________________
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૨૯ ગાથાર્થ - જેના સંબંધમાં આહારની જેમ સુખનું સંવેદન થતું હોય, અગ્નિની જેમ વેદનાની ઉત્પત્તિ થતી હોય, તૈલાદિ પદાર્થો વડે કરાયેલા બલોધાનવાળા ઘટની જેમ અને દૂધની જેમ પરિણામિપણું હોવાથી કર્મ એ મૂર્તિ છે. આ ચારે કર્મના મૂર્તત્વને સાધનારાં ઉદાહરણો જાણવાં. /૧૬૨૬-૧૬૨૭ll
| વિવેચન - “કર્મ એ ચક્ષુગોચર ભલે ન હોય તો પણ વર્ણાદિ ગુણોવાળું હોવાથી પુદ્ગલ છે અને મૂર્ત છે. આ વાત સમજાવવા માટે આ બે ગાથામાં નવા ચાર હેતુઓ તથા નવાં ચાર ઉદાહરણો કહે છે. ૧૯૨૬ મી ગાથામાં ચાર હેતુઓ છે અને ૧૯૨૭ મી ગાથામાં તેનાં જ અનુક્રમે ચાર ઉદાહરણો છે. પક્ષ અને સાધ્યને જણાવનારી પ્રતિજ્ઞા સર્વત્ર “પૂર્વ ” આ એક જ સમજવી. અનુમાનની નીતિ-રીતિ મુજબ તેની સ્પષ્ટતા આ પ્રમાણે -
(૧) માં મૂર્તિ, તત્સમ્બન્ધ સુવાર્તિવઃ , માદારવતું, કર્મ એ પક્ષ, મૂર્તિ એ સાથે, તેના સંબંધમાં સુખાદિનું સંવેદન એ હેતુ, અને આહાર એ ઉદાહરણ જાણવું. કર્મ એ અવશ્ય મૂર્તિપદાર્થ જ છે. અર્થાત્ પુદ્ગલદ્રવ્ય જ છે. (નૈયાયિક-વૈશેષિકો કર્મને ધર્મઅધર્મ કહીને આત્માના ગુણરૂપ માને છે. તેના ખંડન માટે આ બધાં અનુમાનો છે.) કારણ કે કર્મના સંબંધમાં જીવને સુખાદિનું સંવેદન (સુખ અને દુઃખનો અનુભવ) થાય છે જેના જેના સંબંધમાં સુખ-દુઃખાદિનું સંવેદન થતું હોય છે. તે અવશ્ય મૂર્તિ જ હોય છે. જેમકે આહાર-પાણી-ઔષધ આદિ. આ અન્વયવ્યાપ્તિ અને અન્વયઉદાહરણ છે કે જે મૂર્ત નથી હોતું (અર્થાત્ અમૂર્ત હોય છે, તેના સંબંધમાં સુખ-દુઃખાદિનું સંવેદન થતું નથી. જેમકે આકાશાદિ. અમૂર્ત દ્રવ્યોનો સંબંધ આત્માને છે પણ તેનાથી સુખાદિનું સંવેદન થતું નથી. આ વ્યતિરેકવ્યાપ્તિ તથા વ્યતિરેક ઉદાહરણ છે. કર્મના સંબંધથી જીવને સુખાદિનું સંવેદન થાય છે. (આ ઉપનય છે) તેથી કર્મ એ અવશ્ય મૂર્તિ જ છે. (આ નિગમન છે) સારાંશ કે આહાર-પાણી-ઔષધ-વસ્ત્ર-અલંકાર અને પરિવારાદિ પદાર્થોના સંબંધમાં જીવને સુખદુઃખનો અનુભવ થાય છે અને તે પદાર્થો મૂર્તિ છે. તેવી જ રીતે કર્મના સંબંધમાં પણ જીવને સુખ-દુઃખાદિનો અનુભવ થાય છે. માટે કર્મ એ મૂર્તિપદાર્થ છે.
(૨) શ મૂર્તિ, વેનોમવા, મનવતું, જેના જેના સંબંધમાં વેદનાની (પીડાની) ઉત્પત્તિ થતી હોય છે તે તે પદાર્થો અવશ્ય મર્ત જ હોય છે. જેમકે અગ્નિ-સર્પ-સિંહ અને વિષ વગેરે. તેની જેમ કર્મના સંબંધથી જીવને પીડાનો ઉગમ થાય છે. માટે પણ કર્મ અવશ્ય મૂર્તિ જ છે.