SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ-કથાઓ 160 યથાસૂમ પ્રતિસેવના કુશીલ – પૂર્વોક્ત ચાર કારણ સિવાય અન્ય કારણે અર્થાતુ પૌદ્ગલિક સુખની લાલસાથી, કષ્ટ સહન ન થવાથી, ઇચ્છાપૂર્તિ માટે, માનાદિ કષાયોના પોષણ માટે અથવા કોઈના દબાણથી મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષસેવન કરે, તે યથાસૂમ પ્રતિસેવના કુશીલ છે. આ રીતે પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ, તે ત્રણે નિયંઠા પ્રતિસેવી છે, દોષ સેવી છે, તેમાં છઠું અને સાતમું બે જ ગુણસ્થાન હોય છે, શેષ ત્રણ નિયંઠા અપ્રતિસેવી છે. પુલાકમાં એક છઠ્ઠ ગુણસ્થાન જ હોય છે. (૪) કષાય કુશીલ – સંજવલન કષાયના પ્રગટ કે અપ્રગટ ઉદયથી જેનું ચારિત્ર કંઈક અંશે મલિન બને છે તેને કષાય કુશીલ કહે છે. તે નિગ્રંથ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિમાં કિંચિત્ પણ અતિચાર કે અનાચાર રૂપ દોષ સેવન કરતા નથી. સંયમ પ્રાપ્તિના સમયે અવશ્ય કષાય કુશીલ નિગ્રંથપણું જ હોય છે. બીજા નિયંઠા ત્યાર પછી પ્રાપ્ત થાય છે. સાધક જીવનમાં ક્યારેક કોઈપણ નિમિત્તથી કષાયનો ઉદય થાય પરંતુ તે તુરંત જ ઉપશાંત થઈ જાય તો જ કષાય કુશીલ નિગ્રંથપણું રહે છે. જો કષાયની કાલમર્યાદા વધી જાય તો કષાય કુશીલપણું રહેતું નથી. આ નિગ્રંથમાં ૬,૭,૮,૯,૧૦ આ પાંચ ગુણસ્થાન હોય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં કષાયનો ઉદય પ્રગટ જણાય છે. પરંતુ સાતમાથી દશમા ગુણસ્થાન સુધી અપ્રગટપણે કષાયનો ઉદય હોય છે. આ નિગ્રંથના પણ પાંચ પ્રકાર છે. જ્ઞાન કષાય કુશીલ:– જ્ઞાન ભણતા કે જ્ઞાન પ્રેરણા, પ્રચારાદિ કાર્ય કરતાં પ્રમત્ત દશાના કારણે સંજ્વલન કષાયની પ્રગટ અવસ્થા આવી જાય તો તેને જ્ઞાનકષાય કુશીલ કહે છે. દર્શન કષાય કુશીલ - દર્શન–શ્રદ્ધાગમ્ય વિષયોને સમજવા, સમજાવવામાં ક્યારેક પ્રગટ કષાયનો ઉદય થઈ જાય તેને દર્શન કષાય કુશીલ કહે છે. ચારિત્ર કષાય કુશીલ - ચારિત્રનું પાલન કરતા, કરાવતા અથવા વૈયાવચ્ચ આદિ કરતાં, પ્રમાદવશ પ્રગટ કષાયનો ઉદય થઇ જાય તો તેને ચારિત્રકષાય કુશીલ કહે છે. લિંગ કષાય કુશીલ - શુદ્ધ લિંગ, વેષભૂષા, ઉપકરણાદિના નિમિત્તે પ્રમાદવશ સંજ્વલન કષાયનો પ્રગટ ઉદય થાય, તેને લિંગ કષાય કુશીલ કહે છે. યથાસૂક્ષ્મ કષાય કુશીલ – પૂર્વોક્ત ચાર કારણ સિવાય અપ્રગટરૂપે અને ક્યારેક પ્રગટરૂપે કષાયનો ઉદય થઈ જાય. જેમ કે ઇચ્છા કે આજ્ઞા વિરુદ્ધ કાર્ય થવાથી, અનુકૂળ વાતાવરણ ન હોવાથી, કોઈની ક્ષતિ સહન ન થવાથી કષાય થઈ જાય, તેને યથાસૂમકષાય કુશીલ કહે છે. આ નિગ્રંથનો કષાય જો સંજ્વલનની કોટિથી વધી જાય તો તે અન્ય નિગ્રંથપણાને અથવા અસંયમ ભાવને પ્રાપ્ત કરે છે. (૫) નિગ્રંથ :- રાગદ્વેષની ગ્રંથિથી સર્વથા રહિત હોય તેને નિગ્રંથ કહે છે. અહીં ૧૧મા,૧૨માં ગુણસ્થાનવર્તી વીતરાગ સાધકને | નિગ્રંથ કહ્યા છે. તેમાં કોઈ પણ પ્રકારના દોષસેવન કે કષાયના ઉદયની સંભાવના નથી. તે સાધક કષાયનો ઉદય ન હોવાથી વીતરાગ અને જ્ઞાનાવરણીયાદિ શેષ ઘાતકર્મનો ઉદય હોવાથી તે છાસ્થ હોય છે અર્થાત્ છઘસ્થ વીતરાગને નિગ્રંથ કહે છે. પૂર્વના ચાર નિગ્રંથોના પાંચ-પાંચ ભેદની શૈલીનું અનુકરણ કરીને સૂત્રકારે નિગ્રંથના પણ પાંચ ભેદ કર્યા છે. તેના ભેદનું કારણ દોષસેવન કે કષાયાદિ નથી. તેમ છતાં આ નિગ્રંથાવસ્થા અશાશ્વત છે. તેથી સર્વનિગ્રંથોની અપેક્ષાએ તેના પાંચ પ્રકાર થાય છે. પ્રથમ સમયવર્તી નિગ્રંથ :- ક્યારેક આખા લોકમાં એક પણ નિગ્રંથ ન હોય અને નવા જે શ્રમણો નિગ્રંથ અવસ્થાને પ્રાપ્ત કરે તે સર્વ પ્રથમ સમયવર્તી નિગ્રંથો હોય છે. અપ્રથમ સમયવર્તી નિગ્રંથ :- ક્યારેક નવા કોઈ પણ સાધુ નિગ્રંથપણાને પ્રાપ્ત કરતા ન હોય તો, તે સર્વનિગ્રંથો અપ્રથમસમય વર્તી જ હોય છે. ચરમ સમયવર્તી નિગ્રંથ: ક્યારેક સર્વ નિગ્રંથો ચરમ સમયવર્તી જ હોય છે, તે સર્વની છઘસ્થ અવસ્થાનો ચરમ સમય હોય તે ચરમ સમયવર્તી નિગ્રંથ છે. અચરમસમયવર્તી નિગ્રંથ ક્યારેક સર્વ નિગ્રંથો અચરમ સમયવર્તી જ હોય છે. સર્વની છવસ્થાવસ્થાને બે, ત્રણ, ચાર, પાંચાદિ સમય શેષ રહ્યા હોય, તે અચરમ સમયવર્તી નિગ્રંથ છે. પ્રથમ અને અપ્રથમનું કથન પૂર્વાનુપૂર્વાની અપેક્ષાએ છે અને ચરમ-અચરમનું કથન પશ્ચાનુપૂર્વાની અપેક્ષાએ છે. યથાસૂક્ષ્મ નિગ્રંથ – પ્રથમ–અપ્રથમ, ચરમ કે અચરમ સમયની અપેક્ષા રાખ્યા વિના સામાન્યરૂપે સર્વ સમયમાં વર્તતા નિગ્રંથોને યથાસૂક્ષ્મનિગ્રંથ કહે છે. તેમાં કેટલાક પ્રથમ સમયવર્તી હોય, કેટલાક અપ્રથમસમયવર્તી હોય. આ રીતે દ્વિસંયોગી આદિ ભંગ બની શકે છે. બીજી રીતે નિગ્રંથના પાંચ પ્રકાર આ પ્રમાણે સમજવા- (૧) નિગ્રંથ અવસ્થાના પ્રથમ સમયવર્તી સર્વ નિગ્રંથોને પ્રથમ સમયવર્તી નિગ્રંથ (૨) બીજા આદિ સમયવર્તી નિગ્રંથોને અપ્રથમ સમયવર્તી નિગ્રંથ (૩) અંતિમ સમયવર્તી નિગ્રંથોને ચરમ સમયવર્તી નિગ્રંથ (૪) અંતિમ સમય સિવાયના નિગ્રંથોને અચરમ સમયવર્તી નિગ્રંથ અને (૫) નિગ્રંથ અવસ્થાના કોઈ પણ સમયવર્તી નિગ્રંથોને યથાસૂક્ષ્મ નિગ્રંથ કહે છે. નિગ્રંથના બે પ્રકાર છે- ઉપશાંતકષાય નિગ્રંથ અને ક્ષીણકષાય નિગ્રંથ. અગિયારમા ગુણસ્થાનવર્સી નિગ્રંથ ઉપશાંત કષાય નિગ્રંથ છે અને બારમા ગુણસ્થાનવર્તી નિગ્રંથ ક્ષણ કષાય નિગ્રંથ છે. (૬) સ્નાતક :- પૂર્ણતઃ શુદ્ધ, અખંડ ચારિત્રસંપન્ન નિગ્રંથને સ્નાતક કહે છે. તે ચાર ઘાતકર્મના નાશથી કેવળજ્ઞાન અને કેવળદર્શનથી યુક્ત હોય છે. તેમાં તેરમું અને ચૌદમું બે ગુણસ્થાન હોય છે. આ પ્રકારના નિગ્રંથમાં ભેદનું કોઈ કારણ નથી. તેમજ આ ગુણસ્થાન પણ શાશ્વત છે. તેના સંયમ સ્થાનો, આત્મગુણો-જ્ઞાન, દર્શન પણ સમાન છે. તેમ છતાં પાંચ પ્રકારના ભેદની શૈલીનું અનુકરણ કરીને સૂત્રકારે તેના પાંચ ભેદનું કથન કર્યું છે. સૂત્ર કથિત સ્નાતકના પાંચ ભેદો તેના પાંચ ગુણોને પ્રગટ કરે છે.
SR No.009130
Book TitleKathasar
Original Sutra AuthorN/A
AuthorJain Yuth Foram
PublisherJain Yuth Foram
Publication Year2013
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy