________________
આગમ-કથાઓ
128
શંખ પુષ્કલી શ્રમણોપાસક શ્રાવસ્તી નગરીમાં શંખ પ્રમુખ ઘણાં બધા શ્રમણોપાસક રહેતા હતા. શંખ શ્રાવકની ઉત્પલા નામની પત્ની હતી. તે પણ જીવાજીવની જાણકાર યોગ્ય ગુણોથી યુક્ત શ્રમણોપાસિકા હતી. પુષ્કલી નામના શ્રમણોપાસક પણ એ જ નગરીમાં રહેતા હતા.
એક વખત ત્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. શ્રાવસ્તી નગરીથી અનેક જનસમૂહ ભગવાનના દર્શન, સેવા માટે કોષ્ટક ઉદ્યાનની તરફ ચાલ્યા. શંખ પુષ્કલી પ્રમુખ શ્રાવક પણ વિશાળ સમૂહની સાથે પગપાળા ગયા. ભગવાનની સેવામાં પરિષદ એકઠી થઈ. ભગવાને ધર્મ ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને સભા વિસર્જિત થઈ. પકખી પૌષધ :- શંખ પ્રમુખ શ્રાવકોએ વંદન-નમસ્કાર કરી પ્રશ્ન પૂછયા, સમાધાન ગ્રહણ કરી અને વંદન-નમસ્કાર કરી ઘરે જવા માટે રવાના થયા. માર્ગમાં શંખ શ્રમણોપાસકે કહ્યું કે આજ પધ્ધી છે. આપણે બધા ખાઈ-પીને સામૂહિક પૌષધ કરીએ. અન્ય શ્રાવકોએ એમનું કથન સ્વીકાર્યું. સ્થાન અને ભોજન તૈયાર કરવાની જવાબદારી માટે નિર્ણય લેવાયો. બધા પોતાના ઘેર જઈ આવ્યા અને એક સ્થાન પર એકઠા થયા. પૌષધવ્રત(દયાવ્રત) લીધું. ભોજનનો સમય નજીક આવવા લાગ્યો પરંતુ શંખ શ્રમણોપાસક આવ્યા ન હતા. એનું કારણ એ થયું કે પૌષધનો નિર્ણય કરી બધા શ્રાવક પોત પોતાના ઘરની દિશામાં ચાલ્યા. ઘરે પહોંચતા પહેલાં જ શંખજીના વિચાર પરિવર્તિત થઈ ગયા. તેમને ઉપવાસ યુક્ત પૌષધ કરવાનો વિચાર દઢ થઈ ગયો. ઘેર આવી ઉત્પલા પત્નીને પૂછીને પૌષધશાળામાં ઉપવાસ સાથે પૌષધ અંગીકાર કર્યો. શ્રાવક-શ્રાવિકાના વંદન વ્યવહાર:- શ્રાવકોએ શંખજીને બોલાવવા જવાનો નિર્ણય કર્યો. ત્યારે પુષ્કલી શ્રાવક શંખજીના ઘરે ગયા. | ઉપલા શ્રમણોપાસિકાએ પુષ્કલી શ્રાવક ને ઘરમાં આવતાં જોઈ અને આસનથી ઉઠી સાત-આઠ કદમ (પગલા) સામે જઈ અને વંદન-નમસ્કાર કર્યા, આવવાનું કારણ પુછયું. પુષ્કલી શ્રાવકે કહ્યું કે શંખ શ્રમણોપાસક કયાં છે? પૌષધશાળા તરફ સંકેત કરતાં ઉત્પલાએ બતાવ્યું કે એમણે પૌષધ કર્યો છે. પુષ્કલી શ્રાવક પૌષધશાળામાં આવ્યા. ઈરિયા- વહિનું પ્રતિક્રમણ કર્યું પછી ચાલવા માટે નિવેદન કર્યું. ખાતાં-પીતાં પષધ – શંખ શ્રમણોપાસકે સ્પષ્ટીકરણ કર્યું કે મેં ઉપવાસ સાથે પૌષધ ગ્રહણ કરી લીધો છે. તમે હવે તમારી ઈચ્છા અનુસાર ખાતાં-પીતાં પૌષધ કરો. પુષ્કલી શ્રમણોપાસક પાછા આવી ગયા અને કહ્યું કે શંખજી નહીં આવે. પછી એ શ્રાવકોએ ખાતા–પીતાં પૌષધ કર્યો. શ્રાવકોમાં વ્યંગ વ્યવહાર અને પ્રભુ દ્વારા સંબોધન :- બીજા દિવસે બધા શ્રાવક ભગવાનના સમવસરણમાં પહોંચ્યા. શંખજી. પૌષધના પારણા કર્યા વગર જ વસ્ત્ર બદલીને ભગવાનના દર્શન કરવા ગયા. પરિષદ એકઠી થઈ. ધર્મ ઉપદેશ થયો. સભા વિસર્જિત થઈ. બીજા શ્રમણોપાસક શંખજીની પાસે પહોંચીને એમને ઉપાલંભ દેવા લાગ્યા કે તમે જ પ્રસ્તાવ રાખ્યો (આદેશ આપ્યો, અને પછી પોતે જ ઉપવાસ સાથે પૌષધ કરી લીધો. આ રીતે ઉપાલંભ વ્યંગ વચનો થવા લાગ્યા. ત્યારે ભગવાને શ્રાવકોને સંબોધન કર્યું અને કહ્યું– હે આર્યો! આ પ્રકારે શંખ શ્રમણોપાસકની તમે હાલના(અવહેલના) ન કરો. શંખ શ્રમણોપાસકે સુંદર ધર્મ આચરણ અને ધર્મ જાગરણા કરી છે. તે દઢધર્મી, પ્રિયધર્મી શ્રમણોપાસક છે. કષાયનું ફળ :- પછી શ્રમણોપાસક શંખના પ્રશ્નનો ઉત્તર દેતાં ભગવાન મહાવીરે ફરમાવ્યું કે ક્રોધ, માન વગેરેથી વશીભૂત થઈને જીવ સાત કર્મની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ(આ બધાં)ની વૃદ્ધિ કરે છે, અશાતા વેદનીયનો વારંવાર બંધ કરે છે અને ચતુર્ગતિક સંસારમાં પરિભ્રમણ કરે છે. શંખ શ્રમણોપાસકની ગતિ - પછી એ શ્રમણોપાસકોએ શંખ શ્રમણોપાસકને વંદન-નમસ્કાર કરી થયેલ આસાતનાની વિનયપૂર્વક ક્ષમાયાચના કરી. ત્યાર પછી પોત-પોતાના ઘરે ગયા. ગૌતમસ્વામીએ શંખ શ્રમણોપાસકના દીક્ષા લેવા સંબંધી પ્રશ્ન કર્યો. ઉત્તરમાં ભગવાને કહ્યું કે તે દીક્ષા લેશે નહીં. શ્રમણોપાસક પર્યાયથી દેવલોકમાં જાશે અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ, સંયમ તપની આરાધના કરી બધા દુઃખોનો અંત કરશે. શંખ પપ્પલીજીના પૌષધ પર ચિંતન સાર :- પ્રસ્તુત પ્રકરણમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમ ગણધરની જાણકારીમાં એમના શાસનમાં સમસ્ત શ્રમણોપાસકોમાં પ્રમુખ શંખ પુષ્કલીજીના મમ્મી પર્વ દિન માટે પૌષધનું વર્ણન છે. આ ભગવતી સૂત્ર પણ સમસ્ત ઉપલબ્ધ આગમોમાં મહત્ત્વપૂર્ણ શ્રદ્ધાકેન્દ્રનું આગમ છે અને ગણધરો દ્વારા રચિત છે.
અહીં વર્ણિત શ્રાવકોએ મહીનામાં બે આઠમ, બે ચૌદસ, અમાવસ્યા, પૂર્ણિમા એમ ૬-૬ પ્રતિપૂર્ણ પૌષધ કરવાના વ્રત ધારણ કર્યા હતા. પકખીપર્વ અમાવાસને પૂનમના જ હોય છે અને વર્તમાન પ્રણાલીથી ચૌદશની પણ હોય છે. તેથી શ્રમણોપાસકોના ૬ પ્રતિપૂર્ણ પૌષધનો જ તે દિવસ હતો. એ દિવસે ભગવાનનું પ્રવચન સાંભળીને ઘરે જતાં સમયે માર્ગમાં શંખ શ્રમણોપાસકે ખાતાં પીતાં(આહાર યુક્ત – ઉપવાસ વિના) પૌષધ કરવાનો પ્રસ્તાવ રાખ્યો અને જેનો પુષ્કલી આદિ શ્રાવકોએ સ્વીકાર કર્યો. ત્યારે એક જગ્યાએ એકઠા થઈને ત્યાં ભોજન કરીને પૌષધ કરવાનો નિર્ણય લીધો હતો. તે સ્થાન સંભવતઃ પુષ્કલીજીની પૌષધ- શાળાનું રાખ્યું. કેમ કે ભોજન સમય સુધી શંખજીના ન આવવા પર પુષ્કલીજી સ્વયં પૌષધ વ્રતમાં તેમને બોલાવવા ગયા.
પુષ્કલીજી જ્યારે શંખજીને બોલાવવા એની પૌષધશાળામાં ગયા ત્યારે એમણે પહેલા ઈરિયાવહિનો કાયોત્સર્ગ કર્યો, પછી વાત કરી. આનાથી એમનું પૌષધમાં જવાનું સ્પષ્ટ થાય છે. પછી પુષ્કલીજીના પાછા આવયા બાદ બધાએ આહાર કર્યો. આથી એ ફિલિતાર્થ નિકળે છે કે(૧) શ્રાવકના ૧૧ માં વ્રતમાં ઉપવાસ વિના પણ પૌષધ કરી શકાય છે. (૨) આવો પૌષધ પણ પ્રતિપૂર્ણ પૌષધ કહેવાય છે.(સાવધ ત્યાગની અપેક્ષા) (૩) પૌષધ પચ્ચકખાણ પછી આહાર કરી શકાય છે. (૪) પૌષધ પચ્ચખ્ખાણ બાદ આવશ્યકતા હોવા પર યતનાપૂર્વક એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમનાગમન કરી શકાય છે. એના માટે પહેલાથી મર્યાદા કરવાની આવશ્યકતા હોતી