________________
56
આગમ-કથાઓ
બીજું અધ્યયન – ઉજિઝતક આ અધ્યયનનું નામ 'ઉજિઝતક છે. આમાં તે નામના દુઃખી બાલકનું જીવન વૃત્તાંત છે. વાણિજ્યગ્રામમાં વિજયમિત્ર સાર્થવાહનો ઉજિઝતક નામનો દીકરો હતો. તે સર્વાગ સુંદર અને રૂપ સંપન્ન હતો. સંયોગવશાત્ ઉજિઝતકના માતા-પિતા કાળધર્મ પામ્યા. થોડું ઘણું ધન હતું તે નષ્ટ થઈ ગયું. રાજ કર્મચારીઓએ લઈ લીધું અને ઉજિઝતકને ઘરમાંથી બહાર કાઢી મૂકયો. શૂળીની સજા –તે સાર્થવાહ પુત્ર નગરમાં ભટકતો અનેક દુર્બસનોનો ભોગ બન્યો. દારૂ પીવો, જુગાર રમવો, ચોરી કરવી ઈત્યાદિ પ્રવૃત્તિમાં સમય પસાર કરતાં હવે કામધ્વજા વેશ્યાના ઘરે પહોંચ્યો. ત્યાં તેની સાથે ભોગ ભોગવવા લાગ્યો. એકદા મિત્રરાણીના ઉદરે શૂળરોગ ઉત્પન્ન થતાં રાજાએ તેને તરછોડી દીધી. પોતે કામધ્વજાના આવાસે જવા-આવવા લાગ્યા. ત્યાં ઉજિઝતકને જોતાં તેને કાઢી મૂકયો. રાજા સ્વયં ગણિકા સાથે માનષિક વિષયભોગોનો ઉપભોગ કરવા લાગ્યો. ઉજિઝતક વેશ્યામાં આસકત હતો. તક મળતાં તે ચૂકતો નહિ. એક વખત રાજા તેને જોઈ ગયો. પ્રચંડ ગુસ્સામાં તેને શૂળીએ ચઢાવવાનો આદેશ કર્યો. રાજાના આદેશ અનુસાર રાજકર્મચારી તેને બાંધી, જુદા જુદા પ્રકારે મારપીટ કરતા, નગરમાં ફેરવી રહ્યા હતા. તે વખતે ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામી છઠ્ઠના પારણે ભિક્ષા માટે વાણિજ્યગ્રામ
ના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામી છઠ્ઠના પારણે ભિક્ષા માટે વાણિજ્યગ્રામમાં પધાર્યા. રસ્તામાં તેઓએ નાક-કાન કાપેલા, હાથને પીઠ પાછળ બાંધેલ, બેડીઓ પહેરાવેલ ઉજિઝતકને જોયો. જેના શરીરમાંથી તલ-તલ જેટલું માંસ કાઢી તેનેજ ખવડાવતા હતા અથવા પક્ષીઓને ખવડાવતા હતા. માણસો તેને સેંકડો પત્થરો તથા ચાબુકોનો માર મારતા હતા. ગૌતમ સ્વામી ગોચરી વહોરી ભગવાન પાસે આવ્યા અને રસ્તામાં જોયેલ માણસની દુઃખમય અવસ્થાનું કારણ પૂછયું. પૂર્વભવ:–ભગવાને તેના પૂર્વભવનું વર્ણન કર્યું. આ જંબુદ્વીપમાં હસ્તિનાપુર નામનું નગર હતું. સુનંદ નામનો રાજા હતો. તેની ખૂબ વિશાળ ગોશાલા હતી. જ્યાં અનેક પશુ નિર્ભય થઈને રહેતાં હતાં અને પ્રચુર ભોજન–પાણી લેતાં હતાં. તે નગરમાં ભીમ નામનો કોટવાળ રહેતો હતો. જે અધર્મિષ્ઠ હતો. એક વખત તેની પત્ની ઉત્પલાએ પાપબુદ્ધિવાળા એક પુત્રને જન્મ દીધો. તેના જન્મ સમયે ગાયો અને બીજા પ્રાણીઓ ભયભીત થયા, આક્રંદ કર્યો ત્રાહિત થયા જેથી તેનું નામ ગોત્રાસક રાખવામાં આવ્યું. તેનો મુખ્ય સ્વભાવ પશુઓને દુ:ખ દેવાનો એટલે કે મારવું, પીટવું તથા અંગોને હીન કરવા. તે હંમેશા અડધી રાત્રે ઉઠી ગૌશાળામાં જતો અને પશુઓને સંત્રસ્ત કરી આનંદ માનતો. સાથે જ માંસ-મદિરાના સેવનમાં મસ્ત રહેતો. આ પ્રકારે ક્રૂર આચરણ કરતો થકો ૫૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી બીજી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં ત્રણ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી અહીં ઉજિઝતક કમાર બન્યો અને પૂર્વકત શેષ કર્મોને આ દારૂણ દુઃખો દ્વારા ભોગવી રહ્યો છે. ઉજિઝતકનો પૂર્વભવ સાંભળી ભવિષ્યના વિષયમાં ગૌતમ સ્વામીએ પૂછયું. ભગવાને ભવિષ્ય ભાખ્યું - આજે સાંજે શૂલી ઉપર ૨૫ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી પાપિષ્ઠ વાંદરો થશે. ત્યાર પછી વેશ્યાપુત્ર પ્રિયસેન નામનો કૃત નપુંસક થશે. ત્યાં એકવીસ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન થશે. આ રીતે મૃગાપુત્રની સમાન નરક-તિર્યંચ ગતિમાં ભવભ્રમણ કરશે. અંતે પાડો બનશે. ત્યાંથી કાળ કરીને શ્રેષ્ઠિપુત્ર થશે. સંયમ પાલન કરી દેવલોકમાં જશે. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં મોક્ષ પ્રાપ્ત કરશે. પ્રેરણા શિક્ષાઃ જન્મ જન્માંતર સુધી પાપાચરણના સંસ્કાર ચાલે છે. તેજ રીતે ધર્મના સંસ્કારોની પણ અનેક ભવ સુધી પરંપરા ચાલે છે. માંસાહારમાં આસકત વ્યકિતને અને નિરપરાધ ભોળા પશુઓને સંત્રાસિત કરનારને આ ભવમાં તથા ભવોભવમાં વિચિત્ર વિટંબણાઓ ભોગવવી પડે છે.
ત્રીજું અધ્યયન – અભગ્નસેન આ અધ્યયનનું નામ 'અગ્નિસેન છે. આમાં તે નામના એક ચોર સેનાપતિનું જીવન વૃત્તાંત છે. પ્રાચીન કાળમાં પુરિમતાલ નામનું નગર હતું. ત્યાંનો રાજા મહાબળ હતો. નગરીથી થોડે દૂર ચોરપલ્લી હતી, તેમાં વિજય ચોર ૫૦૦ ચોરોનો સેનાપતિ હતો. તે મહા અધર્મી હતો. તેના હાથ લોહીથી રંગાયેલા રહેતા. પુરિમતાલ તથા આસપાસના બધા ગામના લોકોને તે ત્રાસ પહોંચાડતો હતો. તે મૃત્યુ પામતાં તેનો દીકરો અગ્નિસેન ચોરોનો સેનાપતિ બન્યો. તે પણ પિતા જેવો જ અધર્મી હતો. એક વખત નગરવાસીઓએ મહાબળ રાજા પાસે અગ્નિસેનની ફરિયાદ રજૂ કરી. રાજાએ કોટવાળને આદેશ આપ્યો – 'ચોરપલ્લી ઉપર આક્રમણ કરી અગ્નિસેનને જીવતો પકડી હાજર કરો.' કોટવાળ સેના સહિત પલ્લીમાં ગયો. યુદ્ધ થયું. ચોરોનો વિજય થયો. કોટવાળે આવી કહ્યું કે બળથી પકડવો અશકય છે. સેનાપતિને ઉગ્રદંડ:- રાજાએ છળકપટથી પકડવાનો નિર્ણય કર્યો. અગ્નિસેનના ચોરોને અનેક પ્રકારની સામગ્રીઓ મોકલવા લાગ્યા. ત્યાર પછી સેનાપતિને પણ ઉચિત સમયે અમૂલ્ય ભેટ મોકલાવતા. એક વખત દસ દિવસનો પ્રમોદ મહોત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો. જેમાં ચોર વગેરેને આમંત્રણ અપાયા. ચોરના સેનાપતિને ખૂબ સન્માનપૂર્વક રહેવા સ્થાન આપ્યું. પછી તેમના સ્થાને ખાદ્ય સામગ્રી તથા વિશિષ્ટ મદિરાઓ મોકલાવી. ચોરો ખાઈ-પી નશામાં ચકચૂર બની બેભાન બન્યા. ત્યારે રાજાએ તેને પકડી લીધો. બંધનથી બૂરી રીતે બંધાયેલ અભગ્નસેનને એનક પ્રહારોથી દંડતા થકા નગરમાં ફેરવ્યો. ૧૮ ચૌટા ઉપર તેની દુર્દશા થઈ. તેની માતા આદિ અનેક પરિવારજનોને તેની સામે જ ચૌટા ઉપર માર મારી જબરજસ્તીથી તેઓને તેનું માંસ ખવડાવતા અને લોહી પીવડાવતા. ૧૮ ચૌટા ઉપર આવી દુર્દશા કરી તેના સમસ્ત સ્વજન પરીજનોને મોતને ઘાટ ઉતારી નાખ્યા અને ત્યાર પછી અગ્નિસેનને શૂળીએ ચઢાવવામાં આવ્યો. ગૌતમ સ્વામી ભિક્ષાર્થ ભ્રમણ કરતાં કોઈ ચૌટા ઉપર ચોરની દુર્દશા જોઈ ભગવાન પાસે આવ્યા. તેના દુ:ખોનું કારણ પૂછતાં પૂર્વભવ કહ્યો. પૂર્વભવ:–આ પરિમતાલ નગરમાં નિર્ણય નામનો ઈંડાનો વેપારી રહેતો હતો. તે ઈંડાને બાફી–પકાવી નોકરો દ્વારા રાજમાર્ગ ઉપર