________________
jain
87
કથાસાર આવ્યું છે. સંયમની દુષ્કરતા બતાવતાં મહાવ્રતોનું અને અનેક આચારોનું વર્ણન સ્પષ્ટ કરવામાં આવ્યું છે. છેલ્લે મૃગાપુત્ર આજ્ઞા પ્રાપ્ત કરી, સંયમ સ્વીકારી એકલા જ વિચરણ કરી સંયમ–તપની ઉત્કૃષ્ટ આરાધના કરી, એક માસનું અનશન કરી, સર્વકર્મોનો ક્ષય કરી મુક્ત થયા. (૧) જાતિ સ્મરણ જ્ઞાન અધ્યવસાયોની શુદ્ધિ યુક્ત અનુપ્રેક્ષાથી અને જ્ઞાનાવરણીય તેમજ મોહનીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન થાય છે. આ જ્ઞાનથી ઉત્કૃષ્ટ પૂર્વના નિરંતર સંજ્ઞીઅવસ્થાના ૯૦૦ ભવોનું, તેમજ તે ભવોના આચરણનું અને સંયમ વિધિઓનું જ્ઞાન થઈ શકે છે. તેથી સ્વત: જીવને ધર્મબોધ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. મૃગાપુત્ર દીક્ષાની અનુમતિ માંગતા:(૨) કામભોગ કિંપાક ફળ સમાન ભોગવવામાં(સેવન કરતાં સમયે)સુંદર અને મિષ્ટ લાગે છે પણ તેનું પરિણામ કરુ છે અર્થાત્ દુઃખદાયી છે. (૩) આ શરીર અનિત્ય, અશુચિમય, અશાશ્વત અને ક્લેશનું ભાજન છે. તેને પહેલાં કે પછી અવશ્ય છોડવું જ પડશે. પાણીના પરપોટાની સમાન આ જીવન ક્ષણભંગુર છે. (૪) સંસારમાં જન્મ, જરા, રોગ અને મરણ એ ચાર મહા દુઃખ છે. બાકી તો આખોય સંસાર દુઃખમય છે. (૫) સંસારરૂપી અટવીમાં ધર્મરૂપી ભાતું લીધા વિના પ્રવાસ કરનારા જીવ રોગ આદિ દુઃખોથી પીડિત થાય છે. માતા-પિતા સંયમની દુષ્કરતા બતાવતા:(૬) સમસ્ત પ્રાણિઓ પ્રત્યે કે વેરવિરોધ રાખનારાઓ પ્રત્યે પણ સમતાભાવ ધારણ કરવારૂપ અહિંસાનું પૂર્ણ પાલન કરવું દુષ્કર છે (૭) સદા અપ્રમત્ત ભાવે, હિતકારી અને સત્ય ભાષા ઉપયોગપૂર્વક બોલવી દુષ્કર છે. (૮) પૂર્ણ રૂપે અદત્તને ત્યાગી નિર્વધ અને એષણીય આહાર આદિ ગ્રહણ કરવા કઠિન છે. (૯) સમસ્ત કામભોગોનો ત્યાગ કરવો અને વિવિધ સંગ્રહ પરિગ્રહનો તેમજ તેના મમત્વનો પરિત્યાગ કરવો અતિ દુષ્કર છે. (૧૦) રાત્રિ ભોજનનો ત્યાગ કરવો અને ખાદ્ય પદાર્થ કે ઔષધ ભેષજનો સંગ્રહ ન કરવો દુષ્કર છે. (૧૧) બાવીસ પરીષહ સહેવા, લોચ કરવો તથા વિહાર કરવો અતિ કષ્ટમય છે. (૧૨) જીવનભર જાગૃતિ પૂર્વક આ બધા જ સંયમ ગુણોને ધારણ કરવા એટલે કે તે–૧. લોખંડનો મોટો બોજ કાયમ ઉપાડી
પ્રતિસ્રોતમાં ચાલવા સમાન છે. ૩. ભુજાઓથી સમુદ્ર પાર કરવા સમાન છે.૪. રેતીના કવલ ચાવવા સમાન છે.૫. તલવારની તીક્ષ્ણ ધાર પર ચાલવા સમાન છે.. મીણના દાંતે લોખંડના ચણા ચાવવા સમાન છે. ૭. પ્રદીપ્ત અગ્નિશિખાને પીવા સમાન છે.૮. કપડાની થેલીને હવાથી ભરવા સમાન છે.૯. મેરુપર્વતને ત્રાજવાથી તોળવા સમાન છે
અર્થાત્ ઉપરના બધા જ કાર્યો દુષ્કર છે. તેની સમાન સંયમ પાળવો પણ અત્યંત દુષ્કર છે. મૃગાપુત્ર ઉતરમાં કહે છે :(૧૩) અગ્નિની ઉષ્ણતા કરતાં પણ નરકની ગરમી અનંત ગુણી છે. અહીંની ઠંડીથી નરકની ઠંડી અનંતગુણી છે. જ્યાં નારકીને વારંવાર ભેજવામાં આવે છે, કરવતથી કાપવામાં કે ટુકડા કરવામાં આવે છે. મુગરોથી માર મારવામાં આવે છે. તીણ કાંટાઓમાં ઢસેડવામાં આવે છે. ઘાણીમાં પીલવામાં આવે છે, છેદન- ભેદન કરવામાં આવે છે. બળપૂર્વક ઉષ્ણ જાજ્વલ્યમાન રથમાં જોતરવામાં આવે છે, તૃષા લાગતાં તીક્ષ્ણ ધારવાળી વૈતરણી નદીમાં નાખવામાં આવે છે. ઉકાળેલ લોઢું, સીસું, તાંબુ પીવડાવવામાં આવે છે. (૧૪) “તમને માંસ પ્રિય હતું, એમ કહી અગ્નિ સમાન પોતાના જ માંસને લાલચોળ કરી પકવી ખવડાવવામાં આવે છે. તમને વિવિધ મદિરા ભાવતા હતા' એમ કહી ચરબી અને લોહી ગરમ કરી પીવડાવે છે. નરકમાં કેટલીક વેદના પરમાધામી દેવકૃત હોય છે. વૈક્રિય શરીર અને દીર્ઘ આયુષ્ય હોવાથી નારકી જીવો મરતા નથી. રાઈ જેટલા ટુકડા કરવામાં આવે છતાં પારાની સમાન તેમનું શરીર પુનઃ સંયુક્ત થઈ જાય છે. આ પ્રકારે અહીં બતાવ્યું છે કે સંયમના કષ્ટથી અનંત અધિક નરકમાં દુઃખો છે.તિને જીવ પરવશતાથી અને અનિચ્છાએ સહન કરીને આવ્યો છે.] (૧૫) મુનિ જીવનમાં રોગનો ઉપચાર ન કરવો તે પણ એક સિદ્ધાંત છે. તેના માટે મૃગ-પશુનું દષ્ટાંત આપી સમજાવ્યું છે કે પશુને રોગ આવતાં આહારનો ત્યાગ કરી વિશ્રામ કરે છે અને સ્વસ્થ થયા પછી જ આહાર ગ્રહણ કરે છે. મુનિ પણ રોગ આવતાં મૃગની જેમ સંયમ આરાધના કરે. (૧૬) મુનિ લાભ–અલાભ, સુખ-દુ:ખ, જીવન-મરણ, નિન્દા-પ્રશંસા, માન– અપમાનમાં સદા એક સમાન ભાવ રાખે, હાસ્ય-શોકથી દૂર રહે, ચંદન વૃક્ષની સમાન ખરાબ કરનારનું પણ ભલું જ કરે, તેના પ્રતિ શુભ હિતકારી અધ્યવસાય રાખે. (૧૭) અંતિમ ગાથામાં કહેવામાં આવ્યું છે કે, ધન દુઃખોની વૃદ્ધિ કરાવનારુ છે. મમત્વ બંધન મહાભયને પ્રાપ્ત કરાવનારુ છે. ધર્માચરણ- વ્રત, મહાવ્રત ધારણ કરવાથી અનુત્તર સુખોની પ્રાપ્તિ થાય છે.
વીસમું અધ્યયન : અનાથી મુનિ પ્રાસંગિક - એક વખત મહારાજા શ્રેણિક ફરતાં-ફરતાં ઉદ્યાનમાં આવ્યા. ત્યાં અનાથિમુનિને ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા જોયા. મનિના રૂપ, સૌમ્યતા તથા વૈરાગ્યને જોઈ આશ્ચર્ય થયું. તે યોગ્ય શિષ્ટાચાર જાળવી વંદન કરી બેઠા અને પૂછયું કે- “આપે દીક્ષા શા માટે લીધી?' મુનિએ પ્રત્યુત્તરમાં કહ્યું- “હું અનાથ હતો.' રાજાએ કહ્યું- “તમારો નાથ હું બનું છું' રાજ્યમાં પધારો.' ત્યારે મુનિએ અનાથતાનું વર્ણન કર્યું. કે મારે માતા-પિતા, ભાઈ-બહેન પત્નિ પરિવાર અને પ્રભૂત ધન ભંડાર હતો, છતાં મારી રોગ જનિત મહાન વેદનાને કોઈ મટાડી શક્યા નહિ કે તેમાં ભાગ પડાવી શક્યા નહિ, ઉપાયો બધા નિષ્ફળ થતાં મેં દીક્ષા લીધી. સર્વ હકીકત અને ઉપદેશ સાંભળી શ્રેણિક રાજા બોધ પામ્યા અને ધર્માનુરાગી બન્યા. ઉપદેશનો સાર આ પ્રમાણે છે(૧) પુષ્કળ ધન, માતા-પિતા, ભાઈ–બહેન અને પત્ની હોવા છતાં પણ આ જીવની રોગથી કે મૃત્યુથી કોઈ રક્ષા કરી શકતા નથી. તેથી રાજા હોય કે શેઠ, બધા અનાથ છે; કારણ કે હજારો દેવ, હજારો સ્ત્રીઓ, હજારો રાજા, કરોડોનો પરિવાર, ચૌદ રત્ન,