________________
ગણધરવાદ
૮૭
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ (૧) શ્રતિ = માત્ર સાંભળવું તે જ. જેમ ભરી-પડત-ઢોલ-નગારાં વગેરે વાજીંત્રો વાગે છે તે શબ્દોનો અર્થ તે તે શબ્દમાત્ર જ છે કંઈ પણ વાચ્ય અર્થ નથી. સાંભળવું એટલો જ તેનો અર્થ છે, સાંભળવા માત્ર રૂપ છે. તેવી જ રીતે આ વેદપદો મંત્રાક્ષસ્વરૂપ સાંભળવા જેવા છે. અર્થાત્ ગોરલોકો બોલે અને આપણે સાંભળવું - એ જ તેનો અર્થ
(૨) વિજ્ઞાન = અથવા શું વિજ્ઞાન અર્થ છે ? જેમ ઘટ શબ્દ બોલાયે છતે ઘડાનું વિશેષ જ્ઞાન શ્રોતાના મનમાં પ્રગટે છે અને પટશબ્દ બોલાયે છતે પટનું વિશિષ્ટજ્ઞાન શ્રોતાના હૈયામાં પ્રગટે છે. તેમ જે જે શબ્દો બોલાય છે તે તે શબ્દો દ્વારા તેના તેના વિષયનું વિશિષ્ટ એવું જે વિજ્ઞાન શ્રોતાને થતું દેખાય છે. તેથી વિજ્ઞાન થવું એ જ આ શબ્દોનો અર્થ છે ?
| (૩) વસ્તુમેવો વ = અથવા શબ્દોનો વસ્તુભેદ = એકવસ્તુથી બીજી વસ્તુને ભિન્ન કરવી શું તેવો અર્થ છે ? “ઘટ” આવો શબ્દ બોલાયે છતે “પૃથુબુવ્વાદિ આકારવાળો જલાધાર થાય તેવો જે ઘટ નામનો પદાર્થ છે તે પદાર્થ જ આ “ઘટ” શબ્દ વડે કહેવાય છે પરંતુ પટ-મઠ ઈત્યાદિ અન્ય પદાર્થો કહેવાતા નથી. આમ ઈતરપદાર્થોનું વ્યાવર્તન કરનારો વસ્તુભેદ કરવો એવો અર્થ શબ્દોનો છે ?
(૪) જ્ઞાતિ = અથવા તે તે શબ્દોનો શું જાતિ અર્થ છે ? જેમ “ગાય ઘણું ગરીબ પ્રાણી છે” અથવા લોકો ગાયને માતા કહે છે તેથી “ગાય ઘણી પૂજ્ય છે” ઈત્યાદિ વાક્યોમાં બોલાતો નો શબ્દ કોઈ એક ગાયને (કાળી ગાયને કે ધોળી ગાયને કે લાલ ગાયને) સૂચવનારો નથી. પરંતુ ગાય જાતિમાત્રને સૂચવનારો આ શબ્દપ્રયોગ છે તેમ ઘટ પટ આદિ શબ્દો શું આખી જાતિને સૂચવનારા છે ?
(૫) દ્રવ્ય = અથવા સર્વે પણ શબ્દો શું દ્રવ્યવાચી જ છે ? માત્ર દ્રવ્ય અર્થને જ કહેનારા છે ? જેમ વધી શબ્દ બોલવાથી દંડવાળો પુરુષ એમ દ્રવ્ય અર્થ કરાય છે. પયમ્ = એટલે દૂધ, થિ = એટલે દહીં વગેરે શબ્દો દ્રવ્યવાચક છે. તેમ સર્વે પણ શબ્દો શું દ્રવ્યમાત્રના જ વાચક છે ?
(૬) ક્રિય = અથવા શું શબ્દોનો અર્થ ક્રિયાપદ માત્ર જ છે ? જેમકે થાવતિ = તે દોડે છે, છતિ = તે જાય છે, પતિ = તે રાંધે છે ઈત્યાદિ શબ્દો ધાવન-ગમન-પચન વગેરે ક્રિયા અર્થ જ જણાવે છે તેમ ઘટ-પટ-મઠ આદિ શબ્દો પણ શું ક્રિયા માત્ર અર્થને જ જણાવનારા છે ?