________________
૧૧૯
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ છે જ. કારણ કે તે તે ક્રિયાઓ તે તે કાર્યનું અવિકલકારણ છે. માટે કર્તાની ઈચ્છા પ્રમાણે ફળપ્રાપ્તિ થતી નથી પણ અવિકલકારણને અનુસાર ફળપ્રાપ્તિ થાય છે. જો આમ ન હોત તો આ સંસારમાં અનંત જીવોની સંખ્યા જે છે તે હોત જ નહીં.
આ પ્રમાણે શુભ-અશુભ સર્વે પણ ક્રિયાઓ કર્તાની ઈચ્છા હોય કે ન હોય પણ અદૃષ્ટફળને અવશ્ય આપનારી છે અને દૃષ્ટફળ આપવામાં કારણાન્તરોની વિકલતા અને અવિકલતાના કારણે વિકલ્પવાળી છે. I/૧૬૨૦ll
इहरा अदिट्ठरहिया, सव्वे मुच्चेज ते अपयत्तेणं । अदिवारम्भो चेव, केसबहुलो भविजाहि ॥१६२१॥ (इतरथाऽदृष्टरहिताः, सर्वे मुच्येरंस्तेऽप्रयत्नेन ।
अदृष्टारम्भश्चैव, क्लेशबहुलो भवेत् ॥)
ગાથાર્થ - જો (પુષ્ય અને પાપ સ્વરૂપ) અદેખફળ ન માનીએ તો કૃષિ આદિ ક્રિયા કરનારા સર્વે જીવો અદૃષ્ટફળરહિત થયા છતા વિના પ્રયત્ન મોક્ષે જ જાય અને દાનાદિ ક્રિયા કરનારા સર્વે જીવોનો જે આ સમારંભ છે તે સંસારપરિભ્રમણ કરવા રૂપ ક્લેશની બહુલતાવાળો થશે. /૧૬ ૨૧
વિવેચન - ઉપરની ગાથામાં જે વાત કરી છે તે જ વાત વધારે સ્પષ્ટપણે સમજાવતાં કહે છે કે – હે અગ્નિભૂતિ ! કૃષિ-વેપાર અને પશુવિનાશ રૂપ અશુભ ક્રિયા કરનારા સર્વે જીવો ધાન્યપ્રાપ્તિ આદિ સ્વરૂપ દેખફળને જ ઈચ્છે છે પણ પાપબંધરૂપ અદૃષ્ટફળને ઈચ્છતા નથી તથા દાનાદિ શુભક્રિયા કરનારા સર્વે જીવો દેખફળ યશ આદિને પણ ઈચ્છે છે અને પુણ્યબંધ તથા ધર્મરૂપ અદેખફળને પણ ઈચ્છે છે. આ પ્રમાણે તમે પૂર્વે જે કહ્યું. ખરેખર જો તેમ જ થતું હોય અને જીવોની ઈચ્છા પ્રમાણે જ ફળ મળતું હોય એટલે કે જે જીવો જેની આશંસા રાખે તે જીવોને તે ફળ મળે આમ જ જો થતું હોય તો નીચે જણાવ્યા પ્રમાણે બે મોટી બાધા આવશે. (૧) પાપક્રિયા કરનારા સર્વે જીવો વિના પ્રયત્ન મોક્ષે જશે અને (૨) દાનાદિ પુણ્યક્રિયા કરનારા જીવો ક્લેશબહુલ એવા અનંત સંસારમાં રખડશે. તે બન્ને મોટી બાધાઓ (દોષો) આ પ્રમાણે છે -
(૧) રૂતરથા = જો કૃષિ-વેપાર અને પશુવિનાશ વગેરે અશુભ ક્રિયાઓ કરનારાને પાપબંધરૂપ અદૃષ્ટફળ અમને મળો એવી ઈચ્છા ન હોવાથી જો અદષ્ટફળ (પાપનો બંધઅશુભ કર્મબંધ) ન માનીએ તો તે તે ક્રિયાને કરનારા સર્વે પણ જીવો અષ્ટફળ જે પાપબંધ