________________
109
કથાસાર
jain બેઈન્દ્રિય આદિ અસંજ્ઞી પંચેન્દ્રિયમાં અપર્યાપ્ત અવસ્થામાં હોય છે તથા સંજ્ઞીને પર્યાપ્ત અપર્યાપ્ત બંને અવસ્થામાં ચારે ગતિમાં હોય છે. ત્રીજે મિશ્ર ગુણસ્થાન :- સમકિત અને મિથ્યાત્વના મિશ્ર પરિણામોવાળી આત્માની અવસ્થાને મિશ્ર ગુણસ્થાન કહેવામાં આવે છે. જેમ કે શ્રીખંડ ખાટા-મીઠા એમ બંને સ્વાદવાળો હોય છે. એવી જ રીતે આ ગુણસ્થાનવાળા જીવો જિનેશ્વર ભગવંતના ધર્મની પણ શ્રદ્ધા રાખે છે અને જિનેશ્વર ભગવંતના સિદ્ધાંતોથી વિપરીત સિદ્ધાંતોવાળા ધર્મની પણ શ્રદ્ધા કરે છે. બધા ધર્મોને સત્ય અને સુંદર માને છે. આવા ભોળા સ્વભાવવાળા અનભિજ્ઞ આત્માને આ ત્રીજું ગુણસ્થાન હોય છે. તેની સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અર્થાત્ ૪૮ મિનિટથી ઓછા સમયની છે. ત્યાર પછી આત્માના તે મિશ્ર પરિણામ મિથ્યાત્વમાં અથવા સમકિતમાં પરિણમી જાય
આ ગુણસ્થાન મિશ્ર પરિણામવાળું હોવાથી તેમાં જીવ મરતો પણ નથી અને આયુષ્ય પણ બાંધતો નથી. તે સંજ્ઞી જીવોને પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. પાંચ અનુત્તર વિમાનના દેવોમાં આ ગુણસ્થાન હોતું નથી. એકેન્દ્રિય વિકલેન્દ્રિયોમાં પણ હોતું નથી.
આ ગુણસ્થાન અનાદિ મિથ્યાત્વીને આવતું નથી પરંતુ જેઓ એકવાર સમકિત પ્રાપ્ત કરી તેમાંથી ગ્રુત થઈ ગયા છે એવા જીવને જ આ ગુણસ્થાન પ્રાપ્ત થઈ શકે. ચોથે અવિરત સમ્યગ્દષ્ટિ ગણસ્થાન :- પહેલાં ગુણસ્થાનમાં જે આત્માની અવસ્થારૂપ લક્ષણ કહ્યાં છે, તે અવગુણોની અવસ્થાઓમાં નહીં રહેનારા આ ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે અર્થાત્ ઉક્ત અવગુણોથી વિપરીત ગુણોવાળી આત્મ અવસ્થાને વ્યવહારની અપેક્ષાએ અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન કહે છે.
નિશ્ચય દષ્ટિએ દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિ અને ચારિત્રમોહની અનંતાનુબંધી ક્રોધ, માન,માયા, લોભ; એ ચાર પ્રકૃતિના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી જીવને આ ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનવાળાની બધા પ્રકારની સમજ અને દષ્ટિકોણ સમ્યક હોય છે. તેથી તેને સમ્યક્ દષ્ટિ કહે છે. આ ગુણસ્થાનવાળા કોઈ પણ પ્રકારના પ્રત્યાખ્યાનના ભાવોમાં પરિણત કે પ્રગતિશીલ થતા નથી. ફક્ત સમ્યક શ્રદ્ધાન સુધી જ રહે છે. તેથી તેના સમદષ્ટિ ગુણની સાથે અવિરત લાગવાથી તેનું પરિપૂર્ણ નામ 'અવિરત સમ્યક્દષ્ટિ' ગુણસ્થાન થાય છે.
આ ગુણસ્થાનવાળાને સમ્યકત્વી, સમકિતી, સમદષ્ટિ આદિ પણ કહે છે. આ ગુણસ્થાનને ગુણની મુખ્યતાએ સમ્યક્ત્વ અથવા સમકિત પણ કહેવામાં આવે છે. જેમ કે- એકવાર “સમકિત’ આવી જવાથી અર્થાત્ ચોથું ગુણસ્થાન આવી જવાથી જીવ અર્ધપુગલ પરાવર્તનથી વધારે સમય સંસારમાં પરિભ્રમણ કરતા નથી.
- આ ગુણસ્થાનવાળા જિનેશ્વર ભગવંત ભાષિત બધાં સિદ્ધાંતોમાં, જ્ઞાન, ચારિત્ર, કપરૂપ બધાં પ્રવર્તનોમાં અને જીવાદિ પદાર્થોમાં, સમ્યક્ શ્રદ્ધાની આસ્થા રાખે છે, કથન/પ્રરૂપણ સત્ય કરે છે, હિંસા આદિ પાપ કૃત્યોમાં અતિ આસકત બનતા નથી. તે પાપજનક પ્રવૃત્તિઓમાં, છકાય જીવોની આરંભજનક પ્રવૃત્તિઓમાં ક્યારેય પણ ધર્મ માનતા નથી. કષાયો તથા કલેશને દીર્ઘકાળ સુધી રાખતા નથી.
આ ગુણસ્થાનમાં આયુષ્ય બાંધનાર જીવ જઘન્ય આ ભવ સહિત ત્રીજા ભવમાં મોક્ષે જાય છે. ઉત્કૃષ્ટ ૧૫ માં ભવે મોક્ષે જાય છે. આ ગુણસ્થાન ચારે ય ગતિના સંશી જીવોના અપર્યાપ્ત–પર્યાપ્ત બંનેમાં હોય છે. નિશ્ચય દષ્ટિએ આ ગુણસ્થાનમાં સાત પ્રકૃતિઓના ક્ષય આદિના અનેક વિકલ્પ હોય છે. ક્ષય આદિનો અર્થ આ પ્રમાણે છે– ૧. ક્ષય- તે પ્રકૃતિની આત્મામાંથી સત્તા(અસ્તિત્વ) સમાપ્ત થઈ જવી. ૨. ઉપશમ– તે પ્રકૃતિનો કંઈક ઉદય અટકી જવો, સત્તામાં અવરુદ્ધ રહેવું. ૩. ક્ષયોપશમ- તે પ્રકૃતિનો પ્રદેશોદય થવો, વિપાકોદય અટકવો. અથવા તે પ્રકૃતિનો કંઈક ઉદય અને કંઈક ઉપશમ(અનુદય) હોય તેને પણ ક્ષયોપશમ કહેવાય છે. બન્ને પરિભાષા ઉપયોગી છે. ૪. ઉદય – તે પ્રકૃતિનો વિપાકોદય થવો તે ઉદય કહેવાય છે. પુનશ્ચ:- ૧. ક્ષય-સર્વથા ક્ષય. ૨. ઉપશમ-સર્વથા અનુદય ૩. ક્ષયોપશમ– પ્રદેશોદય. ૪. ઉદય-વિપાકોદય. - સાત પ્રકૃતિઓના કારણે થતાં વિકલ્પો આ પ્રકારે છે૧. સાત પ્રકૃતિઓનો ક્ષય- લાયક સમકિત. ૨. સાત પ્રકૃતિઓનો ઉપશમ–ઉપશમ સમકિત. ૩. ૬નો ક્ષય, ૧ નો ઉદય–ક્ષાયિક વેદક. ૪. ૬ નો ઉપશમ, ૧ નો ઉદય-ઉપશમ વેદક ૫. ૬ નો ક્ષયોપશમ, ૧ નો ઉદય–ક્ષયોપશમ સમકિત ૬. ૫ નો ક્ષયોપશમ, ૧ નો ઉપશમ,૧ નો ઉદય-ક્ષયોપશમ સમકિત. ૭. ૪ નો ક્ષયોપશમ, ૨ નો ઉપશમ, ૧ નો ઉદય–ક્ષયોપશમ સમકિત. ૮. ૪ નો ક્ષય, ૩ નો ક્ષયોપશમ ૯. ૫ નો ક્ષય, ૨ નો ક્ષયોપશમ ૧૦. ૬ નો ક્ષય, ૧ નો ક્ષયોપશમ ૧૧. ૪ નો ક્ષય, ૨ નો ક્ષયોપશમ,૧ નું વેદન (સૂક્ષ્મ) ૧૨. ૫ નો ક્ષય, ૧ નો ક્ષયોપશમ, ૧નું વેદન (સૂક્ષ્મતર). ક્રમાંક ૮ થી ૧૨ ના પાંચ ભાંગા લાયક સમકિતની પૂર્વભૂમિકાના છે. તેમાં અનંતાનુબંધી ચતુષ્કનો નિયમથી સર્વથા ક્ષય હોય છે.
સંક્ષિપ્તમાં આ બધા ભાંગાનો ત્રણ સમકિતમાં સમાવેશ થાય છે. ત્યારે ઉપરના ત્રીજાથી ૧૨ મા સુધીના બધા ભાંગાનો ક્ષયોપશમ સમકિતમાં સમાવેશ થઈ જાય છે અર્થાત્ સાતનો ક્ષય કે સાતે ય ઉપશમ ન હોય ત્યારે તે બધા ક્ષયોપશમ સમકિતની કક્ષાના જ છે.