SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ બીજા ગણધર - અગ્નિભૂતિ ગણધરવાદ કોઈક જ) છે. અષ્ટફળ સમજીને દાનાદિમાં પ્રવૃત્તિ કરનારા અને હિંસાદિથી નિવૃત્તિ કરનારા જીવો લોકના અસંખ્યાતમા ભાગના પણ નથી. જે ક્રિયાનું દૃષ્ટફળ છે તે જોઈને ઘણા લોકો તેમાં પ્રવૃત્તિ કરે છે. તેમ જો દાનાદિ અને હિંસાદિ ક્રિયાનું અદષ્ટ ફળ પુણ્યપાપ હોત તો તે ફળ સમજીને તેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરનારાઓની સંખ્યા ઘણી વધારે હોત. પરંતુ બહુ સંખ્યા નથી. પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરનારાની અલ્પમાત્ર જ સંખ્યા છે. તે એમ સૂચવે છે કે હિંસાદિ અશુભક્રિયામાં પણ અદૃષ્ટફળનો અભાવ છે અને દાનાદિ શુભક્રિયામાં પણ અદેખફળનો અભાવ જ છે. ફક્ત સર્વે પણ ક્રિયાનું દૃષ્ટફળ જ છે. તેથી જ તેમાં દૃષ્ટફળ સમજીને જ પ્રવૃત્તિ કરનારાની સંખ્યા બહુ છે. માટે પુણ્યબંધ કે પાપબંધ જેવું કોઈ તત્ત્વ નથી. ll૧૬૧૯ सोम्म ! जउच्चिय जीवा पायं दिट्ठफलासु वटुंति । अदिट्ठफलाओ वि य, ताओ पडिवज तेणेव ॥१६२०॥ (સૌમ્ય ! યત અવ નીવ: પ્રાયો તૂછત્રીસુ વર્તને ! મતક્ષા અપિ , તા: પ્રતિપસ્વ તૈનૈવ ). ગાથાર્થ – હે અગ્નિભૂતિ ! સંસારી જીવો જે કારણથી પ્રાયઃ દૃષ્ટફલવાળી ક્રિયામાં પ્રવર્તે છે. તે કારણથી જ તે ક્રિયાઓ અવશ્ય અદૃષ્ટ ફળવાળી છે. આમ સિદ્ધ થાય છે તે તમે સ્વીકારો. ll૧૬ ૨all વિવેચન - ૧૬૧૮ અને ૧૬૧૯ ગાથામાં અગ્નિભૂતિએ ભગવાનને જે પ્રશ્ન કર્યો કે સંસારી જીવો પ્રાયઃ દૃષ્ટફળ સમજીને જ ખેતી, વેપાર આદિ ક્રિયામાં પ્રવર્તે છે માટે દિષ્ટફળ જ છે. અદષ્ટફળ નથી તેમ દાનાદિ ક્રિયા અને હિંસાદિ ક્રિયા પણ દૃષ્ટફળવાળી જ છે. પણ અષ્ટફળવાળી નથી. તેથી પુણ્ય-પાપ જેવું કર્મતત્ત્વ નથી. આ પ્રશ્નનો આ ગાથામાં પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ ઉત્તર આપે છે - હે સૌમ્ય ! (અગ્નિભૂતિને સમજાવવા માટેનું કોમલ વાણીથી ભગવાનું આમંત્રણ આપે છે) આ સંસારમાં દષ્ટફળવાળી ખેતી-વેપાર અને હિંસાદિ ક્રિયા સ્વરૂપ અશુભ ક્રિયામાં ઘણા જીવો પ્રવર્તે છે અને અદૃષ્ટ ફળવાળી દાનાદિ શુભ ક્રિયામાં અતિશય અલ્પ જીવો પ્રવર્તે છે. તે કારણથી જ સિદ્ધ થાય છે કે ખેતી-વેપાર અને હિંસા આદિ દૃષ્ટ ફળવાળી ક્રિયા પણ અવશ્ય અદૃષ્ટફળવાળી પણ છે. આમ તમે સમજી લો. કારણ કે ખેતી-વેપાર અને પશુવિનાશ રૂપ હિંસા વગેરે ક્રિયાઓને કરનારા જીવો ધાન્ય પ્રાપ્તિ, ધનની પ્રાપ્તિ અને માંસભક્ષણ વગેરેની પ્રાપ્તિ થાય એવા આશયથી જ એટલે કે દૃષ્ટફળ
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy