________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ તેલ નથી ત્યાં પણ નીકળવું જોઈએ. આ જ રીતે માટીમાં ઘટ છે અને દંડ-ચક્રાદિ સામગ્રીથી પ્રગટ થાય છે. જો માટીમાં ઘટ ન જ હોય અને થતો હોય તો ઘટ બનાવવાનો અર્થી જીવ માટી જ શું કામ લાવે ? રેતીનો ઢગલો પણ લાવે અને તે રેતીમાં ઘટ નથી. છતાં તેમાંથી પણ બનાવવો જોઈએ. પણ આમ બનતું નથી. તેથી “જે હોય છે તે જ થાય છે” “સવોત્વદદ્યતે' આ રીતે વિચારતાં જ્ઞાની જ જ્ઞાન પામે, પણ અજ્ઞાની જ્ઞાન ન પામે, સમ્યકત્વી જ સમ્યકત્વ પામે પણ મિથ્યાત્વી સમ્યકત્વ ન પામે, કારણ કે જ્યાં સુધી મિથ્યાત્વમોહનો ઉદય છે ત્યાં સુધી જીવ મિથ્યાત્વી છે અને મિથ્યાત્વી હોય ત્યાં સુધી કોઈપણ સમયમાં સમ્યકત્વ પ્રાપ્ત થતું જ નથી અને જ્યારે મિથ્યાત્વ મોહનો ઉદય વિરામ પામે છે ત્યારે અન્તરકરણના પ્રવેશના પ્રથમસમયે જ જીવ સમ્યકત્વ પામે છે અને તે સમયે આ જીવ સમ્યક્તી જ છે. તેથી સમ્યક્તી જીવ જ સમ્યત્વ પામે છે.
આ નયથી વિચારતાં જે સંયત (સાધુ) હોય તે જ સંયત (સાધુ) બને છે પણ અસંયમી જીવ સાધુ બનતો નથી. કારણ જ્યાં સુધી પ્રત્યાખ્યાનીય નામના ત્રીજા કષાયનો ઉદય છે એટલે કે આ જીવ અવિરત છે અથવા દેશવિરત છે ત્યાં સુધી ક્યારેય પણ સર્વવિરતિ આવતી નથી એટલે કે સંયત બનતો નથી અને જે સમયે ત્રીજા કષાયનો ઉદય અટકવાથી આ જીવ સંયત (સાધુ) બન્યો, તે સમયે સંયત જ છે. માટે સંયત જ સંયત બને છે. આ નયના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને મૂલગાથામાં તો સમો પવૅ = તે શ્રમણ (સાધુ) પ્રવ્રજિત (દીક્ષિત) થયા એમ લખ્યું છે.
ટીકાકારશ્રીએ ટીકામાં આ જ વાતનો ખુલાસો કરતાં લખ્યું છે કે “સંવત: સંતો મતિ, નાસંયતઃ” રૂત્તિ નિશ્ચયનયમતાશ્રયUIબ્રેન્જમુક્તમતીદ ભાવાર્થ: I સાધુ જ સાધુ થાય છે. આવા પ્રકારના નિશ્ચયનયના અભિપ્રાયનો આશ્રય લઈને મૂલગાથામાં આમ કહ્યું છે એમ જાણવું. તથા મૂલગાથામાં જે “ખંડિક” શબ્દ છે. તેનો અર્થ “ઈન્દ્રભૂતિના વિદ્યાર્થીઓ” એવો અર્થ કરવો. એટલે કે તેમના છાત્રો એ જ વ્યવહારથી તેમના શિષ્યો કહેવાય. ll૧૬૦૪ો.
एवं कम्माईसु वि जं सामण्णं तयं समाउज्जं । जो पुण जत्थ विसेसो, समासओ तं पवक्खामि ॥१६०५॥ ( एवं कर्मादिष्वपि यत्सामान्यं तत्समायोज्यम् । यः पुनर्यत्र विशेषः समासतस्तं प्रवक्ष्यामि ॥)