________________
આગમ-કથાઓ
148
(૫) ઉપભોગ–પરિભોગની વસ્તુઓનો વધારે સંગ્રહ કરવો. આ પાંચ અતિચાર છે.
(૯) સામાયિકવ્રત :
રોજ( ), દર મહિને( ) દર વરસે( ) સામાયિક કરીશ; વિશેષ પરિસ્થિતિનો આગાર. ૩૨ દોષોને ટાળવાનું ધ્યાન રાખીશ. આ દોષોને કંઠસ્થ કરી લેવા અથવા વરસમાં ૧૨ વખત વાંચવા. ભૂલ થઈ જાય તો આગાર.
અતિચાર :– (૧–૩) પાપમય મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરવી. (૪)સામાયિક છે તે યાદ ન રાખવું, ભૂલ કરતી સમયે અચાનક
=
યાદ આવવું (૫) સામાયિક અવ્યવસ્થિત ઢંગથી, અવિવેકથી કરવી; જેમ—તેમ અનાદર કે અસ્થિરતાથી કરવી અથવા સમય પૂરો થયા પહેલાં સામાયિક પાળી લેવી. ત્રણ અતિચાર ઉપયોગની શૂન્યતાથી અને બે અતિચાર પ્રમાદથી લાગે છે.
(૧૦) દેશાવગાસિક વ્રત ઃ
ચૌદ નિયમ(ત્રેવીસ નિયમ) રોજ ધારણ કરીશ અને ત્રણ મનોરથનું ચિંતન કરીશ. ભૂલ, શારીરિક પરિસ્થિતિનો આગાર. અભ્યાસ જ્યાં સુધી જામે ત્યાં સુધી આગાર. વિશેષ પરિસ્થિતિમાં કોઈ પણ સંક્ષિપ્ત રીતથી કરવાનો આગાર. અતિચાર :– મર્યાદાઓનું અજાણપણે અથવા અવિવેકથી ઉલ્લંઘન થવા પર અતિચાર લાગે છે. નોટ :– ચૌદ નિયમનું વિશેષ સ્પષ્ટીકરણ આગળ જુઓ.
(૧૧) પૌષધવ્રત :–
દયા અથવા પૌષધ મળીને કુલ ( ) દર વર્ષે અથવા પરિપૂર્ણ પૌષધ ( ), અપૂર્ણ પૌષધ ( ), દયા ( ), ચૌવિહાર ( ), તિવિહાર ( ), ઉપવાસ ( ), આયંબિલ ( ), નીવી ( ), એકાસણું ( ), પોરસી ( ), નવકારસી ( ), પ્રતિક્રમણ ( ), મહિનામાં અથવા વરસમાં; ભૂલ થવા પર અથવા અવસ્થાના કારણે આગાર. નિવૃત્તિ વ્યાપારથી ( ) વર્ષ પછી.
અતિચાર ઃ– (૧) સુવાના મકાન, પથારીનું પડિલેહણ ન કરવું અથવા સારી રીતે ન કરવું (૨)પૂંજવાના સમયે પ્રમાર્જન ન કરવું અથવા સારી રીતે ન કરવું. (૩–૪) એવી રીતે ઉચ્ચાર પાસવણ ભૂમિના બે અતિચાર સમજી લેવા. (૫) પૌષધના ૧૮ દોષ ન ટાળવા અથવા ચાલવું બેસવું સુવું, બોલવું, પૂંજવું, થૂંકવું, ખાવું, પીવું, પરઠવું આદિ અવિવેકથી કરવું. આ બધા અતિચાર છે. (૧૨) અતિથિ સંવિભાગ વ્રત :–
સાધુ–સાધ્વીનો યોગ મળવા પર નિર્દોષ વસ્તુઓને ભક્તિભાવથી, નિષ્કામ બુદ્ધિથી, કેવળ આત્મ કલ્યાણને માટે વહોરાવીશ અને ભોજન કરવાના ટાઈમે ત્રણ વખત નવકાર ગણીને દિવસમાં ઓછામાં ઓછું એક વખત દાન દેવાની ભાવના ભાવીશ. શિક્ષાઓ :– નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરનાર શ્રમણોને જૂઠ–કપટ કરી સદોષ આહાર પાણી, મકાન, વસ્ત્રપાત્ર, પાટ, પૂઠાં ઘાસ, દવા આદિ ન વહોરાવવા. ઘરમાં સચિત અને અચિત ચીજોને એક સાથે એક જ કબાટમાં અથવા એક કાગળ પર ન રાખવા તેનું હંમેશા ધ્યાન રાખવું અને ઘરની વ્યક્તિઓને પણ સમજાવવું. ઘરમાં અચિત પાણી થતું હોય તો તેને તરત જ ન ફેંકી દેવું અને બીજાઓએ પણ ધ્યાનમાં રાખવું. જો અચિત પાણી ન બનતું હોય તો તેને બનાવી રાખવાનો રિવાજ ન કરવો અને તેને માટે સાચું જ્ઞાન મેળવીને બીજાને પણ સાચું માર્ગદર્શન આપતા રહેવું. ૪૨ દોષ આદિનું જ્ઞાન કરવું. સંત–સતીજીઓ સામે ખોટું ન બોલવું. ઘરમાં અથવા ભોજન ઘરમાં સચિત પદાર્થોને વેરાયેલા ન રાખવા તેમજ વચમાં પણ ન રાખવા.
ન
અતિચાર :(૧) અવિવેકથી ઘરમાં સચિત—અચિત વસ્તુ સંઘટાથી રાખી હોય (૨) અવિવેક ભૂલથી અચિત પદાર્થ ધોવણ આદિ ઉપર ચિત અથવા કાચું પાણી રાખ્યું હોય. (૩) ભિક્ષાનો સમય વીતી ગયા પછી ભાવના ભાવી હોય અથવા ભિક્ષાના સમયે ઘરના દરવાજા બંધ રાખ્યા હોય તેમજ રસ્તામાં પાણી, બીજ આદિ રાખ્યા હોય. (૪) વિવેક અને ઉમંગની ઉણપથી પ્રસંગ આવવા પર પોતે ન વહોરાવે અને બીજાને આદેશ કરતા રહે; હું પોતે વહોરાવું એવો ભાવ જ ન આવે. અહીં અનુકંપા ભાવથી બીજાને લાભ આપવો એ અતિચાર નથી. (૫) સરળ, શુદ્ધ ભાવ અને શુદ્ધ કાયા–વચનના વિવેકથી ન વહોરાવે; અનેક પ્રકારના અશુદ્ધ ભાવ, કલુષતા, ઈર્ષ્યા, બરાબરી, દેખાવ, આગ્રહ, જિદ, અવિનય, અવિવેક ભરી ઠપકારૂપવાણી, મહેણાં મારવા આદિ કાયા અને વચનના અવિનય અભક્તિ અવિવેકથી વહોરાવ્યું હોય. આ અતિચાર છે.
વિશેષ નોંધ :– બધા વ્રતોમાં પ્રતિક્રમણ અનુસાર કરણ અને યોગ સમજી લેવા. બધા વ્રત બુદ્ધિ પ્રમાણે, ધારણા અનુસાર ધારણ કરું છું. બધામાં ભૂલનો આગાર. આમાં જે કંઈ નવી શંકા થશે, જે વિષયમાં અત્યારે વિચાર્યું—સમજ્યું ન હોય, તેને તે સમયે સમજ શક્તિ અનુસાર કરીશ. આ લખેલા નિયમોમાં ફેરફાર કરવાનો આગાર ( ) વરસ સુધી. ત્યાં સુધી દર મહિનામાં એક વખત અવશ્ય વાંચીશ. ત્યાર પછી દર વરસે આ લખેલા નિયમોને એક વખત અવશ્ય વાંચીશ. ભૂલનો આગાર. પ્રતિક્રમણ અર્થ સહિત વરસમાં એક વખત અવશ્ય વાંચીશ. જલ્દીથી જલ્દી જાતિ અને નામ લખવાં, યથા– લીલોતરી, સચિત્ત, કંદમૂળના, સાબુના વિલેપનના, દાંતણના, વસ્ત્રના, ફૂલના, અગરબત્તીના, વ્યાપારના, દ્રવ્યોના.
અધ્યયન :– (૧) ભાવના શતક, બાર ભાવના ( ) વરસમાં વાંચીશ. (૨) ઉતરાધ્યન સૂત્ર ૨ વરસમાં વાંચીશ. (૩) આગમોનો સારાંશ ( ) વરસમાં વાંચીશ (૪) મોક્ષમાર્ગ, સમ્યક્ત્વ વિમર્શ, જ્ઞાતા સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, સમર્થ સમાધાન ભાગ ૧–૨–૩, આત્મ-શુદ્ધિનું મૂળ તત્ત્વત્રયી, જૈન તત્ત્વ પ્રકાશ,જૈન સિધ્ધાંત બોલ સંગ્રહ ભાગ ૧ થી ૭ બીકાનેરના. આ બધા પુસ્તકને એકવાર અવશ્ય વાંચીશ ( ) વરસમાં. (૫) આગમ ના સૂત્રો ( ) વરસમાં વાંચીશ. કંઠસ્થ જ્ઞાન –સામાયિક સૂત્ર ૩૨ દોષયુક્ત; પ્રતિક્રમણ અર્થ સહિત અને પચ્ચીસ બોલ.
–ઃ અંતિમ શિક્ષા :
(૧) બધા જૈન શ્રમણોનો આદર, સત્કાર, સન્માન, વિનય, ભક્તિ, શિષ્ટાચાર આદિ અવશ્ય કરવો. સમય કાઢીને જ્ઞાન પ્રાપ્ત કરવું. શક્તિ પ્રમાણે સેવા અને સહયોગ આપવો. સુપાત્રદાન દઈને શાતા પહોંચાડવી.