________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ जाई दव्वं किरिया गुणोऽहवा संसओ तवाजुत्तो । अयमेवेति नवायं, न वत्थुधम्मो जओ जुत्तो ॥१६०१॥ (एषां वेदपदानां न त्वमर्थं वेत्सि, अथवा सर्वेषाम् ।
अर्थः किं भवेत् श्रुतिर्विज्ञानं वस्तुभेदो वा ॥ जातिव्यं क्रिया, गुणोऽथवा संशयस्तवायुक्तः ।
યમેવેતિ ન વાય, ન વસ્તુધર્મો પતો યુવતઃ II)
ગાથાર્થ - હે ગૌતમ ! આ વેદપદોનો અર્થ તમે જાણતા નથી. એટલું જ નહીં પણ સર્વે પણ શબ્દોના અર્થમાં સંશય છે. તે આ પ્રમાણે - શબ્દો તે શું શ્રવણમાત્ર છે ? કે વિજ્ઞાન વિશેષ છે ? કે વસ્તુભેદ છેકે જાતિવિશેષ છે ? કે દ્રવ્યવિશેષ છે? કે ક્રિયાવિશેષ છે ? કે ગુણવિશેષ છે ? અથવા આવા પ્રકારનો તમારો આ સંશય અયુક્ત જ છે. કારણ કે “આ આમ જ છે અને આ આમ નથી જ” આવા પ્રકારનો વસ્તુધર્મનો નિર્ણય કરવો તે યોગ્ય નથી. ૧૬૦૦-૧૬૦૧/l
વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ શ્રી ઈન્દ્રભૂતિને કહે છે કે મારા વડે વેદપદોના અર્થો જે રીતે તમારી સમક્ષ સમજાવાયા છે કે ભૂતોને (ઘટ-પટાદિ પદાર્થોને) જાણવા સ્વરૂપે નવા નવા ઉપયોગાત્મક પર્યાય સ્વરૂપે જીવ ઉત્પન્ન થાય છે અને જુના જુના ઉપયોગાત્મક પર્યાયસ્વરૂપે જીવ નાશ પામે છે. ભૂતો એટલે પદાર્થો, તેને જાણવાનો ઉપયોગ આ આત્માનો સદાકાલ બદલાતો જ રહે છે. નવા વિષયના ઉપયોગકાલે જુનો ઉપયોગ પ્રગટપણે હોતો નથી. આવા પ્રકારનો તે “વિજ્ઞાનધન પર્વતે ભૂખ્યઃ'' ઈત્યાદિ વેદપદોનો સાચો અર્થ છે. પરંતુ તમે આ સાચો અર્થ જાણતા નથી. તેથી જીવના નાસ્તિત્વને સૂચવનારો આ વેદપદોનો અર્થ તમે સ્વયં તમારી મેળે ગુરુગમ વિના કરો છો તથા બીજા પાઠો જીવના અસ્તિત્વને સૂચવનારા મળે છે. તેથી તમને જીવને વિષે સંદેહ થયો છે. ખરેખર ઉપર સમજાવ્યા પ્રમાણે આ સંશય ઉચિત નથી.
અથવા સર્વે પણ વેદપદોના અર્થ તમે જાણતા નથી કારણ કે સર્વે પણ વેદના પદોના વિષયમાં તમને આવા પ્રકારનો સંશય હૈયામાં વર્તે છે. તે સંશય આ પ્રમાણે છે કે જ્યારે જ્યારે ઘટ-પટ આદિ કોઈ પણ પદાર્થ માટે જે જે શબ્દો વપરાય છે તે તે શબ્દોના અર્થ શું હશે? તે માટેના તમારા વડે સ્વયં કલ્પાયેલા મનના વિકલ્પો (તરંગો) તમારા હૃદયમાં આ પ્રમાણે છે -