SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાર jain 179 (૧) આ સૂત્રમાં નિગ્રંથ પ્રવચન એટલે વીતરાગ ધર્મનું મહત્ત્વ બતાવ્યું છે. ૨૪ તીર્થકરોને તથા સમસ્ત શ્રમણ ગુણ યુક્ત મહાત્માઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. તેમજ પોતાની શ્રદ્ધા, સંયમની પ્રતિજ્ઞા તથા પ્રતિક્રમણ કરવામાં આવ્યું છે. (૨) આ વીતરાગ ધર્મ સત્ય, અનુત્તર, શ્રેષ્ઠ, હિતાવહ, મુક્તિદાતા તથા સમસ્ત દુઃખોથી છોડાવનાર છે. આ ધર્મના આચરણ તથા શ્રદ્ધામાં સ્થિત પ્રાણી એક દિવસ અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. (૩) તેથી આ ધર્મની અંતરમનથી સમજપૂર્વક શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરવી જોઈએ તથા લગનીપૂર્વક તેનું પાલન કરવું જોઈએ. હું પણ તેવું કરું છું. (૪) સૂત્રમાં પ્રતિજ્ઞા તેમજ પ્રતિક્રમણ યોગ્ય વર્ણિત સ્થાન- ૧. અસંયમ ત્યાગ- સંયમ ધારણ ૨. અબ્રહ્મચર્ય ત્યાગ–બ્રહ્મચર્ય ધારણ ૩. અકલ્પનીય ત્યાગ- કલ્પનીય આચરણ ૪. અજ્ઞાનત્યાગ-જ્ઞાન ધોરણ–વૃદ્ધિ ૫. અક્રિયા(અનુમ) ત્યાગ–ક્રિયા(ઉદ્યમ) ધારણ ૬. મિથ્યાત્વ ત્યાગ-સમ્યકત્વ ધારણ ૭. અબોધિ ત્યાગ–બોધિ ધારણ ૮. ઉન્માર્ગ ત્યાગ-સન્માર્ગ ગ્રહણ. જે પણ દોષ યાદ હોય કે યાદ ન હોય તે બધાનું પ્રતિક્રમણ કરું છું, તેમાંથી કોઈ પાપોનું પ્રતિક્રમણ પૂર્વ પાઠોના ઉચ્ચારણ ચિંતનમાં ન થઈ શકયું હોય, તેનું અહિંયા સમુચ્ચયરૂપે પુનઃ પ્રતિક્રમણ આ પાઠથી કરવામાં આવે છે. (૫) શ્રમણગુણ : જતના કરનાર, પાપોથી દૂર રહેનાર, ઇન્દ્રિયોને વશમાં રાખનાર, ભાવી ફળની ઇચ્છા-આકાંક્ષા ન કરનાર, સુદષ્ટિથી સંપન, કપટ પ્રપંચથી મુક્ત, આવા ગુણ સંપન્ન સાધુ અઢી દ્વીપના પંદર કર્મ ભૂમિ ક્ષેત્રોમાં હોય છે. આ શ્રમણો મુખ્યરૂપે મુખવસ્ત્રિકા, રજોહરણ, પૂંજણી, વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણોને રાખનાર હોય છે, મુખ્ય પાંચ મહાવ્રતોને ધારણ કરનાર હોય છે અને વિશાળ દષ્ટિએ જોતાં અઢાર હજાર શીલ–ગુણોને ધારણ કરવાવાળા નિર્દોષ પરિપૂર્ણ સંયમનું પાલન કરવાવાળા હોય છે. આવા ગુણોના ધારક સાધુને આ સૂત્રથી ભાવપૂર્વક વંદન કરવાની સાથે મસ્તક ઝુકાવીને વંદન પણ કરવામાં આવે છે. સર્વ જીવ ક્ષમાપના પાઠ:(૧) વ્રત શુદ્ધિરૂપ પ્રતિક્રમણની સાથે-સાથે હૃદયની પવિત્રતા, વિશાળતા અને સમભાવોની વૃદ્ધિ હેતુ ક્ષમાપના ભાવની પણ આત્મ પરમ આવશ્યકતા છે. તેથી પ્રતિક્રમણ અધ્યાયના સમસ્ત સૂત્રો પછી આ ક્ષમાપના સૂત્ર આપવામાં આવેલ છે. આ સૂત્રનું પાંચમા આવશ્યકના “કાયોત્સર્ગ'માં ચિંતન-મનન કરી આત્માને વિશેષ વિશુદ્ધ બનાવી શકાય છે. (૨) આત્માને વિશેષ શુદ્ધ કરવા માટે પૂર્ણ સરળતા અને શાંતિની સાથે, સમસ્ત પ્રાણીઓના અપરાધોને ઉદાર ચિંતન સાથે માફ કરી પોતાના મન-મસ્તિષ્કને તેમના પ્રત્યે પરમ શાંત અને પવિત્ર બનાવી લેવું જોઈએ. (૩) અહંભાવ દૂર કરી પોતાની નાની મોટી દરેક ભૂલોનું સ્મરણ કરી, સ્વીકાર કરી, તેનાથી સંબંધિત આત્માઓની સાથે લઘુતાપૂર્વક(નમ્રતાપુર્વક) ક્ષમા યાચના કરી, તેમના હૃદયને શાંત કરવાનો પોતાનો ઉપક્રમ(પ્રયત્નો કરી લેવો જોઈએ. (૪) આપણી મનોદશા એવી બની જવી જોઈએ કે જગતના સમસ્ત પ્રાણીઓની સાથે મારી મૈત્રી જ છે, કોઈની પણ સાથે અમૈત્રી કે વેર વિરોધ ભાવ નથી. જે પણ કોઈ વેર ભાવ ક્ષણિક બની ગયેલ હોય તેને દૂર કરી ભૂલાવી દેવો જોઈએ અને સમભાવ દ્વારા માનસમાં મૈત્રીભાવ સ્થાપિત કરી દેવો જોઈએ. આ રીતે પ્રસ્તુત પાઠમાં સમસ્ત આત્મ દોષોની આલોચના, નિંદા, ગહ, આદિ સમ્યક પ્રકારે કરવાનું સૂચન છે. તેમજ મન, વચન અને કાયાના પ્રતિક્રમણનો ઉપસંહાર કરતાં થકાં અંતમાં ૨૪ તીર્થકરોને વંદન કરવામાં આવેલ છે. પાંચમો આવશ્યક(અધ્યયન) કાયોત્સર્ગ પ્રતિજ્ઞા સૂત્ર:(૧) આ સૂત્ર તસ્સ ઉત્તરી કરણેણં શબ્દથી શરૂ થાય છે, તેથી તેને તસ્સઉત્તરીનો પાઠ પણ કહેવામાં આવે છે. પ્રત્યેક કાયોત્સર્ગ પહેલાં આ સૂત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. તેથી આ કાયોત્સર્ગ પ્રતિજ્ઞા સૂત્ર છે. (૨) કાયોત્સર્ગ એક આત્યંતર તપ છે. આત્માને શ્રેષ્ઠ–ઉન્નત બનાવવા માટે, અકૃત્યોના પ્રાયશ્ચિત કરવા માટે, આત્માને વિશુદ્ધ અને દોષ રહિત બનાવવા માટે, આત્મ ચિંતન કરવા માટે તથા પાપ કર્મોનો વિશેષ ક્ષય કરવા માટે કાયોત્સર્ગ કરવામાં આવે છે. આમાં કાયાના સંચારનો ત્યાગ કરવામાં આવે છે, સ્થિર રહેવામાં આવે છે, તો પણ સ્વાભાવિક અનેક કાયિક પ્રક્રિયાઓ અને કાયિકવેગ રોકી શકાતા નથી, તેનો આગાર પણ કાયોત્સર્ગમાં રહે છે. (૩) તે આગાર આ પ્રમાણે છે- ૧. શ્વાસ લેવો ૨. શ્વાસ છોડવો ૩. ખાંસી ૪. છીંક પ. બગાસું ૬. ઓડકાર ૭. વાયુ નિસર્ગ ૮. ચક્કર આવવા ૯. મૂચ્છ આવવી ૧૦. સૂક્ષ્મ અંગ સંચાર ૧૧. સૂક્ષ્મ ખેલ-કફ સંચાર ૧૨. સૂક્ષ્મ દષ્ટિ સંચાર.. (૪) આવી ઉપરોક્ત શારીરિક આવશ્યક પ્રક્રિયાથી કાયાનો સંચાર થવા છતાં પણ કાયોત્સર્ગની મર્યાદાનો ભંગ થતો નથી, કાયોત્સર્ગની વિરાધના થતી નથી. (૫) અન્ય કોઈ પણ આત્મિક ચંચળતા, અસ્થિરતાને કારણે કાયિક સંચાર કરવાથી કાયોત્સર્ગની મર્યાદાનો ભંગ થઈ જાય છે. (૬) કાયોત્સર્ગમાં કાયાને સ્થિર રાખવામાં આવે છે, વચનથી પૂર્ણ મૌન રહેવામાં આવે છે તથા ચિંતન-મનન પણ લક્ષિત વિષયમાં જ કેન્દ્રિત કરવામાં આવે છે અર્થાત્ જે લક્ષ્યથી કાયોત્સર્ગ કરવામાં આવે છે, તેમાં જ ચિત્તને એકાગ્ર કરવામાં આવે છે. જ્યારે ચિંતનનું કોઈ પણ પ્રકારનું લક્ષ્ય ન હોય ત્યારે શુદ્ધ અર્થાત્ વિકલ્પ કે ચિંતન રહિત, નિર્વિકલ્પ કાયોત્સર્ગ કરવામાં આવે છે, તેમાં પૂર્ણ યોગ વ્યુત્સર્જન કરવામાં આવે છે. (૭) કાયોત્સર્ગનો વિષય કે સમય પૂર્ણ થવા પર 'નમો અરિહંતાણં' શબ્દના ઉચ્ચારણ કે સ્મરણ સાથે તેને પૂર્ણ કરવામાં આવે છે, સમાપ્ત કરવામાં આવે છે અર્થાત્ કાયોત્સર્ગ પાળવામાં આવે છે. (૮) પ્રતિક્રમણમાં મુખ્ય રૂપે બે કાયોત્સર્ગ હોય છે– ૧. અતિચાર ચિંતન ૨. તપ ચિંતન અથવા ક્ષમાપના ચિંતન. અતિચાર ચિંતન- ભૂતકાળ સંબંધી. ક્ષમાપના ચિંતન- વર્તમાનકાળ સંબંધી(કષાયભાવોથી નિવૃતિ) તપ ચિંતન – ભવિષ્યકાળ સંબંધી
SR No.009130
Book TitleKathasar
Original Sutra AuthorN/A
AuthorJain Yuth Foram
PublisherJain Yuth Foram
Publication Year2013
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy