________________
jainology |
9
અધ્યયન – ૫. શૈલક રાજર્ષિ
દ્વારિકા નગરીમાં બાવીસમા તીર્થકર ભગવાન અરિષ્ટનેમિનું પદાર્પણ થયું. કૃષ્ણવાસુદેવ પોતાના વિશાળ પરિવાર સાથે ભગવાનની ઉપાસના કરવા તથા ધર્મદેશના સાંભળવા ગયા. આ દ્વારિકા નગરીમાં થાવÁ નામની એક સંપન્ન ગૃહસ્થ મહિલા રહેતી હતી. તેનો એકજ પુત્ર જે થાવÁપુત્ર નામથી ઓળખાતો હતો. તે પણ ભગવાનની દેશના શ્રવણ કરવા પહોંચ્યો. દેશના સાંભળી વૈરાગ્યવાસિત બન્યો. માતાએ ખૂબ સમજાવ્યો, આજીજી કરી, કાકલૂદી કરી પણ થાવચ્ચાપુત્ર પોતાના નિશ્ચય ઉપર અડગ રહયા. અંતે માતાએ દીક્ષા મહોત્સવ ઉજવવાનું વિચાર્યું. જેને થાવÁપુત્રે મૌનભાવે સ્વીકાર્યું.
થાવચ્ચ છત્ર, ચામર આદિ માંગવા શ્રીકૃષ્ણ મહારાજા પાસે ગઈ. શ્રી કૃષ્ણે સ્વયં દીક્ષા મહોત્સવ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો. થાવર્ગાપુત્રની પરીક્ષા કરવા શ્રીકૃષ્ણ જાતેજ તેના ઘરે પહોંચ્યા. સોળ હજાર રાજાઓ અને અર્ધભરતક્ષેત્રના અધિપતિ શ્રીકૃષ્ણનું થાવર્ધાના ઘરે આવવું એ તેમની અસાધારણ મહાનતા અને નિરઅહંકારતાનું દ્યોતક છે.
થાવÁપુત્રની પરીક્ષા બાદ જ્યારે વિશ્વાસ બેઠો કે આંતરિક વૈરાગ્ય છે ત્યારે શ્રી કૃષ્ણે નગરીમાં ઘોષણા કરાવી કે ભગવાન અરિષ્ટનેમિ પાસે દીક્ષિત થવાવાળાના આશ્રિતજનોનું પાલન પોષણ કરવાની જવાબદારી શ્રી કૃષ્ણ વાસુદેવ વહન કરશે. માટે જેને દીક્ષા લેવી હોય તે નિશ્ચિંત પણે લઈ શકે છે.
આગમસાર
ઘોષણા સાંભળી હજાર જેટલા પુરુષ થાવર્ગાપુત્રની સાથે પ્રવર્જિત થયા. કાલાંતરમાં થાવર્સ્થાપુત્ર અણગાર, ભગવાન અરિષ્ટનેમિની અનુમતિ લઈ પોતાના સાથી મુનિઓની સાથે દેશ, દેશાંતરમાં વિચરવા લાગ્યા. વિચરતાં વિચરતાં થાવÁપુત્ર સૌગંધિકા નગરીમાં પધાર્યા. ત્યાંના નગરશેઠ સુદર્શન સાંખ્યધર્મના અનુયાયી અને શુક્ર પરિવ્રાજકના શિષ્ય હતા, છતાં પણ થાવÁપુત્રની દેશના સાંભળવા ગયા. થાવÁપુત્ર અને સુદર્શન શ્રેષ્ઠીની વચ્ચે ધર્મના આધારે ચર્ચા થઈ. વાર્તાલાપથી સંતુષ્ટ થઈ સુદર્શને જૈનધર્મ અંગીકાર ર્યો.
શુક્ર પરિવ્રાજકની જૈન દીક્ષા :– શુક્ર પરિવ્રાજકને જ્યારે આ બનાવની જાણ થઈ ત્યારે તેઓ સુદર્શનને પુનઃ પોતાનો અનુયાયી બનાવવાના વિચારે સૌગન્ધિકા નગરીમાં પધાર્યા. સુદર્શન ડગ્યો નહિ. બન્ને ધર્માચાર્ય (શુક્ર તથા થાવર્ચાપત્ર) વચ્ચે ધર્મચર્ચા થઈ. શુક્ર પોતાના શિષ્યોની સાથે થાવÁપુત્રની સમીપે ગયા.સરીસવ(મિત્ર અને અનાજ એવા બે અર્થ વાળો શબ્દ)ભક્ષ્ય કે અભક્ષ્ય? આવા પ્રશનો કર્યા. શુક્ર થાવÁપુત્રને વાક્ચાતુર્યથી ફસાવવાનો ખૂબ પ્રયત્ન ર્યો પરંતુ થાવર્ગાપુત્રે તેનો ગૂઢ અભિપ્રાય સમજી અત્યંત કુશળતા પૂર્વક પ્રત્યુત્તર આપ્યા. અંતે શુક્ર પોતાના શિષ્યોની સાથે થાવÁપુત્રના શિષ્ય બની ગયા. – દીક્ષિત થયા. શૈલક રાજર્ષિની દીક્ષા :– એક વખત શુક્ર અણગાર શૈલકપુર પધાર્યા. ત્યાંના રાજા શૈલકે પહેલેથી જ થાવર્ચાપત્રના ઉપદેશથી શ્રમણોપાસક ધર્મ સ્વીકાર્યો હતો. આ વખતે તે પોતાના પાંચસો મંત્રીઓની સાથેશુક્ર અણગાર પાસે દીક્ષિત થયા. તેઓએ તેમના પુત્ર મંડુકને રાજગાદી ઉપર બેસાડ્યો.(અહિં પાંચસો કે હજારની સંખ્યાનો અર્થ લગભગ પાંચસો જેટલા તથા હજારની આસપાસની સંખ્યા જેટલા એમ સમજવું, ગણીને પુરા હજાર એમ નહિં . જેમકે કોઈ પ્રસંગથી આવીએ અને કોઈ પૂછે તો આપણે કહીએ કે બેહજાર માણસો હતાં. જયાં ૫૦૦ યોજન એમ અંકમાં લખ્યું હોય ત્યાં પૂરા ૫૦૦ સમજવા. દા.ત. રાણીઓ ૮ – તો ૮ જ સમજવી, પણ બત્રીસ પ્રકારનાં ભોજન એટલે વિવિધ પ્રકારનાં ભોજન. હજાર વર્ષ સુધી સૂત્રો કંઠસ્થ રહયા પછી લખાયા છે. ગુરુગમ્યતા બધાનાં ભાગ્યમાં નથી ,તેથી વાંચનમાં હર–હંમેશ વિવેકબુધ્ધિ તો રાખવીજ. તત્વ કેવલી ગમ્ય. ) સાધુચર્યા અનુસાર શૈલકમુનિ દેશ દેશાંતરમાં વિચરવા લાગ્યા. તેના ગુરુ શુક્ર મુનિ વિદ્યમાન નહોતા. સિદ્ધગતિ મેળવી ચૂક્યા હતા. શૈલકનું સુકોમળ શરીર સાધુ જીવનની કઠોરતા સહી ન શક્યું. શરીરમાં દાદ-ખુજલી થઈ ગઈ. પિત્તજવર રહેવા લાગ્યો. જેથી તીવ્ર વેદના થવા લાગી. ભ્રમણ કરતાં શૈલકપુર પધાર્યા. મંડુક દર્શનાર્થે આવ્યો. શૈલક રાજાનું રોગિષ્ટ શરીર જોઈ ચિકિત્સા કરાવવાની વિનંતિ કરી. શૈલકે સ્વીકૃતિ આપી. ચિકિત્સા થવા લાગી. સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું. પરંતુ રાજર્ષિ સરસ આહાર અને ઔષધ–ભેષજમાં આસક્ત બન્યા. વિહાર કરવાનો વિચાર સરખોય ન આવ્યો. ત્યારે તેના શિષ્યોએ એકત્ર થઈ પંથકને તેમની સેવામાં રાખી બાકી બધાએ વિહાર કરવાનો નિર્ણય ર્યો. રાજર્ષિ ત્યાંજ રહી ગયા, પંથકમુનિ તેમની સેવામાં રહ્યાં. બાકી બધા જ શિષ્યો વિહાર કરી ગયા. (પૂર્વે આ પંથક રાજાના પ્રધાન હતા તેથી.)
કાર્તિક સુદ પૂનમનો દિવસ આવ્યો. શૈલક રાજર્ષિ આહાર–પાણી આરોગી નિશ્ચિંત બની સૂતા હતા. આવશ્યક – પ્રતિક્રમણ કરવાનું યાદે ય ન આવ્યું. પંથક મુનિ દેવસિક પ્રતિક્રમણ કરી ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવા તૈયાર થયા. શૈલક રાજર્ષિને વંદન કરી ચરણ સ્પર્શ કરવા મસ્તક નમાવ્યું. શૈલકમુનિની નિદ્રામાં ભંગ પડતાં ભડકી ઉઠયા. પંથકને કડવા વચનો કહેવા લાગ્યા. પંથકમુનિએ ક્ષમા
માગતાં કાર્તિકી ચોમાસીની યાદી દેવડાવી.
રાજર્ષિની ધર્મચેતના જાગૃત થઈ. તેમણે વિચાર્યું – 'રાજ્ય આદિનો પરિત્યાગ કરી મેં સાધુપણું સ્વીકાર્યું અને હવે હું આવો શિથિલાચારી થઈ ગયો? સાધુને માટે આ શોભતું નથી.' બીજે જ દિવસે શૈલકપુર છોડી પંથકમુનિની સાથે વિહાર ર્યો. આ સમાચાર અન્ય શિષ્યોને મળતાં બધાજ શિષ્યો સાથે મળી આવ્યા. અંતિમ સમયમાં બધા જ મુનિઓને સિદ્ધગતિની પ્રાપ્તિ થઈ. પ્રેરણા – શિક્ષા :–
(૧) થાવચ્ચ સ્ત્રીનું કૃષ્ણ પાસે જવું અને કૃષ્ણવાસુદેવનું થાવર્ગાપુત્રને ઘરે આવવું એક અસાધારણ ઘટના છે. સંયમની વાત સાંભળી ઉત્સાહિત થવું, વૈરાગ્યની પરીક્ષા કરવી, શહેરમાં ઢંઢેરો પીટવાવો તેમજ એક હજાર પુરુષોની સાથે દીક્ષા મહોત્સવ ઉજવવો ઇત્યાદિક બાબતો ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ વાસુદેવની અનન્ય ધર્મશ્રદ્ધા અને વિવેક પ્રગટ કરે છે.આ વિવેક બધાએ અપનાવવા જેવો છે અર્થાત્ દીક્ષા લેનાર પ્રત્યે કેવો વ્યવહાર રાખવો જોઇએ તે આ ઘટના દ્વારા શીખવા મળે છે.
(૨) સાંખ્ય મતાનુયાયી સુદર્શને જૈન મુનિ સાથે ચર્ચા કરી શ્રાવકધર્મ સ્વીકાર્યો અને તેના ગુરુ શુક્ર સન્યાસીએ ચર્ચા કરી સંયમ સ્વીકાર્યો. ઋજુ અને પ્રાજ્ઞ જીવોના આ ઉદાહરણથી જાણવા મળે છે કે માન કષાયથી અભિભૂત થયેલા હોવા છતાં તે આત્માઓ દુરાગ્રહી નહોતા. સત્ય સમજાતાં પોતેજ સર્વસ્વ પરિવર્તન કરી લેતા. આપણે પણ સ્વાભિમાનની સાથે સરલ