________________
127
કથાસાર
jain
એક મહીનાના સંથારાથી આયુષ્ય પૂર્ણ કરી મહાબલ મુનિ પાંચમાં દેવલોકમાં દસ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા. ત્યાં દશ સાગરોપમની ઉમર પૂર્ણ કરી હે સુદર્શન! તે અહીં વાણિજ્ય ગ્રામમાં જન્મ લીધો યાવત વિર ભગવંતોની પાસે ધર્મનો બોધ પ્રાપ્ત કરી શ્રમણોપાસક બન્યા છો. આ પ્રકારે અન્ય જીવોની પણ પલ્યોપમ સાગરોપમની ઉમર સમાપ્ત થાય છે. ભગવાન દ્વારા પ્રશ્નના સમાધાનમાં પોતાના જ પૂર્વભવનું ઘટનાચક્ર સાંભળીને ચિંતન, મનન કરતાં એને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એની શ્રદ્ધા, વૈરાગ્ય સંવેગમાં અતિ વૃદ્ધિ થઈ. આનંદ અશ્રુઓથી તેના નેત્ર ભરાઈ ગયા અને ત્યાં જ સંયમ સ્વીકાર કર્યો. સુદર્શન શ્રમણોપાસકથી સુદર્શન શ્રમણ બની ગયા. ચૌદપૂર્વનું અધ્યયન કર્યું. બાર વર્ષ સુધી દીક્ષા પર્યાયનું પાલન કરી બધા કર્મોનો ક્ષય કર્યો અને સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ ગયા.
આ પ્રકરણમાં રાણીના મહેલનું, શવ્યાનું, સિંહ સ્વપ્ન, રાજાની પાસે જઈ અને કહેવાનું, રાત્રિ પસાર કરવાનું, સ્વપ્ન પાઠકોનું, પુત્ર જન્મ મહોત્સવનું, ખુશખબર આપવાવાળી દાસીઓનું સન્માનનું, ક્રમશઃ વયવૃદ્ધિનું, પ્રીતિદાનની પાંચસો પ્રકારની વસ્તુઓનું, વિસ્તૃત વર્ણન મૂળ પાઠમાં દર્શાવ્યું છે. જિજ્ઞાસુ પાઠક પ્રસ્તુત મૂળસૂત્રનો અભ્યાસ કરે. દીક્ષા વગેરેનું વિસ્તૃત વર્ણન અહીં નથી કર્યું. એના માટે જમાલીના પ્રકરણનો નિર્દેશ કર્યો છે, જ્યાં વિસ્તારથી વર્ણન છે.
ઋષિભદ્રપત્ર:
આલંભિકા નામની નગરીમાં ઋષિભદ્ર પ્રમુખ અનેક શ્રમણ ઉપાસક હતા. એક વખત કયાંક થોડા શ્રાવક એકઠા થઈ વાર્તાલાપ કરતા હતા. પ્રસંગોપાત ત્યાં દેવની ઉમર સંબંધી વાર્તા ચાલી. ત્યારે ઋષિભદ્ર શ્રાવકે બતાવ્યું કે જઘન્ય દસ હજાર વર્ષથી ૧-૧ સમય વૃદ્ધિ થતાં થતાં ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સુધીની ઉમર દેવોની હોય છે. કેટલાયને આના પર શ્રદ્ધા ન થઈ. થોડા સમય પછી વિચરણ કરતાં કરતાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આયંબિકા નગરી પધાર્યા. ઉક્ત શ્રમણોપાસક અને નગરીના અન્ય લોકો
ભગવાનની સેવામાં પહોંચ્યા. ઉપદેશ સાંભળીને પરિષદ વિસર્જિત થઈ ગઈ. વંદન નમસ્કાર કરીને તે શ્રમણોપાસકોએ દેવની | સ્થિતિનો પ્રશ્ન પૂર્વ હકીકત સાથે પૂછયો. ભગવાને સમાધાન કર્યું કે ઋષિભદ્રનું કથન સત્ય છે. હે આર્યો! હું પણ આવું જ કથન કરું
છું. ત્યારે એ શ્રમણોપાસકોએ શ્રદ્ધા રાખી અને ઋષિભદ્રની સમીપ જઈને વંદન- નમસ્કાર અર્થાત્ પ્રણામ અભિવાદન કરીને પોતાની ભૂલની વિનયપૂર્વક ક્ષમાયાચના કરી. પછી એ શ્રાવકોએ પોતાની જીજ્ઞાસાઓનું સમાધાન કર્યું અને પ્રભુને વંદન-નમસ્કાર કરી અને ચાલ્યા ગયા. શ્રાવકોના ગયા પછી ગૌતમ– સ્વામીના પ્રશ્ન કરવા પર ભગવાને ફરમાવ્યું કે ઋષિભદ્ર પુત્ર દીક્ષા ગ્રહણ નહીં કરે પરંતુ અનેક વર્ષ શ્રાવક પર્યાયનું પાલન કરી એક મહિનાનો સંથારો કરી, કાળ કરી પહેલા દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાં અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમની ઉંમર પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રથી મોક્ષ પ્રાપ્ત કરશે. વિશેષઃ- કોઈની સત્ય વાતનો સ્વીકાર ન કરવો, અશ્રદ્ધા કરવી કે તેને ખોટું કહેવું એ પણ તેની આશાતના જ કહેવાય છે. આ જ કારણથી ગૌતમસ્વામી પણ ફરીથી આનંદ શ્રાવક પાસે ખમાવવા ગયા હતા. એવી જ રીતે અહીં પણ ઋષિભદ્ર શ્રમણોપાસકને બીજા શ્રાવકોએ ખમાવ્યા. આવી સરળતા લતાની રીત શાસ્ત્રમાં સાધ શ્રાવક બન્નેને માટે ઘણી જગ્યાએ વર્ણવાયેલ છે. આવા વર્ણનોથી અત્યારના સાધકોને શિક્ષા લઈને એનું આચરણ કરવું જોઈએ.]
પગલ પરિવ્રાજક:
આલંભિકા નગરીના શંખવન' નામના ઉદ્યાનની સામે "પુદ્ગલ" નામનો પરિવ્રાજક રહેતો હતો. તેને ચારે વેદનું સાંગોપાંગ જ્ઞાન હતું અને બ્રાહ્મણમતના સિદ્ધાંતોમાં પારંગત હતો. તે છઠ છઠના પારણા કરી અને આતાપના લેતો હતો. પ્રકૃત્તિભદ્ર વિનીત અને સમભાવોમાં પરિણમન કરતાં તેને વિભંગ નામનું જ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી તે પાંચમાં દેવલોક સુધી દેવોને અને એમની ઉમર પણ જોવા લાગ્યો. જેનાથી એ માનવા લાગ્યો કે આટલો જ લોક છે. એના પછી દેવ પણ નથી અને દેવોની ઉમર પણ નથી. અર્થાત્ ઉત્કૃષ્ટ દસ સાગરોપમની ઉમરના દેવ હોઈ શકે છે. એના પછી કોઈ સ્થિતિ હોતી નથી.
શિવરાજર્ષિની જેમ પુગલ પરિવ્રાજકે પણ નગરીમાં પોતાના જ્ઞાનનો અને મંતવ્યનો પ્રચાર કર્યો. લોકોમાં ચર્ચાનો વિષય બન્યો. સંયોગવશ ભગવાન આલંભિકા નગરીમાં પધાર્યા. ગોતમ સ્વામીએ ગોચરી દરમિયાન ચાલુ વાત સાંભળી ભગવાનને નિવેદન કર્યું. ભગવાને પરિષદની સામે જ સ્પષ્ટીકરણ કર્યું. ભગવાનના વાકય પણ નગરીમાં પ્રચારિત થયા કે
અનુત્તર વિમાન સુધી દેવ છે, દેવલોક છે, ઉમર પણ દેવોમાં ૩૩ સાગરોપમ સુધી છે,' વગેરે.
લોકો પાસેથી આ વાર્તા પુગલ પરિવ્રાજક સુધી પણ પહોંચી. તે શંકિત કાંક્ષિત થઈને ભ્રમિત થઈ ગયો. એનું પણ વિભંગ જ્ઞાન ચાલ્યું ગયું. શિવ-રાજર્ષિની જેમ તે પણ ભગવાનની પર્યુપાસના કરવા ગયો. ઉપદેશ સાંભળ્યો, સંયમ લીધો, એ ભવમાં બધા કર્મો ક્ષય કરી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી.
દેવલોકોમાં રુપી દ્રવ્ય અને વર્ણાદિ બોલ હોય છે. આ કારણે વિલંગ જ્ઞાનનો વિષય થઈ જાય છે. વિશેષ:- છઠ–છઠના પારણા કરતાં અને આતાપના લેતાં વિવિધ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. વિભંગ જ્ઞાન પણ પરોક્ષ જ્ઞાન હોવાથી એનો પણ લબ્ધિઓમાં સમાવેશ થાય છે.
વાનપ્રસ્થ આશ્રમના તાપસ કંદમૂલ વગેરેને સ્વયં પકાવીને ખાય છે. અને સન્યાસાશ્રમના પરિવ્રાજક ભિક્ષાથી આજીવીકા કરે છે. શિવરાજર્ષિએ તાપસી દીક્ષા ધારણ કરી હતી અને પુદ્ગલ પરિવ્રાજકે સંન્યાસી દીક્ષા ગ્રહણ કરી હતી.