________________
આગમ-કથાઓ
156
૩. માયાપ્રત્યયા— ક્રોધ, માન, માયા, લોભ, કરવાથી અથવા તેના ઉદયથી.
૪. અપ્રત્યાખ્યાનિકી– પદાર્થોનો અથવા પાપોનો ત્યાગ ન કરવાથી.
૫. મિથ્યાત્વ– ખોટી માન્યતા તેમજ ખોટી શ્રદ્ધા, પ્રરૂપણાથી. – ભગવતી સૂત્ર, ઠાણાંગ સૂત્ર
દૃષ્ટિજા આદિ આઠ ક્રિયા ઃ
=
૧. દષ્ટિજા– કોઈપણ પદાર્થને જોવાથી.
૨. સ્પર્શજા– કોઈપણ ચીજનો સ્પર્શ કરવાથી.
૩. નિમિત્તિકી– કોઈ વસ્તુ અથવા વ્યક્તિના સંબંધમાં વિચારવા, બોલવાથી અથવા સહયોગ કરવાથી. ૪. સામાન્તોપનિપાતિકી– પ્રશંસાની ઇચ્છાથી અથવા પ્રશંસા કરવાથી.
૫. સ્વહસ્તિકી– પોતાના હાથથી કાર્ય કરવાથી. ૬. નેસૃષ્ટિકી– કોઈ પણ વસ્તુ ફેંકવાથી.
૭. આજ્ઞાપનિકી– કોઈ પણ કાર્યની આજ્ઞા દેવાથી. ૮. વિદારણી– કોઈ વસ્તુને ફાડવા–તોડવાથી. –ઠાણાંગ સૂત્ર. અનાભોગ આદિ સાત ક્રિયા ઃ–
૧. અણાભોગ– અજાણપણે પાપ પ્રવૃત્તિ થવાથી. ૩. રાગ પ્રત્યયા– કોઈ પર રાગ ભાવ કરવાથી.
૨. અનવકાંક્ષા— ઉપેક્ષાથી, બેપરવાહ વૃત્તિથી. ૪. દ્વેષ પ્રત્યયા– કોઈપર દ્વેષ ભાવ કરવાથી.
૫. પ્રયોગ–પ્રત્યયા– મન, વચન, કાયાની પ્રવૃત્તિઓથી. ૬. સામુદાનિકી− સામુહિક પ્રવૃત્તિઓથી તેમજ ચિંતનથી. ૭. ઈર્યાપથિકી− વીતરાગી ભગવાનને યોગ પ્રવૃત્તિથી. આ ૫+૫+૮+9 ઊ પચ્ચીસ ક્રિયાઓમાં સૂક્ષ્મ, કરવામાં આવ્યો છે.
–ઠાણાંગ સૂત્ર
અતિસૂક્ષ્મ તેમજ વિભિન્ન પ્રકારની સ્કૂલ બધી ક્રિયાઓનો સમાવેશ
વીતરાગી મનુષ્યોને પોતાની સમસ્ત પ્રવૃત્તિઓમાં ફક્ત ૨૫મી ક્રિયાજ લાગે છે બાકી સંસારી જીવોને ઉ૫૨ કહેલ ૨૪ ક્રિયાઓમાંથી કોઈપણ ક્રિયા લાગતી રહે છે. આ ક્રિયાઓથી હીનાધિક વિભિન્ન માત્રામાં જીવ કર્મબંધ કરે છે એવું જાણીને બનતી કોશિશે આનાથી બચવાનો મોક્ષાર્થીએ પૂરો પ્રયત્ન કરવો જોઈએ.
શ્રાવકના ૨૧ ગુણો : ચાર પ્રકારે
પ્રથમ પ્રકારે : ૨૧ આદર્શ ગુણો :
=
શ્રાવકે સામાન્ય કક્ષામાં પણ નિરંતર પ્રગતિશીલ રહેવું જોઈએ તેમજ આ વિશિષ્ટ ગુણોની ઉપલબ્ધિ કરવી જોઈએ. (૧) જીવ અજીવનું જાણકાર થવું. (૨) પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષના સાચા સ્વરૂપનું જ્ઞાતા એટલે જાણકાર થવું. (૩) કર્મબંધ કરાવવાવાળી પચીસ ક્રિયાઓના જાણકાર થવું. (૪) ૧૪ નિયમ(૨૩ નિયમ) હંમેશાં ધારણ કરવા. ત્રણ મનોરથનું હંમેશાં ચિંતન કરવું. (૫) સૂતાને ઉઠતાં સમયે ધર્મ જાગરણ કરે અર્થાત્ આત્મ વિકાસનું ચિંતન કરે. (૬) દઢધર્મી ને પ્રિયધર્મી એવા બને કે તેને દેવપણ ધર્મથી ડગાવી ન શકે. (૭)જીવનમાં દેવ-સહાયતાની આશા ન રાખે,દેવી દેવતાની માનતા ન કરે (૮) પોતાના સિદ્ધાંતમાં કોવિદ યાને પંડિત બને. (૯) દર મહિને ૬-૬ પૌષધ કરે. (૧૦) સમાજમાં પૂર્ણ વિશ્વાસ પાત્ર બનવું તેમજ પ્રતિષ્ઠિત જીવન બનાવવું. (૧૧) તપ તેમજ ક્ષમાની શક્તિનો વિકાશ કરે. (૧૨) દાન શીલના આચરણમાં દરરોજ પ્રગતિ કરે. સંપત્તિનો થોડોક હિસ્સો અનુકંપા દાન આદિમાં વાપરે. (૧૩) કોઈપણ ભિખારી યાચક ને ખાલી ન જવા દે. (૧૪) ગામમાં બિરાજીત સંત સતીજીઓના દર્શન, વંદન આદિ પ્રવૃત્તિ માટે સમય નક્કી કરી રાખવો.
(૧૫) આહાર, વસ્ત્ર, મકાન, પાટ, પાત્ર ઔષધ આદિ પદાર્થોનું સુપાત્ર દાન દેવાની ભાવના ભાવવી તેમજ તે સંબંધી નિર્દોષતાનો વિવેક રાખવો. (૧૬) ગંભીર અને સહિષ્ણુ બનવાનો પ્રયત્ન કરે. (૧૭) વ્યાપારને ઘટાડે, સાંસારિક પ્રવૃત્તિઓથી ક્રમશઃ નિવૃત્ત થવાનો પ્રયત્ન કરે. (૧૮) ઉદાસીન વૃત્તિની, વૈરાગ્યની તેમજ ત્યાગ પચ્ચક્ખાણની વૃદ્ધિ કરે.
(૧૯) ૧. રાત્રિ ભોજનનો સર્વથા ત્યાગ કરે, ૨. જમીનકંદ– અનંતકાય આદિનો સર્વથા ત્યાગ કરે, ૩. સચિતનો સર્વથા ત્યાગ કરે, ૪. કર્માદાનનો સર્વથા ત્યાગ કરે, તેમજ ૫. મિથ્યાત્વમય પ્રવૃત્તિનો ત્યાગ કરે. આ પાંચ પચ્ચક્ખાણ કરવા માટે શ્રાવકે હંમેશા પ્રયત્નશીલ બનવું જોઈએ.
(૨૦) નિવૃત્તિમય સાધનાનો અવસર પ્રાપ્ત કરીને આનંદાદિ શ્રાવકની જેમ પૌષધશાળામાં રહીને શ્રાવક પ્રતિમાઓની આરાધના કરે. અવસર પ્રાપ્ત થવા પર સંયમ ગ્રહણ કરવાની તૈયારી રાખે.
(૨૧) ત્રીજા મનોરથને પૂર્ણ કરવાનો અવસર જાણીને સાવધાની પૂર્વક સ્વતઃ સંથારાનો, પંડિત મરણનો સ્વીકાર કરે.
દ્વિતીય પ્રકારે : ૨૧ ગુણો ઃ
:
૧. શ્રાવક નવ તત્ત્વ, ૨૫ ક્રિયાના જાણકાર હોય. ૨. ધર્મની કરણીમાં કોઈની સહાય વાંછે નહી.
૩. કોઈના દ્વારા ચલાયમાન કરવા છતાં ધર્મથી ચલિત થાય નહીં. ૪. જિનધર્મમાં શંકા, કાંક્ષા, વિતિગિચ્છા કરે નહીં.
૫. લક્રિયદા, ગહિયદા, પુચ્છિયદા, વિણિચ્છિયદા હોય, જે સૂત્ર-અર્થરૂપ જ્ઞાનને ધારણ કર્યું છે તેનો નિર્ણય કરે, પ્રમાદ કરે નહીં.
૬. હાડ–હાડની મજ્જામાં ધર્મના રંગથી રંગાયમાન રહે. ૭. મારૂં આયુષ્ય અસ્થિર છે જિનધર્મ સાર છે, એવી ચિંતવના કરે.
૮. સ્ફટિક રત્ન જેવા નિર્મળ રહે, ફૂડ-કપટ રાખે નહિ. ૯. ઘરના દરવાજા દાન માટે સદાય ખુલ્લા રાખે.
૧૦. મહિનામાં છ–છ પૌષધ કરે બે આઠમ, બે ચૌદસ, બે પાખી.
૧૧. શ્રાવકજી રાજાનાં અંતઃપુરમાં, રાજાના ભંડારમાં કે સાહુકારની દુકાનમાં જાય તો પ્રતીતકારી હોય.
૧૨. ગ્રહણ કરેલા વ્રત પ્રત્યાખ્યાન નિર્મળ પાળે, દોષ લગાડે નહીં. ૧૩. ચૌદ પ્રકારના નિર્દોષ પદાર્થ સાધુ-સાધ્વીને વહોરાવે. ૧૪. ધર્મનો ઉપદેશ આપે, પ્રમાદ કરે નહીં. ૧૫. શ્રાવકજી સદા ત્રણ મનોરથનું ચિંતન કરે, પ્રમાદ કરે નહીં.