________________
10
આગમસાર–પૂર્વાર્ધ
અને નમ્ર બની દુરાગ્રહોથી દૂર રહેવું જોઇએ અર્થાત્ સત્યને સ્વીકારવામાં હિચકિચાટ કરવો ન જોઈએ, પછી ચાહે તે પરંપરા
હોય કે સિદ્ધાંત. (૩) ક્યારેક શિષ્ય પણ ગુરુનું કર્તવ્ય અદા કરે છે. પંથક શિષ્યના વિનય, ભક્તિ, સેવા, સત્યનિષ્ઠાથી શૈલક રાજર્ષિનું અધ:પતન
અટકી ગયું. (૪) સંયમથી પતિત થતા સાધકનો તિરસ્કાર ન કરતાં તેની યોગ્ય સંભાળ રાખવાથી તેનું ઉત્થાન થઈ શકે છે. તેથી ગર હોય કે
શિષ્ય હોય, વિવેક સભર નિર્ણય કરવો જોઇએ. તિરસ્કાર વૃત્તિ તો હેય છે, એટલે કે અનાચરણીય છે. (૫)અતિ વેગથી પડવાવાળી વ્યક્તિ પણ ક્યારેક બચી શકે છે, તેથી તેના પ્રત્યે યોગ્ય સંભાળ અને સહાનુભૂતિ રાખવી સૌની ફરજ છે (૬) ઔષધનું સેવન કરવું તે પણ સંયમ જીવનમાં એક ભયસ્થાન છે. તેનાથી અસંયમભાવ તથા પ્રમાદભાવ આવી શકે છે. તેથી
સાધકે ઔષધ સેવનની રુચિથી નિવૃત્ત થઈ વિવેક યુક્ત તપ-સંયમની સાધના કરવી જોઇએ. શૈલક જેવા ચરમ શરીરી. તપસ્વી સાધક પણ ઔષધસેવનના નિમિત્તથી સંયમમાં શિથિલ બની ગયા હતા.
હતા. તેમના માટે માસિકલ્પ આદિ નિયમ પાલન આવશ્ય કથાનકના આલંબનથી અંતિમ તીર્થકરના શાસનમાં તેનું અનુકરણ ન કરાય. અર્થાત્ સેવામાં જેટલા શ્રમણોની જરૂરિયાત
હોય તેટલાને રાખી બાકીનાને અકારણ કલ્પ મર્યાદાથી અધિક સ્થિર રાખવા ન જોઇએ. (૮) પંથકે ચૌમાસી પખીના દિવસે બે પ્રતિક્રમણ ર્યા તેનું કારણ પણ એ જ છે કે મધ્યમ તીર્થકરના શાસનમાં શ્રમણોને માટે
સદાય બન્ને વખત પ્રતિક્રમણ કરવું ફરજિયાત નહોતું. તેથી તેઓ ફક્ત પાખી, ચૌમાસી, સંવત્સરી પર્વ દિવસે નિયમસર પ્રતિક્રમણ કરતા. અંતિમ તીર્થકરના સાધુઓને બન્ને સમય ભાવયુક્ત પ્રતિક્રમણ કરવાનો નિયમ તેમના માટે છે. તેમના માટે ત્યાગ, તપ, મૌન ધ્યાન અને આત્મચિંતન કે ધર્મજાગરણ કરવું તે જ પર્વદિવસની વિશેષ આરાધના છે. જે શ્રમણોપાસક હંમેશા પ્રતિક્રમણ ન કરતાં પર્વદિવસે જ પ્રતિક્રમણ કરે છે, તેમના માટે બે પ્રતિક્રમણ જરૂરી છે.
અધ્યયન - ૬ તુંબડાનું (દાંત) રાજગૃહી નગરીમાં ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછયો કે હે ભગવાન! જીવ હળવો થઈ ઉપર કેવી રીતે જાય છે અને જીવ ભારે થઈ નીચે કેવી રીતે જાય છે? તેના પ્રત્યુત્તરમાં ભગવાને એક દષ્ટાંત આપી સમજાવ્યું કે જેવી રીતે તુંબડી પાણી ઉપર તરે છે પણ તેની ઉપર કોઈ વ્યક્તિ માટી,
પી દે તેમ ક્રમશઃ આઠ લેપ લગાવે. તે તુંબડાને જો પાણી ઉપર રાખવામાં આવે તો તે તુંબડું લેપના ભારથી તળીયે ડૂબી જાય છે. ધીમે ધીમે માટીનો લેપ પાણીમાં ઓગળી જતાં ફરી તે તુંબડું પાણી ઉપર તરવા લાગે છે. એ પ્રકારે જીવ ૧૮ પાપનું સેવન કરી આઠ કર્મનો બંધ કરી, કર્મથી ભારે બની અધોગતિમાં નરકમાં જાય છે. કર્મો જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય છે ત્યારે આત્મા ઉર્ધ્વગમન કરી શાશ્વત સિદ્ધ સ્થાનમાં સ્થિર થઈ જાય છે. પ્રેરણા શિક્ષા:- શ્રમણ ૧૮ પાપના ત્યાગી હોય છે છતાં પણ જાણ્યે અજાણ્યે જૂઠ, નિંદા, કલેશ, કષાય આદિ પાપોનું સેવન ન થઈ જાય તેનું ધ્યાન રાખવું જોઇએ. કારણ કે પાપાચરણના સેવનથી જ આઠ કર્મોનું ઉપાર્જન થાય છે. શ્રમણો મુમુક્ષુએ પણ ૧૮ પાપોનું જાણપણું મેળવી તેનાથી બચવા માટે સદા પ્રયત્ન કરવો જોઈએ.
અધ્યયન – ૭ ધન્ય સાર્થવાહ અને તેની ચાર પુત્રવધુ (દષ્ટાંત કથા). રાજગૃહ નગરમાં ધન્ય સાર્થવાહ રહેતા હતા. તેમને ચાર પુત્રો હતા, 'જેમનાં નામ ધનપાલ, ધનદેવ, ધનગોપ અને ધનરક્ષિત હતા. તેમની પત્નીઓનાં અનુક્રમે નામ – ઉજિઝતા (ઉજિઝકા) ભક્ષિકા, રક્ષિકા અને રોહિણી હતાં. ધન્ય સાર્થવાહ દીર્ઘદષ્ટા હતા. ખૂબ વિચક્ષણ હતા. ભવિષ્યનો વિચાર કરવાવાળા હતા. તે જ્યારે પરિપકવ ઉંમરના એટલે વૃદ્ધ થયા ત્યારે તેમને વિચાર ઉદ્ભવ્યો કે મારા મૃત્યુ પછી કુટુંબની સુવ્યવસ્થા આવી જ રીતે જળવાઈ રહે માટે મારે મારી હાજરીમાં જ આ વિષયે વ્યવસ્થા કરી લેવી જોઈએ. આ પ્રકારનો વિચાર કરી ધન્ય સાર્થવાહે મનોમન એક યોજના ઘડી લીધી. એક દિવસ પોતાના જ્ઞાતિજનો, સગા-સંબંધીઓ, મિત્રવર્ગને આમંત્રિત ર્યા. ભોજનાદિથી બધાનો સત્કાર ર્યો ત્યારબાદ પોતાની ચારે પુત્રવધુઓને બોલાવી દરેકને પાંચ ડાંગરના દાણા આપી કહ્યું – હું જ્યારે માંગુ ત્યારે આ પાંચ દાણા અને પાછા આપજો.' પહેલી પુત્રવધૂએ વિચાર્યું –' મારા સસરાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ લાગે છે. સાઠે બુદ્ધિ નાઠી'. આટલો મોટો સમારંભ યોજી અને આટલી તુચ્છ ભેટ અમને આપવાનું સૂજયું. વળી કહ્યું કે પાછું માંગુ ત્યારે પાછા આપજો. ભંડારમાં ડાંગરનો ક્યાં તોટો છે? જ્યારે
ચારી આપેલા દાણા કચરામાં ફેંકી દીધા. બીજી પુત્રવધૂએ વિચાર્યું – 'ભલે આ દાણાનું મૂલ્ય ન હોય તો પણ સસરાજીએ આપેલો પ્રસાદ છે, તેને ફેંકવો ઉચિત્ત નથી' એમ વિચારી પાંચ દાણા ખાઈ ગઈ. ત્રીજી વધુ વિચારશીલ હતી. તેણે વિચાર્યું– 'મારા સસરા ખૂબ જ વ્યવહારકુશળ, અનુભવી અને સમૃદ્ધિશાળી છે. તેમણે આટલો મોટો સમારંભ રચી અમને પાંચ દાણા આપ્યા છે તેમાં તેમનો કોઈ વિશિષ્ટ અભિપ્રાય હોવો જોઇએ. તેથી દાણાની સુરક્ષા જાળવવી મારું કર્તવ્ય છે.' આમ વિચારી પાંચ દાણા એક ડબીમાં રાખી સુરક્ષિત જગ્યાએ મૂકી દીધા. ચોથી પુત્રવધૂ રોહિણી ખૂબ બુદ્ધિશાળી, વિચક્ષણ હતી. તે સમજી ગઈ કે પાંચ દાણા દેવા પાછળ કોઈ ગૂઢ રહસ્ય છુપાયેલું છે. કદાચ અમારી પરીક્ષા કરવાનો હેતુ હોઈ શકે. તેણે બહુમાનપૂર્વક પાંચ દાણા લઈ પિયર મોકલી દીધા. તેની સૂચના અનુસાર પિયરવાળાઓએ તે દાણા અલગ ખેતરમાં વાવ્યા. દર વર્ષે જે પાક થાય તે બધોજ વાવી દેવાતો. આમ પાંચ વર્ષમાં તો કોઠાર ભરાઈ ગયા. આ ઘટનાને પાંચ વર્ષ વ્યતીત થઈ ગયા. ત્યારે ધન્ય સાર્થવાહે ફરીને પૂર્વવત્ સમારંભ યોજાયો. ભોજન-પાન આપી બધાયનું