SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ jain વીજળીના બટન નંગ ચોકા ૧૮ પંખા-પુઠ્ઠા આદિ ૧૯ લીલા—શાકભાજી, ફળ બીજાને માટે ૨૦ રાત્રિ ભોજન (૧) ટાઈમથી (૨) સંખ્યાથી ૨૧ અસિ ઃ સોયઆદિ તલવાર આદિ ૨૨ મસિ–પેન આદિ સાધન ૨૩ કૃષિ : (૧) ખેતર વીઘા (૨) વ્યાપાર જાતિ 155 ૧૦ ઉપરાંત ત્યાગ ૧૦ ઉપરાંત ત્યાગ ૫ ઉપરાંત ત્યાગ ૧૦ ૧૦ ૫ ૧૦ ૫ ત્યાગ અથવા X ૧૦ વાગ્યા પછી ત્યાગ ૧૦ વાગે સુધી ૨ વાર ઉપરાંત ત્યાગ ૨ વાર ૫ ઉપરાંત ત્યાગ ૫ X ૧૦ ઉપરાંત ત્યાગ ૫ ઉપરાંત ત્યાગ ત્યાગ ૧૦ ઉપરાંત ત્યાગ ત્યાગ ૨ ઉપરાંત ત્યાગ ૨ (૩) પરિગ્રહ ઘર ઉપયોગ–૫૦ હજાર ઉપરાંત ત્યાગ ૫૦ હજાર ૨૪ ઉ૫ક૨ણ(ઉપયોગી વસ્તુઓ)-૩૫ઉપરાંતત્યાગ ૩૫ ૨૫ નવા આભૂષણ જાતિ અથવા નંગ ૫ ઉપરાંત ત્યાગ (૫) પ્રશ્ન : આ નિયમ તો ૨૫ છે તો પછી તેને ૧૪ નિયમ શા માટે કહે છે ? ૧૦ X નવ તત્ત્વ ઃ પચ્ચીસ ક્રિયા : ઉત્તર : શ્રાવકના દશમા વ્રતના પાઠમાં ‘દ્રવ્ય આદિ' કહ્યું છે. ૧૪ આદિ સંખ્યા કહી નથી. પરંપરાથી ૧૪ સંખ્યા પ્રચલિત થઈ ગઈ છે. તેથી ૧૪ નિયમના નામથી પ્રસિદ્ધ થઈ ગયા છે. તેથી અહીં પ્રસિદ્ધ નામ જ દેવામાં આવ્યું છે પરંતુ દિનચર્યાના આવશ્યક નિયમોને જોડીને ૨૫ બોલ કર્યા છે. જેના અંતરબોલોના કુલ ૫૦ કોલમ બને છે. નોંધ : બાર વ્રત અને ચૌદ નિયમની નાની પુસ્તકા પણ ઉપલબ્ધ છે. કાયિકી આદિ પાંચ ક્રિયા :– ૧. કાયિકી– શરીરના બાહ્ય સંચારથી. ૩. પ્રાદેષિકી– કષાયોના અસ્તિત્વથી. ૫. પ્રાણાતિપાતિકી– જીવ હિંસા થઈ જવા પર. – ભગવતી આરંભિકી આદિ પાંચ ક્રિયા = ૧. આરંભિકી–હિંસાની પ્રવૃત્તિ અને સંકલ્પથી. પદાર્થ (તત્ત્વ) નવ છે. આ નવ તત્ત્વનું જ્ઞાન તેમજ શ્રદ્ધા એ સમ્યગ્દર્શનનું આવશ્યક અંગ છે. શ્રાવકને આ નવ તત્ત્વનું જ્ઞાન હોવું જ જોઈએ. જેનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે. (૧) જીવ ઃ– જ્ઞાન, દર્શનયુક્ત તેમજ ઉપયોગ ગુણવાળા, ચેતના લક્ષણવાળા અને સંસાર અવસ્થામાં જન્મ મરણ તેમજ ગમનાગમન રૂપ ગતિ આદિ કરવા– વાળા જીવ દ્રવ્ય છે. જીવ તત્ત્વ અરૂપી છે, શાશ્વત છે, અસંખ્ય પ્રદેશી છે અને સંકોચ વિસ્તાર સ્વભાવવાળા છે અર્થાત્ જેને જેટલું શરીર મળ્યું હોય તેટલામાં આત્માનો સમાવેશ થઈ જાય છે. સંસારી અને સિદ્ધ આ બે તેની મુખ્ય અવસ્થા છે. કથાસાર (૨) અજીવ :– જીવ સિવાયના લોકના સમસ્ત પદાર્થનો અજીવ તત્ત્વમાં સમાવેશ થાય છે. તે રૂપી, અરૂપી બંને પ્રકારના હોય છે. જીવોએ છોડેલું શરીર આદિ રૂપે પણ હોય છે તથા પુદ્ગલના અન્ય વિવિધ રૂપે પણ હોય છે. ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય પણ અરૂપી અજીવ રૂપ છે. તેમાં ચેતના લક્ષણ હોતું નથી. અજીવ સ્વેચ્છાએ ગમનાગમન કરતા નથી. પરપ્રયોગથી અને સ્વભાવથી પુદ્ગલોની ગતિ હોય છે. સ્થૂલ દષ્ટિથી જીવ અજીવ બે દ્રવ્યોમાંજ સમસ્ત પદાર્થો નો સમાવેશ થઈ જાય છે. (૩) પુણ્ય :– નાના મોટા કોઈપણ જીવ, જંતુ, પ્રાણીને સુખ પહોંચાડવું; ભૌતિક શાંતિ સુવિધા આપવી તે પુણ્ય છે. અર્થાત્ મન વચન કાયાથી સુખ પહોંચાડવું, સત્કાર, સન્માન, નમસ્કારથી મનોજ્ઞ વ્યવહાર કરવો, આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, મકાન, બિછાના આદિ દઈને સુખ પહોંચાડવું પુણ્ય છે. શાસ્ત્રમાં તેના ૯ ભેદ કહ્યા છે. (૪) પાપ :– કોઈપણ પ્રવૃત્તિથી પ્રાણીઓને દુઃખ પહોંચાડવું તે પાપ છે તેના અઢાર પ્રકાર છે. (૫) આશ્રવ :– આત્મામાં કર્મોની આવક થવાની પ્રવૃત્તિઓને આશ્રવ તત્ત્વ કહેવાય છે. તેના ૨૦ ભેદ કહ્યા છે. (૬) સંવર :– આશ્રવને રોકવાની પ્રવૃત્તિઓ સંવર છે. તેના પણ ૨૦ ભેદ છે. (૭) નિર્જરા :– કર્મોનો વિશેષ ક્ષય કરવાના કાર્યોને નિર્જરા કહેવાય છે. નિર્જરાના ૧૨ પ્રકાર છે જે ૧૨ પ્રકારના તપ પણ કહેવાય છે. તેમાં છ અત્યંતર તપ છે અને છ બાહ્ય તપ છે. (૮) બંધ :– આત્માની સાથે કર્મોનું ચોંટી જવું તે બંધ છે. પ્રકૃતિબંધ આદિ ચાર પ્રકારથી પરિપૂર્ણ બંધ થાય છે. (૯) મોક્ષ :– સંપૂર્ણ કર્મક્ષય થઈને મુક્ત અવસ્થા પ્રાપ્ત થઈ જાય તે મોક્ષ છે તેના સમ્યગ્ જ્ઞાન આદિ ચાર ઉપાય છે. [વિસ્તૃત જાણકારી માટે નવ તત્ત્વનો થોકડો તેમજ નવ તત્ત્વ વિસ્તાર સંબંધી સાહિત્યનું અધ્યયન કરવું જોઈએ.] શ્રાવકોએ જાણવા યોગ્ય ૨૫ ક્રિયા ૨. અધિકરણિકી– શસ્ત્ર ધારણ કરવાથી. ૪. પરિતાપનિકી– શરીરથી કષ્ટ પહોંચવા પર સૂત્ર, ઠાણાંગ સૂત્ર. ૨. પરિગ્રહિકી– કોઈમાં પણ મોહ મમત્ત્વ રાખવાથી.
SR No.009130
Book TitleKathasar
Original Sutra AuthorN/A
AuthorJain Yuth Foram
PublisherJain Yuth Foram
Publication Year2013
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy