________________
30
આગમ-કથાઓ વિધિવત્ વંદન કરી ભગવાનની દેશના સાંભળવા બેઠા. ભગવાને સકડાલને સંબોધી કહ્યું કે ગઈકાલે એક દેવ તમને સૂચના આપવા આવ્યો હતો? તે મારા માટે જ કહ્યું હતું, ગોશાલકની અપેક્ષાએ નહીં. સકલાલ ભગવાનના જ્ઞાન ઉપર આકર્ષિત થયા, પ્રભાવિત થયા. તેમણે ઉઠી ભગવાનને વંદન નમસ્કાર કરી કુમારશાળામાં પધારવાની વિનંતિ કરી. ભગવાને તેની પ્રાર્થના સ્વીકારી.
સકલાલ ભગવાન પ્રત્યે આકર્ષિત થયા હતા છતાં સૈદ્ધાત્તિક આસ્થા તો ગોશાલકમાં જ હતી. અનુકૂળ અવસર જોઈ ભગવાને પૂછયું – ' આ માટીના વાસણ કેવી રીતે બન્યા છે? ' સકડાલ ક્રમશઃ સંપૂર્ણ પ્રક્રિયા બતાવી. ભગવાને પુનઃપૂછયું – આ આખી પ્રક્રિયા પુરુષાર્થથી થઈને? સકડાલે કહ્યું – ના, નિયતિથી. પુરુષાર્થનું કંઈ મહત્વ નથી.
ભગવાને પુનઃ કહ્યું – જો કોઈ પુરૂષ તારા આ સેંકડો વાસણોને ફોડી નાખે અને તારી પત્ની સાથે દુરવ્યવહાર કરે તો તું તેને દંડ આપે કે નિયતિ સમજી ઉપેક્ષા કરે ? તુરત સકડાલે કહ્યું કે અપરાધી સમજી તેને મૃત્યુદંડ કરુ , ભગવાને કહ્યું – જો તમે તેમ કરશો તો તમારો સિદ્ધાંત અસત્ય ઠરશે. કારણ કે તમે નિયતિના સ્થાને પુરુષાર્થને માન્યો અને તેને અપરાધી ગયો.
આમ થોડી ચર્ચાથી જ સકડાલ યથાર્થ તત્વને સમજી ગયા. શ્રદ્ધાથી તેનું મસ્તક ઝૂકી ગયું. બાર વ્રત અંગીકાર કર્યા. સકડાલની પ્રેરણાથી તેની પત્ની અગ્નિમિત્રાએ પણ તેમજ કર્યું. આમ બન્ને આત્માએ સધર્મની પ્રાપ્તિ કરી ગૃહસ્થ જીવનની સાથે ધર્મસાધનામાં લીન બન્યા.
ગોશાલકને આ ઘટનાની જાણકારી થતાં સકડાલને પોતાના મતમાં લાવવાની કોશિષ કરી. તે ત્યાં આવ્યો. ભગવાનની પ્રશંસા કરી. થોડા દિવસ તે ત્યાં જ રહ્યો, પણ બધા પ્રયત્ન નિષ્ફળ ગયા. નિરાશ થઈ ચાલ્યો ગયો. એકદા પૌષધશાળામાં અર્ધરાત્રિએ સકલાલ પાસે એક દેવ આવ્યો. ધર્મક્રિયા–વત આદિને છોડવાનું કહ્યું અને તેના પુત્રોને મારવાની ધમકી આપી. પુત્રોને મારી અગ્નિમિત્રાને મારવાની ધમકી દેતાં સકડાલ ડગી ગયા. ક્રોધિત થઈ સકલાલ દેવને પકડવાનો પ્રયત્ન
સાંભળી અગ્નિમિત્રા જાગત થયાં પતિને વ્રતમાં સ્થિર કર્યા. સકડાલે પ્રાયશ્ચિત કરી શદ્ધિ કરી. અંતે નિવૃત્ત થઈ સાધનામય જીવન જીવવા લાગ્યા. શ્રાવકની અગિયાર પડિમાઓનું પાલન કર્યું; વીસ વર્ષની શ્રાવક પર્યાય પૂરી કરી; એક માસનો સંથારો કરી પ્રથમ સ્વર્ગમાં ઉત્પન્ન થયા. અંતે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મુકિત મેળવશે. શિક્ષા – પ્રેરણા - એકાંતવાદ મિથ્યા છે, તેથી અનેકાંત સત્યનો સ્વીકાર કરવો. અર્થાત્ નિયતિનો સ્વીકાર કરતાં સાથે પુરુષાર્થને પણ સ્વીકારવું જોઈએ. કોઈ પણ કાર્યની સફળતામાં એક યા અનેક સમવાયોની (સંયોગોની) પ્રમુખતાનો સ્વીકાર કરતા અન્યનો એકાંતિક નિષેધ ન કરવો. દુનિયાનાં સર્વે વ્યવહારો પુરુષાર્થ પ્રધાન હોય છે. તેની સાથે કાળ, કર્મ, નિયતિ અને વસ્તુ સ્વભાવનું પોત-પોતાની સીમામાં મહત્વ સમજવું જોઈએ.
સકલાલે પોતાની બુદ્ધિ અને સમજદારીનો આદર્શ ઉપસ્થિત કર્યો. અંતે સત્યનો નિર્ણય કરી તેનો સ્વીકાર કર્યો. ત્યાર પછી તેને ગોશાલકની ચમત્કારિક શકિત પણ વિચલિત ન કરી શકી. તે જ રીતે માનવના જીવનમાં ઉતાર-ચઢાવ ભલે આવે પરંતુ જીવનનો અંત સત્ય સાથે પસાર થાય, તેવી સરલતા અને બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવો જોઈએ.
નિયતિને એકાંતિક સત્ય માનવાવાળી વ્યકિત કોઈના પુરુષાર્થને નથી સ્વીકારી શકતી. કોઈના ગુણ અને અપરાધને ન માની શકે. પરંતુ તે તથ્ય વ્યવહારથી તદ્ન વિપરીત છે. તથા નિયતિવાદને માટે ધર્મક્રિયાનો પુરુષાર્થ પણ નિરર્થક નીવડે. તેથી આવા એકાંત સિદ્ધાંતના ચક્કરમાં ફસાવું નહિ.
આઠમું અધ્યયન – મહાશતક રાજગૃહી નગર તેના સમયમાં પ્રસિદ્ધ નગર હતું. રાજા શ્રેણિક ત્યાંનો શાસક હતો. ત્યાં મહાશતક નામના ધનિક શેઠ રહેતા હતા. ધન, સંપતિ, વૈભવ, પ્રભાવ, માન-સન્માન આદિની અપેક્ષાએ નગરમાં તેનું બહુ ઉંચુ સ્થાન હતું. તેની પાસે કાંસાના પાત્રના માપની અપેક્ષાએ ૨૪ કરોડ સોનૈયાનું ધન હતું.
તે સમયના રિવાજ પ્રમાણે તેર (૧૩) શ્રેષ્ઠી કન્યાઓ સાથે મહાશતકના લગ્ન થયા. તે કન્યાઓને પોતાના પિતા તરફથી વિપુલ સંપત્તિ આદિ પ્રીતિદાનમાં મળી હતી. તે તેર સ્ત્રીઓમાં રેવતી સૌથી મુખ્ય હતી. પિતૃ સંપત્તિની અપેક્ષાએ પણ તે બધાથી અધિક ધનાઢય હતી. આ પ્રમાણે મહાશતક સાંસારિક દષ્ટિથી મહાન વૈભવશાળી અને અત્યંત સુખી હતો. પરંતુ વૈભવ અને સુખ વિલાસમાં તે ખોવાયો ન હતો.
સંયોગવશ એક વખત ભગવાન મહાવીર સ્વામી રાજગૃહીમાં પધાર્યા. નગરના લોકો અને મહાશતક શેઠ પણ દર્શન કરવા માટે સમવસરણમાં ઉપસ્થિત થયા. ઉપદેશ સાંભળી મહાશતકના આત્માને પ્રેરણા મળી.તેમણે શ્રાવકના બાર વ્રત ધારણ કર્યા અને વધતી જતી સંપત્તિને સીમિત કરી દીધી અર્થાત્ હવે પછી સંપત્તિ ન વધારવાની પ્રતિજ્ઞા કરી.
મહાશતક શ્રમણોપાસકને ઉપાસનામાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા કરતા ચૌદ વર્ષ વ્યતીત થયા. ત્યારબાદ પુત્રને વ્યવસાય આદિ સોપીને નિવૃત્ત જીવન જીવવા લાગ્યા.
મહાશતકની મુખ્ય પત્ની રેવતીનું જીવન અત્યંત વિલાસ પૂર્ણ હતું. તે માંસ અને મદિરામાં પહેલેથી જ અત્યંત આસકત હતી. મહાશતકના શ્રમણોપાસક બની ગયા પછી પણ તેણીએ પોતાની તે પ્રવૃત્તિ ન છોડી. રાજા શ્રેણિક દ્વારા પોતાના રાજ્યમાં ઘોષણા (પંચેન્દ્રિય વધ નિષેધ) આજ્ઞા કરાવ્યા પછી રાજ્યમાં કયાંય પણ માંસ મળતું નહિ તો પણ તેણીએ ઉપાય શોધી લીધો અને નોકરો દ્વારા પીયરથી દરરોજ ગાયના નવજાત વાછરડાના માંસના આયાતની વ્યવસ્થા ગુપ્ત રીતે કરી લીધી. ભોગાકાંક્ષાની તીવ્રતાથી તેણે સ્વચ્છંદતા પૂર્વક પોતાની બાર શોકયોને શસ્ત્ર પ્રયોગ અને વિષપ્રયોગ દ્વારા મરાવી નાખી. મહાશતકનો તેની ઉપર કોઈ પણ નિયંત્રણ–ઉપાય ચાલી શકયો નહીં.
- નિવૃત્ત સાધનાના સમયમાં એક દિવસની વાત છે કે તે પોતાની ઉપાસનામાં હતા. રેવતી મધના નશામાં ઉન્મત્ત બનીને ત્યાં પહોંચી અને મહાશતકને વ્રતથી ટ્યુત કરવા માટે અનેક પ્રકારના કામોદ્દીપક હાવભાવ કરવા લાગી અને કહેવા લાગી કે "તમારો