SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ jain 213 કથાસાર (૬) પ્રતિસલીનતા તપ: અંતર(કષાય)–બાહય(ઈન્દ્રીયોની) ચેષ્ઠાઓની સંવર. ઈન્દ્રીયોની પ્રવૃતિ એટલે વિષય અને તેમાં રુચીઅરુચી તે વિકાર. ઈન્દ્રીયોને આત્મહિતકારી પ્રવૃતિઓમાં લગાડવી એ સાધના છે. શરીર એ સાધન છે, મોક્ષ સાધ્ય છે. શરીર અને ઈન્દ્રીયોનો સદઉપયોગ મોક્ષમાર્ગની પ્રવૃતિ છે. અનાયાસ અને લાચારીથી પ્રાપ્ત થતાં વિષયોમાં રાગ-દ્વેષ ન કરવો તે ઇન્દ્રિયનિગ્રહ છે. વિકાર નિકળી જતાં વિષય અર્થમાત્ર રહે છે. શ્રાવકો માટે–વિષયો પ્રત્યે અનુત્સુકતા અને પ્રાપ્તમાં ઉદાસીન ભાવ એ ઇન્દ્રિય પ્રતિસલીનતા છે. કષાયધર્મભાવમાં પ્રવૃતિ રાખવાથી કષાયનાં ઉદયને રોકી શકાય છે, અને ઉદયમાંને વિકલ કરી શકાય છે. (૧) ઇન્દ્રિયોને પોતાના વિષયમાં જવા ન દેવી તેમજ સહજ પ્રાપ્ત વિષયોમાં રાગ-દ્વેષ ન કરવો તે ઇન્દ્રિય પ્રતિસલીનતા' તપ છે. (૨) ગુસ્સો, ઘમંડ, કપટ, લોભ-લાલચને ઉત્પન જ ન થવા દેવા. સાવધાન રહેવું. ઉદયની પ્રબળતાએ ઉત્પન્ન થઈ જાય તો તેને તત્કાળ નિષ્ફળ કરી દેવા અર્થાત્ જ્ઞાન અને વૈરાગ્યના માધ્યમે પોતાના કર્તવ્યનું ચિંતન કરી, આત્મ સુરક્ષાના લક્ષ્યને રાખી, પરદોષ દર્શન દષ્ટિને નષ્ટ કરી, સ્વદોષ દર્શન કરી, ઐહિક સ્વાર્થને ગૌણ કરી, આધ્યાત્મિક વિકાસ અભિમુખ થઈ તે કષાયોને સ્થિર રહેવા ન દેવા “કષાય પ્રતિસંલીનતા” છે. (૩) ખોટા સંકલ્પ-વિકલ્પ ઉત્પન જ ન થવા દેવા, ઉચ્ચ સંકલ્પોને વધારતા રહેવું, મનને એકાગ્ર કરવામાં અભ્યસ્ત રહેવું એટલે કે ધીમે ધીમે સંકલ્પ– વિકલ્પોથી મુક્ત થવું, તે “મન યોગ પ્રતિસંલીનતા' છે. એ જ પ્રકારે ખરાબ વચનનો ત્યાગ, સારા વચનોનો પ્રયોગ, મૌનનો વધુને વધુ અભ્યાસ તે “વચનયોગ પ્રતિસલીનતા છે. હાથ-પગાદિ શરીરના અંગોપાંગને પૂર્ણ સંયમિત તથા સંકુચિત રાખવા; સ્થિર રહેવું; ચાલવું, બેસવું, ઊઠવું, અંગોનું સંચાલન કરવું ઇત્યાદિ પ્રવૃત્તિમાં યતના તથા વિવેક રાખવો તે “ કાય પ્રતિસલીનતા કહેવાય. અનાવશ્યક પ્રવૃત્તિ ન કરવી તે “કાય યોગ પ્રતિસલીનતા છે. (૪) એકાંત સ્થાનોમાં રહેવું, બેસવું, સૂવું આદિ ચોથું “વિવિક્તશયનાસન પ્રતિસલીનતા છે. છ બાહય તપથી આત્મગુણોમાં થતી પરયાપતિ: ૧. અનશનથી–અભયદાન, સર્વજીવો પ્રત્યે મૈત્રિભાવના, બ્રહ્મચર્ય સહાયક, વેદમોહનાં ઉદયનો અભાવ, ઉપશમ, અનમોહનો ત્યાગ, દેહિક મમતા પર વિજય. (બ્રમચર્યથી હાર્ટ મજબુત થાય છે,પથરી-કિડનીની બિમારી નથી થતી.) ૨. ઉણોદરીથી-ઈચ્છાઓ પર નિયંત્રણ, ઈન્દ્રીયો પર નિયંત્રણ, મનોબળની દૃઢતામાં વૃધ્ધિ. ૩. ભિક્ષા ચર્યાથી-મળે કે ના મળે બધામાં સમભાવની સાધના, મન વિજય, ભય વિજય(આહાર ન મળવાનો ભય નહિ), અંતરાય કર્મનો,ઉદીરણાથી ક્ષય થાય છે. ૪. રસપરિત્યાગથી–અનઆસકતિ ભાવની વૃધ્ધિ, અસાતા વેદનીય કર્મક્ષય થાય છે. ૫. કાયકલેશથી-સુખની ઈચ્છાનો ત્યાગ, દુખનો ભય નહિં, વ્રતને અનુકુળ શરીર બનવું, કષ્ટ સહેવાની શકતિ વધે છે. ૬. પ્રતિસલીનતાથી–ચિતની શાંતિ, એકાગ્રતા વધવી, અશુભ મનવચનકાયા નાં યોગથી પાછા વળવું. | (છ આત્યંતર ત૫) (૭) પ્રાયશ્ચિત તપઃ પ્રમાદથી, પરિસ્થિતિથી કે ઉદયાધીનતાથી લાગેલા દોષોની આલોચના આદિ કરવી, સરલતા, નમ્રતા લઘુતા યુક્ત થઈ પૂર્ણ શુદ્ધિ કરવી, યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત સ્વીકારી મિથ્યા દુષ્કૃત દેવું ઇત્યાદિ પ્રાયશ્ચિત્ત તપ છે. તેના પ્રકારઆલોચના(આલોયણા)–ગુરુ પાસે વિશુધ્ધિ માટે દોષો પ્રકટ કરવા, અથવા ભિક્ષા, ચંડીલ, ગમનાગમન, પ્રતિલેખન જેવા રોજનાં કાર્યમાં લાગેલાં દોષોની વિશુધ્ધિ માટે. જેના માટે સરલતા વિનમ્રતા, ગુરુ પર શ્રધ્ધા, શૂરવીરતા, નિર્ભયતા, અક્રોધ, અમાન, અમાયા, અલોભ જેવા ગુણોની જરૂર પડે છે. પ્રતિક્રમણ (ભાવપૂર્વક પાપથી પાછા હઠવું)-પાંચ સમિતી, ત્રણ ગુપ્તીમાં સહસાગારથી, ઉતાવળથી, આશ્ચર્યથી લાગેલા દોષોને માટે મિચ્છામી દુકડમ. ચિંતન પૂર્વક ખરા મનથી દોષોની નિંદા કરી પાછા હઠવું અને ફરી એ દોષો ન લાગે તે માટે સાવચેત રહેવું. પોતાની એ ક્રિયા અને ભાવોને માટે પશ્ચાતાપ કરવો. તદુભયા-આલોચના અને પ્રતિક્રમણ બેઉ સાથે. નિદ્રા અવસ્થામાં દુઃસ્વપ્નથી લાગેલા દોષો માટે ગુરુ પાસે મિચ્છામી દુકડમ લેવું. વિવેક(પરઠવા૨૫ ત્યાગ)- સચિત, અસુજતા આહારની જાણ થતાં પરઠવો. અજાણતા આવેલા આહાર માટે વિવેક છે. જાણતા લાવેલા માટે હજી બીજું પ્રાયચીત, વિવેક સાથે આવે છે. કાયોત્સર્ગ(સ્વાધ્યાય યુકત ત૫)-વિવશતાથી લાગેલા પરાઠવા આદિનાં દોષો માટે શરીરને સ્થિર રાખીને પ્રમાણ યુકત સ્વાધ્યાય સાથેનું તપ. તપ- જાણતાં, પ્રમાદથી, કષાયથી લાગેલા દોષો માટેનું અનશન આદિ રૂપ બાહય તપનું પ્રાયશચિત. (૮) વિનય ત૫ (ઈન્દ્રીય અને કાયાને જતનાથી પ્રવર્તાવવી)– વિનયનો સામાન્ય અર્થ નમ્રતા, વંદના, નમસ્કાર, આજ્ઞાપાલન, આદર કરવો, સન્માન કરવું, ભક્તિ સભર વ્યવહાર કરવો આ બધી પ્રવૃત્તિને વિનય તપ કહેવાય છે. કર્મોને દૂર કરવા માટે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરી ભક્તિ સભર વ્યવહાર કરવો. મન, વચન, કાયાને પ્રશસ્ત રાખી આત્માને કર્મબંધથી દૂર રાખી, અપ્રશસ્ત મન-વચનનો વ્યવહાર ન કરવો તે પણ વિનય છે. વિનયના ક્ષેત્રકાળ સંબંધી અનુષ્ઠાનોનું પાલન કરવું, કાયિક પ્રવૃત્તિઓ યતનાપૂર્વક કરવી, પ્રત્યેક પ્રાણી સાથે સવ્યવહાર કરવો ઇત્યાદિ પણ વિનયતા છે. વિનયના સાત પ્રકાર છે– જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાય, લોકોપચાર વિનય.
SR No.009130
Book TitleKathasar
Original Sutra AuthorN/A
AuthorJain Yuth Foram
PublisherJain Yuth Foram
Publication Year2013
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy