યાં છે. ll૧૬૨૬-૧૬૨૭ अह मयमसिद्धमेयं, परिणामाउत्ति सो वि कज्जाओ । सिद्धो परिणामो से, दहिपरिणामादिव पयस्स ॥१६२८॥ (अथ मतमसिद्धमेतत्, परिणामादिति सोऽपि कार्यात् । સિદ્ધઃ પરિણામસ્તસ્થ, પરિણામવિવ પથ: ) ગાથાર્થ - “પરિપામત” આ હેતુ અસિદ્ધ છે. આવી બુદ્ધિ કદાચ તમારી થાય, તો તે બરાબર નથી. કારણ કે કાર્ય પરિણામી હોવાથી તેના કારણભૂત કર્મને પણ પરિણામ છે. જેમ દહીં પરિણામી હોવાથી દુધને પરિણામ છે તેમ. /૧૬ ૨૮
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy