________________
દર
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ સારાંશ એ છે કે ઘટપદાર્થ સંબંધી ઉપયોગાત્મક જે જ્ઞાનસંજ્ઞા હતી તેની નિવૃત્તિ થયે છતે જ્યારે પટ પદાર્થસંબંધી ઉપયોગ ઉત્પન્ન થાય છે ત્યારે પૂર્વકાલીન ઘટોપયોગવાળી જ્ઞાનસંજ્ઞા હોતી નથી. કારણ કે ઘટોપયોગવાળો કાલ નિવૃત્તિ પામ્યો, હવે તો પટોપયોગ જ પ્રવર્તે છે. કારણ કે હાલ વર્તમાનકાલમાં પટોપયોગ જ ઉત્પન્ન થયેલો છે. આ રીતે પ્રત્યજ્ઞ શબ્દનો અર્થ પરભવ નથી પરંતુ પૂર્વકાલીન ઉપયોગાત્મક જ્ઞાનસંજ્ઞા આવો અર્થ છે અને તે જ્ઞાનસંજ્ઞા અન્ય પદાર્થના ઉપયોગકાલે સંભવતી નથી. આ રીતે અર્થ વિચારતાં “વિજ્ઞાનધન વૈખ્ય મૂર્તિમ્યઃ સમુન્જાય તાજોવાનુવિનશ્યતિ, ચ પ્રેયસંજ્ઞાતિ'' ઈત્યાદિ જે વેદપદો છે. તે વેદપદોમાં પણ વિજ્ઞાનના સમૂહાત્મક જીવ છે આમ જ કહેલું છે. નવા નવા ઉપયોગ સ્વરૂપે જીવ ઉત્પન્ન થાય છે અને જુના જુના ઉપયોગ સ્વરૂપે વસ્તુ નાશ પામે છે. પદાર્થરૂપે વસ્તુ ધ્રુવ છે. તેથી પરભવ-પૂર્વભવ પણ છે. ફક્ત અન્ય ઉપયોગકાલે પૂર્વકાલીન ઉપયોગ નથી. આવો અર્થ વેદપદોનો છે.
તેથી હે ગૌતમ ! જીવ છે અને પરભવગામી છે. આમ તમે સ્વીકાર કરો. l/૧૫૯૬ll
एवं पि भूयधम्मो नाणं तब्भावभावओ बुद्धी । तं नो तदभावम्मि वि तं नाणं वेयसमयम्मि ॥१५९७॥ अत्थमिए आइच्चे, चंदे संतासु अग्गिवायासु । किं जोइरयं पुरिसो, अप्पज्जोइत्ति निद्दिट्ठो ॥१५९८॥ ( एवमपि भूतधर्मो, ज्ञानं तद्भावभावतो बुद्धिः । तन्न तदभावेऽपि यज्ज्ञानं वेदसमये ॥ अस्तमित आदित्ये, चन्द्रे शान्तयोरग्निवाचोः । વિં ચોતિરયં પુરુષ માત્મોતિરતિ નિર્વિષ્ટઃ 1)
ગાથાર્થ - આમ હોય તો પણ જ્ઞાન એ ભૂતોનો ધર્મ છે. કારણ કે ભૂતો હોય ત્યારે જ (જ્ઞાન) થાય છે. આવી તમારી બુદ્ધિ કદાચ થાય. તો તે પણ ઉચિત નથી. કારણ કે તે ભૂતોના અભાવમાં પણ જ્ઞાન થાય છે એવું વેદશાસ્ત્રમાં જ કહેલું છે. હે યાજ્ઞવક્ય ! સૂર્ય અને ચંદ્ર અસ્ત થયે છતે, અગ્નિ અને વાચા શાન્ત થયે છતે આ પુરુષ (આત્મા) કયા વિષયની જ્યોતિવાળો બને છે ? હે રાજન ! તે કાલે આ પુરુષ આત્મજ્યોતિરૂપ બને છે. આ વાક્યથી વેદમાં પણ જ્ઞાનાત્મક આત્મા કહેલો છે. /૧૫૯૭-૧૫૯૮