________________
518
આગમ-કથાઓ
એના આધારે એમ સમજાય છે કે દશપૂર્વ જ્ઞાનધારીઓથી ઓછા શાની દ્વારા રચિત શાસ્ત્ર એકાંત સભ્યશ્થત નથી હોતા, એને આગમકોટિમાં નહીં ગણવા. (૬) મિથ્યાશ્રુત – અજ્ઞાની મિથ્યા દષ્ટિ દ્વારા સ્વયંની સ્વચ્છંદ બુદ્ધિથી અર્થાત્ સર્વજ્ઞોની વાણીનો આધાર લીધા વગર જે શાસ્ત્રની રચના થાય છે તે મિથ્યાશ્રુત” છે. (૭–૧૦) સાદિ સાંત, અનાદિ અનંત શ્રત – કોઈ પણ વ્યક્તિની અપેક્ષાએ, ભરત આદિક્ષેત્રની અપેક્ષાએ, ઉત્સર્પિણી આદિ કાળની અપેક્ષાએ શ્રુત “સાદિ સાંત’ હોય છે. પરંપરાની અપેક્ષાએ, સમસ્ત ક્ષેત્રોની અપેક્ષાએ, સંપૂર્ણકાળની અપેક્ષાએ શ્રત અનાદિ અનંત હોય છે. ભવી જીવોનું શ્રુત “સાદિ સાંત' હોય છે. અભવી જીવોનું અસભ્ય શ્રુત અનાદિ અનંત હોય છે. કારણ કે ભવીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી શ્રુતજ્ઞાન નથી હોતું. કેવળ જ્ઞાન આત્માનો નિજ ગુણ છે. એનું અસ્તિત્વ બધા જીવોમાં હોય છે. કર્યાવરણને કારણે એનો અનંતમો ભાગ સર્વે જીવોમાં અનાવરિત હોય છે. જો એમ ન હોય તો જીવ અજીવમાં પરિણમે. પરંતુ આવું થતું નથી. કેવળ જ્ઞાનને અહીં પર્યાયઅક્ષર' શબ્દ દ્વારા કહેવાયું છે. (૧૧-૧૨) ગમિકશ્રુત અગમિકશ્રુત – દષ્ટિવાદ નામનું બારણું અંગ સૂત્ર “ગમિકશ્રુત' છે. શેષ અગિયાર અંગ “અગમિકશ્રુત' છે. જેમાં એક વાક્ય યા આલાપક વારંવાર આવે છે તેને ગમિક કહેવાય છે. જે શાસ્ત્રમાં પુનઃ પુનઃ એક સરખા પાઠ નથી આવતા તેને “અગમિક' કહેવાય છે. (૧૩–૧૪) અંગ પ્રવિષ્ટ અને અંગબાહ્ય – બાર અંગ સૂત્ર “અંગ પ્રવિષ્ટદ્યુત” છે. એ સિવાયના સર્વે સમ્યગૂ શાસ્ત્ર અંગબાહ્ય “ અનંગપ્રવિષ્ટ' શ્રત છે. અંગ બાહ્યના બે ભેદ છે– (૧) આવશ્યક સૂત્ર (૨) તેનાથી અતિરિક સૂત્ર. એકલા આવશ્યક સૂત્રને અલગ રાખવામાં આવ્યું છે. કારણ કે એની રચના પ્રારંભમાં ગણધર દ્વારા કરવામાં આવે છે. આવશ્યક સિવાય અતિરિક શ્રુતના બે ભેદ છે. (૧) કાલિકશ્રુત (૨) ઉત્કાલિક શ્રત. પ્રથમ પ્રહર અને ચતુર્થ પ્રહરમાં જેનો સ્વાધ્યાય આદિ કરાય તેને “કાલિકશ્રુત’ કહે છે અને જેનો ચારે પ્રહરમાં સ્વાધ્યાય આદિ કરાય તેને “ઉત્કાલિકશ્રત' કહે છે. અંગ પ્રવિષ્ટ બધા આગમો કાલિક હોય છે. આવશ્યક સૂત્ર ઉત્કાલિક સૂત્ર(નોકાલિક નોઉત્કાલિક સૂત્ર) છે. ચારે પ્રહરમાં તથા અસઝાયમાં પણ તેનું વાંચન(સ્વાધ્યાય) થાય છે. અંગ પ્રવિષ્ટ સૂત્રોના નામ:- (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ(ભગવતીસૂત્ર) (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસકદશા (૮) અંતકૃતદશા (૯) અનુત્તરોપપાતિક (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાક (૧૨) દષ્ટિવાદ(પૂર્વજ્ઞાન). આનો વિષય પરિચય સમવાયાંગ સૂત્રના સારાંશમાં છે અંગબાહ્ય કાલિક સૂત્ર :- ઉત્તરાધ્યયન, નિશીથ, દશાશ્રુત સ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર, જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, નિરિયાવલિકાદિ પાંચ વર્ગ અર્થાત્ ઉપાંગ સૂત્ર, ઋષિભાષિત, દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ, ફુલ્લિકા વિમાન પ્રવિભક્તિ ઇત્યાદિ ૧૦ અર્થાત્ સંક્ષેપિક દશા, ઉત્થાન શ્રુત, સમુત્થાન શ્રત. અંગ બાહ્ય ઉત્કાલિક સૂત્ર – દશવૈકાલિક, ઔપપાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના, નંદી, અનુયોગ દ્વાર, સૂર્યપ્રજ્ઞપ્તિ, મહાપ્રજ્ઞાપના, પ્રમાદાપ્રમાદ, દેવેન્દ્રસ્તવ, તન્દુલ– વૈચારિક, પૌરુષી મંડળ, મંડળ પ્રવેશ, ધ્યાન વિભક્તિ, મરણ વિભક્તિ, આત્મ વિશદ્ધિ. વીતરાગ શ્રત, સંલ્લેખનાશ્રત. વિહાર કલ્પ, ચરણવિધિ, આતરપ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન.
અંગ પ્રવિષ્ટ સૂત્રોની સંખ્યા બાર છે. અંગ બાહ્ય સૂત્રોની કોઈ સંખ્યા બતાવી નથી. કયારેક વધી જાય છે તો કયારેક ઘટી જાય છે. પ્રત્યેક તીર્થંકરના શાસનમાં અલગ અલગ સંખ્યા રહે છે તથા એક તીર્થકરના શાસનમાં પણ પ્રારંભમાં ૧-૨ હોય, ફરી નવા બનતા રહેવાથી વધે અને ક્યારેક વિલુપ્ત-
વિચ્છેદ થવાથી ઘટી જાય છે. તેથી અહીં સૂત્રમાં અંગબાહ્યની કે કાલિક ઉત્કાલિકની સંખ્યા કહેલ નથી. તીર્થકરની ઉપસ્થિતિમાં એમના સર્વે શિષ્યો વીતરાગવાણીના આધારે પોતાનું વ્યક્તિગત સંકલન કરે છે. તેને પ્રકીર્ણશ્રત કહે છે. આની સંખ્યા જેટલા સાધુ હોય તેટલી હોય છે. યથા ચોવીસમા તીર્થંકરની પ્રકીર્ણકશ્રુત સંખ્યા ૧૪ હજારની કહી છે. પ્રથમ તીર્થકરના પ્રકીર્ણક સૂત્રોની સંખ્યા ૮૪000 ની કહી છે. આનો સમાવેશ "અંગ બાહ્ય કાલિક યા ઉત્કાલિક સૂત્રમાં થાય છે. શ્રુતજ્ઞાનનો વિષય :- (૧) દ્રવ્યથી– શ્રુતજ્ઞાની ઉપયોગ દ્વારા બધા દ્રવ્યને જાણે–દેખે છે. (૨) ક્ષેત્રથી– શ્રુતજ્ઞાની ઉપયોગ દ્વારા સર્વે ક્ષેત્રને જાણે-દેખે છે. (૩) કાળથી ઉપયોગ દ્વારા શ્રુતજ્ઞાની સર્વેકાળને જાણે-દેખે છે. (૪) ભાવથી શ્રુતજ્ઞાની ઉપયોગ દ્વારા સર્વે ભાવોને જાણે–દેખે છે. આ કથન ઉત્કૃષ્ટ માટે છે. જઘન્ય, મધ્યમ, માટે થોડું ઓછું દ્રવ્ય-ક્ષેત્ર આદિ સમજવું. શ્રુતજ્ઞાનથી સ્પષ્ટ જાણી શકાય છે. પરંતુ જોવું ચિત્ર વગેરેની અપેક્ષાએ સમજવું. આ પાઠમાં કયાંક-કયાંક પ્રતોમાં ભેદ પણ છે. અન્ય આગામોમાં અને અન્ય પ્રતોમાં (ણ પાસઈ) છે. તેનો અર્થ થાય કે શ્રુતજ્ઞાની જાણી શકે છે પણ જોઈ શકતો નથી. પરંતુ એકાંત એવું નથી. કોઈ દ્રવ્ય આદિ પ્રત્યક્ષ હોય તો તે જોઈ શકે છે. શ્રુત જ્ઞાનની અધ્યયન તથા શ્રવણ વિધિઃઅધ્યયનના આઠ ગુણ :- (૧) વિનય યુક્ત સાંભળવું (૨) શંકાઓનું પૂછીને સમાધાન કરવું (૩) ફરી સમ્યફ પ્રકારથી સાંભળવું (૪) અર્થ અભિપ્રાય ગ્રહણ કરવો. (૫) પૂર્વાપર અવિરોધ વિચારણા કરવી (૬) પુનઃ સત્ય માનવું (૭) નિશ્ચિત કરેલા અર્થને હૃદયમાં ધારણ કરવો (૮) એ જ પ્રમાણે આચરવું. શ્રવણ વિધિઃ- (૧) મૌન રહી એકાગ્રચિત્તથી સાંભળવું (૨) “હું કાર અથવા “જી હા આદિ કહેવું (૩) “સત્યવચન' તહત્તિ ઇત્યાદિ બોલવું (૪) પ્રશ્ન પૂછવા (૫) વિચાર વિમર્શ કરવો (૬) સાંભળેલા તથા સમજાવેલા શ્રતમાં પારંગત થવું (૭) પ્રતિપાદન કરવામાં સમર્થ થવું.