________________
કથાસાર
jain
161 ૧. અચ્છવી- યોગ નિરોધ અવસ્થામાં છવી અર્થાત્ શરીરભાવ ન હોય તે અચ્છવી. અપી- ઘાતકર્મનો ક્ષય કર્યા પછી તેમાં કાંઈ પણ ખાસ પણ શેષ નથી, તે અક્ષપી છે. ૨. અસબલે– સંપૂર્ણ દોષ રહિત અવસ્થા. ૩. અકમ્મસે– ઘાતકર્મના અંશથી રહિત હોય તે અકર્માશ. ૪. સંસુદ્ધ પાણ- દંસણ ધરે- વિશુદ્ધ જ્ઞાન-દર્શનના ધારક. ૫. અપરિસ્સાવી- કર્મબંધના આશ્રવથી રહિત હોય તે અપરિશ્રાવી છે. ચૌદમા ગુણસ્થાને સાધક અયોગી, નિષ્ક્રિય, બની જાય છે ત્યારે કર્મનો આશ્રવ અટકી જાય છે. આ રીતે આ પાંચે ય અવસ્થા, ભેદ રૂપ નથી પરંતુ “શક્ર–પુરંદર' આદિની જેમ શબ્દ નયની અપેક્ષા પાંચ ભેદ સમજવા. [નોંધ:- (૧) પાંચ પ્રકારના સંયમ(સંજયા)ની પરિભાષા સ્વરૂપ ભગવતી સૂત્રના સારાંશમાં કરેલ છે (૨) પ્રસ્તુતમાં નિગ્રંથોનું
સ્વરૂપ ગુરુપ્રાણ આગમનાં આધારે આપેલ છે જે બુદ્ધિ ગમ્ય છે. ટીકાઓમાં અને અન્ય સંસ્કરણોમાં કંઈક ભિન્નતા જોવા મળશે, તેનું | વિદ્વાન પાઠક સ્વયં ચિંતન કરશે.].
નિગ્રંથ સ્વરૂપ સંપૂર્ણ
નિગ્રંથ નિગ્રંથીઓના આત્મ નિરીક્ષણની પરિજ્ઞા [પાસત્કાદિ સ્વરૂપ વિચારણા] સાધુ-સાધ્વીઓની ગતિવિધિનું ચિત્રણ:(૧) સંયમ સ્વીકાર કર્યા પછી નિગ્રંથ બે દિશાઓમાં પ્રગતિ કરે છે. કેટલાક સાધક સંયમ આરાધનામાં પ્રગતિશીલ હોય છે, જ્યારે અનેક સાધક સંયમ વિરાધનામાં ગતિશીલ હોય છે. (૨) સંયમ આરાધનામાં પ્રગતિશીલ કેટલાય ભિક્ષ પોતાની અથવા પોતાના ગચ્છની પ્રશંસા અને ઉત્કર્ષ કરતાં થકા તથા અન્ય જિન વચનમાં અનુરક્ત સામાન્ય સંયમ સાધકોના અપકર્ષ-નિંદા કરવા અને સાંભળવામાં રસ લઈને માન કષાયના સૂક્ષમ શલ્યથી આત્મ સંયમની અન્ય પ્રકારે વિરાધના કરતા રહે છે. (૩) એથી વિપરીત આરાધનામાં પ્રગતિશીલ કેટલાક સાધક સ્વયં ઊંચાને ઊંચા સંયમ તપનું પાલન કરતાં થકા પરીષહ–ઉપસર્ગ સહન કરે છે, સાથો સાથ અલ્પસત્વ સંયમ સાધકો પ્રત્યે હીણી દષ્ટિ રાખતા નથી, તેમજ તેઓની નિંદા- અપકર્ષ પણ કરતા નથી. પરંતુ તેના પ્રત્યે મૈત્રી ભાવ, કરુણા ભાવ, માધ્યસ્થ ભાવ આદિથી સહૃદયતા અને ઉચ્ચ માનવતા પૂર્વકનો અંતર્બાહા વ્યવહાર રાખે છે. તે ઉત્તમ આરાધના કરવાવાળા મહાન આદર્શ સાધક હોય છે. (૪) સંયમ વિરાધનામાં ગતિશીલ સાધક આપમેળે અથવા ગાડરિયા પ્રવાહના સ્વભાવથી આગમ સમ્મત સંયમ સમાચારીથી ભિન્ન અથવા વિપરીત આચરણોને એક–એક કરીને સ્વીકારતા જાય છે. એમ કરતાં કરતાં સંયમ અંગીકાર કરવાના મુખ્ય લક્ષ્યથી ક્રમશઃ
ત થતા જાય છે. (૫) વિરાધનામાં પ્રગતિશીલ કેટલાય સાધક અન્ય આરાધક સાધકો પ્રત્યે આદરભાવ રાખે છે અને તેઓની આરાધનાઓની અનુમોદના કરતા રહે છે તેમજ પોતાની અલ્પતમ અને દોષયુક્ત સાધના માટે ખેદ ભાવ રાખે છે અને આગમોક્ત આચારની શુદ્ધ પ્રરુપણા કરે છે. (૬) એ સિવાય વિરાધનામાં પ્રગતિશીલ કેટલાય સંયમ સાધક ક્ષેત્ર કાળની આડ લઈને આગમોક્ત મર્યાદાઓનું ખંડન કરે છે, અન્ય સંયમ આરાધક સાધકો પ્રત્યે આદરભાવ ન રાખતા મત્સરભાવ(ઈષ) રાખે છે તેમજ પોતાના બુદ્ધિ બળ અથવા ઋદ્ધિ બળથી તેઓ પ્રત્યે નિંદા આદિ પ્રકારોથી અસદ્ભાવ પ્રગટ કરે છે, અર્થાત્ શુદ્ધ આરાધના કરવાવાળા પ્રત્યે ગુણગ્રાહી ન બનતાં છિદ્રાન્વેષી બની રહે છે.
એ બધા આરાધક અને વિરાધક સાધકોએ પ્રસ્તુત નિબંધ રુપ દર્પણમાં આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આગમોમાં સાધકોના બે વિભાગ:(૧) જૈન આગમ ભગવતી સૂત્રમાં ઉત્તમ સાધક, શુદ્ધાચારી સાધુઓનો નિગ્રંથના વિભાગમાં સમાવેશ કરેલ છે. વર્તમાનમાં તે છ પ્રકારમાંથી ત્રણ નિગ્રંથ વિભાગના સાધુ હોઈ શકે છે. (૨) અનેક આગમો (જ્ઞાતા સૂત્ર, નિશીથ સૂત્ર, વ્યવહાર સૂત્ર આદિ) માં શિથિલાચારી સામાન્ય સાધકોના અનેક પ્રકાર કહ્યા છે. તે સર્વ મળીને કુલ દશ થાય છે. વર્તમાનમાં એ દશેય શિથિલાચારી વિભાગના શ્રમણો હોઈ શકે છે. એ બન્ને વિભાગોનો પરિચય આ પ્રમાણે છેવર્તમાનમાં સંભવિત નિગ્રંથોના ત્રણ વિભાગ:(૧) બકુશ નિગ્રંથ – સંયમ સમાચારીના આગમિક મુખ્ય તેમજ ગૌણ પ્રાયઃ સર્વ નિયમોનું પાલન કરવા છતાં પણ આ નિગ્રંથોનું શરીર અને ઉપધિની સ્વચ્છતા તરફ વિશેષ લક્ષ્ય થઈ જાય છે. શરીર પ્રત્યે નિર્મોહ ભાવ પણ ઘટી જાય છે. જેથી તે તપ, સ્વાધ્યાય આદિમાં વધારો નહિ કરતાં ખાન-પાનમાં આસક્તિ, ઔષધ સેવનમાં રુચિ અને આળસ-નિદ્રામાં વૃદ્ધિ કરે છે, સાથો સાથ આ નિગ્રંથની અનેક સંયમ ગણોના વિકાસમાં જાગરૂકતા ઓછી થઈ જાય છે.
તે ઉપરાંત અન્ય પણ સંયમ સમાચારીના નિયમોનો ભંગ કરવાથી અથવા તેના પ્રત્યે ઉપેક્ષાભાવ રાખવાથી આ સાધક ક્રમશઃ નિગ્રંથ વિભાગથી ટ્યુત થઈ જાય છે. કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ અશુભ લેશ્યાના પરિણામ આવવાથી તો આ સાધક નિગ્રંથ વિભાગમાંથી તત્કાલ(તેજ ક્ષણે) ગબડી પડે છે. અર્થાત્ તેનામાં નિગ્રંથ વિભાગનું છઠું સાતમું આદિ ગુણસ્થાન રહેતા નથી, ત્યારે તે શિથિલાચારી વિભાગના ‘પાસત્થા' આદિમાં પહોંચી જાય છે. (૨) પ્રતિસેવના કુશીલ નિગ્રંથ – સંયમ સમાચારીનું આગમ અનુસાર પાલન કરવાની રુચિની સાથે સાથે પ્રયત્ન કરવા છતાં પણ શારીરિક પરિસ્થિતિવશ યા શ્રુત જ્ઞાનની અભિવૃદ્ધિ માટે અને અંધહિત માટે, સમયે-સમયે મૂલગુણમાં અથવા ઉત્તરગુણોમાં દોષનું