________________
66
આગમસાર–પૂર્વાર્ધ ભગવાને કહ્યું ' કેટલોક સમય શ્રાવક વ્રતનું પાલન કરશે. ત્યારબાદ સંયમ ગ્રહણ કરશે. યથાસમયે ભગવાને ત્યાંથી વિહાર કર્યો. શ્રમણોપાસકના શ્રેષ્ઠ ગુણો યુક્ત સુબાહુ કુમાર જે સમયે પૌષધ કરી ધર્મ જાગરણ કરી રહ્યા હતા તે સમયે એવો મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે તે ક્ષેત્રને ધન્ય છે જ્યાં ભગવાન વિચરી રહ્યા છે, તે ભવ્ય જીવને ધન્ય છે જે ભગવાનની પાસે સંયમ અથવા શ્રાવક વ્રત સ્વીકાર કરી રહ્યા છે. જો ભગવાન વિહાર કરતાં અહીં પધારે તો હું પણ અવશ્ય સંયમ ગ્રહણ કરીશ. સુબાહુકુમારના મનોગત ભાવોને જાણી ભગવાન વિચરણ કરતાં આ હસ્તીશીર્ષ નગરમાં પધાર્યા. માતા-પિતાની આજ્ઞા લઈ સુબાહુ દીક્ષિત થયા. અગિયાર અંગ કંઠસ્થ ક્ય. વિવિધ તપશ્ચર્યા કરી અને અંતે એક મહિનાની સંલેખના કરી કાળધર્મ પામ્યા. સુબાહ અણગાર ક્રમશઃ સાત મનુષ્યના ભવોમાં સંયમની આરાધના કરશે અને વચ્ચે પહેલા, ત્રીજા, પાંચમાં, સાતમા, નવમાં, અગિયારમાં દેવલોક એવં સર્વાર્થસિદ્ધ વિમાન, આમ સાત દેવના ભવ કરશે. ત્યાર પછી ચૌદમા એટલે કે આ ભવ સાથે પંદરમાં ભવમાં સંયમ–તપની આરાધના કરી મોક્ષે જશે.
શેષ નવ અધ્યયન : બીજાથી માંડી દસમા અધ્યયન સુધી બધામાં નગરી આદિના નામોમાં ભિન્નતા છે. બાકી બધું વર્ણન સમાન સમજવું. તેથી સંક્ષિપ્ત પાઠથી જ સૂચન કર્યું છે. અર્થાતુ, જન્મ, બચપન, કલા-શિક્ષણ, પાણિગ્રહણ, સુખોપભોગ, ધર્મ શ્રવણ, શ્રાવક વ્રત, ધર્મ જાગરણ, સંયમ ગ્રહણ, તપ, અધ્યયન, દેવ-મનુષ્યના ૧૫ ભવ અને મોક્ષનું વર્ણન સમાન સમજવું પૂર્વભવનું વર્ણન પણ સુબાહુકુમાર જેવું જ સમજવું. ગૌતમ સ્વામીની પૃચ્છા, શેઠનો ભવ, માસ ખમણના પારણામાં મુનિનું આગમન, શુદ્ધ ભાવોથી દાન, દિવ્ય વૃષ્ટિ, મનુષ્ય આયુષ્યનો બંધ ઈત્યાદિ. પહેલા, બીજા, ત્રીજા અને દસમાં અધ્યયનમાં પંદર ભવો પછી મોક્ષે જવાનું વર્ણન છે. શેષ છ અધ્યયનોમાં તે જ ભવમાં મોક્ષ જવાનું વર્ણન છે. સૂત્રના વર્ણનની શૈલીમાં આ અધ્યયનોમાં આ પ્રકારનું અંતર હોવાનું કારણ સમજાતું નથી. અર્થાત્ ઉપાસકદશા, અંતગડ દશાસૂત્ર સમાન ભવપરંપરા માટેની સમાનતા હોવી જોઈએ. તેથી એવી સંભાવના છે કે સંક્ષિપ્ત પાઠમાં કોઈ લિપિદોષથી આ ભિન્નતા રહી ગઈ હોય. અર્થાત્ ' જાવ સિજિઝસ્સઈ'ના સ્થાન પર જાવ સિદ્ધ લખવાની ભૂલ થઈ ગઈ હોય. આ ભૂલનો. સ્વીકાર કરતાં ઉક્ત બધા સૂત્રોના અધ્યયનોની એકરૂપતા જળવાઈ રહે છે અને બધાની ભવપરંપરા એક સરખી સમજાઈ શકે. તત્વ કેવલી ગમ્યું. શિક્ષા – પ્રેરણા :(૧) ભાગ્યશાળી આત્માઓ પ્રાપ્ત પુણ્ય સામગ્રીમાં જીવનભર આસક્ત નથી રહેતા. ગમે ત્યારે વિરક્ત થઈ ત્યાગ કરે છે. (૨) સંયમ સ્વીકાર ન થાય ત્યાં સુધીમાં શ્રાવકવ્રતોને અવશ્ય ધારણ કરી લેવા જોઈએ. દશે અધ્યયનમાં વર્ણિત રાજકુમારોએ
વિપુલ ભોગમય જીવન જીવતાં છતાં સંપૂર્ણ બારવ્રત સ્વીકાર ક્ય હતા. (૩) સુપાત્ર દાન દેવાથી સમ્યકત્વની પ્રાપ્તિ અને સંસાર પરિત થાય છે. મનુષ્ય આયુનો બંધ અન્ય કોઈ ક્ષણે થાય છે. કારણ કે
સંસાર પરિતીકરણ સમ્યકત્વ પ્રાપ્તિ પછી થાય છે. અને સમ્યકત્વની હાજરીમાં મનુષ્યનું આયુષ્ય નથી બંધાતું. ભગવતી. સૂત્રની શાખે. તેથી સુબાહુકુમારનો આયુબંધ અન્ય ક્ષણે થયો તેમ માનવો જોઇએ. ઘરમાં મુનિરાજ ગોચરીએ પધારે ત્યારે વિધિપૂર્વક વ્યવહાર કરવો જોઇએ. સુદત્ત શેઠની જેમ સમજવું. વર્તમાને મુનિરાજ પધારતાં અતિભક્તિ યા અભક્તિના અવિવેક એવં દોષયુક્ત વ્યવહાર થતા હોય તો તેમાં સંશોધન કરવું. ગોચરી અર્થે પધારતાં મુનિવરને વંદન-નમસ્કારનું જે વર્ણન છે તે ત્રણ વખત ઉઠબેસ કરવું તેમ નથી. રસ્તામાં કે ગોચરીના સમયે કેવલ વિનય વ્યવહાર જ કરવાનો હોય છે. હાથ જોડી મસ્તક નમાવી 'મર્થેણ વંદામિ' કહેવું. તિકખુતોના
પાઠથી ત્રણ વખત વંદન કરી ચરણ સ્પર્શ કરી મુનિને અટકાવતાં અવિવેક થાય છે. (૬) મુનિરાજને જોતાં દૂરથી જ અભિવાદન કરવું. આસન છોડવું, પગરખા કાઢવા એ વિનય વ્યવહાર છે, ૭-૮ પગલા આગળ
જવું, નજીક આવતાં ઉત્તરાસન મુખે રાખવું. એટલે ખુલ્લા મુખે ન રહેવું.(અહિં સૂત્રકાર ભગવાનના શાસનનો આદર કરનાર
૭–૮ કર્મોનો ક્ષય કરે છે એવું સુચવવા માંગે છે.તેથી ગણીને ૮ પગલાં નહિં પણ વિવેક પૂર્વક અભિવાદન, એમ સમજવું) (૭) સુપાત્ર દાન દેતાં સૈકાલિક હર્ષ થવો જોઈએ. દાન દેવાનો અવસર પ્રાપ્ત થતાં, દાન દેતાં અને દાન દીધા પછી આમ ત્રણે
કાલ ઉત્કૃષ્ટ ભાવ રહેવા જોઇએ. (૮) સુપાત્રદાનની ત્રણ શુદ્ધિ – દાતાનો ભાવ શુદ્ધ હોય, લેનાર મુનિરાજ સમ્યક જ્ઞાન-દર્શન–ચારિત્રયુક્ત હોય, અને દાન
અચિત્ત તેમજ એષણીય હોવું જોઇએ. (૯) ત્રણ શુદ્ધિ, ત્રણ હર્ષ અને દીર્ઘ તપશ્ચર્યાનું પારણું હોય તો દેવો ખુશ થઈ પાંચ દિવ્ય પ્રગટ કરે છે. (૧૦) પાંચ વર્ણના પુષ્પોની વૃષ્ટિમાં દેવકૃત અચિત્ત પુષ્પ સમજવા.
રાજપ્રશ્નીયા પ્રસ્તાવના - પ્રસ્તુત આગમ કથા પ્રધાન શાસ્ત્ર છે. અન્ય કથા આગમોની અપેક્ષાએ આ સૂત્રમાં વિશિષ્ટતા એ છે કે તેમાં ફક્ત એક આત્માનું જ વર્ણન કર્યું છે. આ સૂત્ર બે વિભાગમાં વિભક્ત છે. પ્રથમ વિભાગમાં સૂર્યાભદેવનું વર્ણન, તેની દૈવી ઋદ્ધિ સંપદા, દેવવિમાન એવં ઋદ્ધિવાન દેવના જન્મ સમયે કરવામાં આવતા વિધિ-વિધાનો એટલે કે જીતાચારોનું રોચક વર્ણન છે. બીજા વિભાગમાં પ્રદેશ રાજાનું સાંસારિક અધાર્મિક જીવન, ચિત્ત સારથીના પ્રયત્નથી કેશી શ્રમણનો સમાગમ, અદ્ભુત જીવન પરિવર્તન, થોડા જ સમયમાં શ્રમણોપાસક પર્યાયની આરાધના કરી આત્મકલ્યાણ ક્યું. જેથી પ્રથમ દેવલોકમાં મહાઋદ્ધિવાન સામાનિક દેવ બન્યા. પરિવાર સહિત ભગવાન મહાવીરના દર્શન–વંદન-પર્યાપાસના માટે આવવું વગેરે વર્ણન છે. અંતે મોક્ષે જવાનું કથન ક્યું છે.