SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર jainology જ્ઞાતા ધર્મકથા સૂત્ર પરિચય :- જ્ઞાતા ધર્મકથા સૂત્ર ગણધરકૃત છઠું અંગસૂત્ર છે. તેના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુત સ્કંધમાં કેટલીક કથાઓ ઐતિહાસિક છે તો કેટલીક કથાઓ કલ્પિત છે. આ બધીજ કથાઓનો ઉદ્દેશ વિવિધ પ્રતિબોધ, પ્રેરણા અથવા શિક્ષા દેવાનો છે. જેથી મુમુક્ષુ સાધક સરળતાથી આત્મ ઉત્થાન કરી શકે. આ કથાઓમાં શ્રદ્ધાનું મહત્વ, આહાર કરવાનો ઉદ્દેશ, અનાસક્તિ, ઇન્દ્રિય વિજય, વિવેકબુદ્ધિ, ગુણવૃદ્ધિ, પુગલ સ્વભાવ, કર્મ વિપાક, ક્રમિક વિકાસ, કામભોગોનું દુષ્પરિણામ, સહનશીલતાના માધ્યમથી સંયમની આરાધના-વિરાધના અને દુર્ગતિ-સદ્ગતિ આદિ વિષયો ઉપર સરળ ભાષામાં પ્રકાશ પાડ્યો છે. આ કથાઓ વાદ-વિવાદ કે મનોરંજન માટે નથી પણ જીવન ઉત્થાનને માટે ચિંતન-મનન કરવા યોગ્ય છે. દ્વિતીય શ્રુતસ્કંધમાં સંયમ સાધના કરીને દેવલોકમાં જનારી ૨૦૬ સ્ત્રીઓનું વૃત્તાંત છે. બધી સ્ત્રી પર્યાયમાં સંયમ સ્વીકાર કરી દેવીના રૂપમાં ઉત્પન્ન થઈ છે. દેવ ભવ પછી મનુષ્ય ભવ પ્રાપ્ત કરી સંયમની શુદ્ધ આરાધના કરી મુક્તિ મેળવશે. આ પ્રમાણે આ છઠું અંગસૂત્ર કથાપ્રધાન છે. સામાન્ય જન માટે રોચક આગમ છે. જીવન નિર્માણ માટે અનેક પ્રેરણાઓનો ભંડાર છે. વધુ વિશેષતા એ છે કે અહીં કહેવામાં આવેલી બધી જ પ્રેરણાઓ સાધુ-સાધ્વી તથા શ્રમણોપાસક બને વર્ગને ઉપયોગી છે. પ્રથમ શ્રુતસ્કંધના ૧૯ અધ્યયન છે. દ્વિતીય શ્રુતસ્કંધના દશ વર્ગ છે અને તેના કુલ ૨૦૬ અધ્યયન છે. સંપૂર્ણ સૂત્ર ૫૫૦૦ શ્લોક પ્રમાણ માનવામાં આવે છે. આ સૂત્રમાં શિક્ષાપ્રદ દષ્ટાંત તથા ધર્મકથાઓ હોવાથી તેનું નામ "જ્ઞાતા ધર્મકથા" સૂત્ર રાખવામાં આવ્યું છે. સંક્ષિપ્તમાં તેને જ્ઞાતાસૂત્ર પણ કહેવામાં આવે છે. પ્રથમ શ્રુતસ્કંધ પ્રથમ અધ્યયન - મેઘકુમાર પચ્ચીસસો વર્ષ પૂર્વે રાજગૃહી નામના નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેમને ચેલણા-ધારિણી આદિ અનેક રાણીઓ હતી. ઔપપાતિક સૂત્ર આદિમાં શ્રેણિકની કુલ પચીસ રાણીઓનું વર્ણન આવે છે. એકદા સમય ધારિણી રાણીને સ્વપ્ન આવ્યું, જેમાં તેણીએ જોયું કે આકાશમાંથી એક સુંદર હાથી ઉતરીને તેના મુખમાં પ્રવેશ ક્ય. જેના ફલસ્વરૂપે એક પુણ્યાત્મા ગર્ભમાં આવ્યો. ગર્ભકાળના ત્રીજે મહીને દોહદ ઉત્પન્ન થયો. જેથી તીવ્ર ઇચ્છા થઈકે વરસતા વરસાદમાં, હરિયાળી યુક્ત પ્રાકૃતિક દશ્યમાં રાજા શ્રેણિકની સાથે નગર અને ઉપવનમાં એશ્વર્યનો આનંદ ભોગવતી વિતરું. પ્રકૃતિની ભવ્યતા કોઈપણ માનવીના હાથમાં નથી હોતી. અસમયમાં ઉત્પન્ન થયેલો દોહદ પૂર્ણ ન થવાથી રાણી ચિંતિત રહેવા લાગી અને ઉદાસીન થઈ ગઈ. અંતે બુદ્ધિનિધાન અભયકુમારે અઠ્ઠમ તપ કરી મિત્રદેવનું સ્મરણ કર્યુ અને તેના સહયોગથી મનોકામના પૂર્ણ થઈ. યથાસમયે ધારિણીને પુત્ર જનમ્યો જેનું નામ મેઘકુમાર રાખવામાં આવ્યું. આઠ વર્ષ વીત્યા પછી તેને કલાચાર્ય પાસે અભ્યાસ કરવા મોકલ્યો ત્યાં તેણે પુરુષની ૭ર કળાઓનું જ્ઞાન મેળવીને તેમાં નિષ્ણાત થયો. યુવાન થતાં આઠ રાજકન્યાઓ સાથે લગ્ન કર્યા. આ પ્રમાણે પ્રાપ્ત ઋદ્ધિનો ઉપયોગ કરતાં મેઘકુમાર વિચરવા લાગ્યો. મેઘકુમારની દીક્ષા:- ભગવાન મહાવીર સ્વામી રાજગૃહીમાં પધાર્યા. ધર્મસભા એકઠી થઈ. મેઘકુમાર પણ ઉપસ્થિત થયા. વૈરાગ્ય ભરપૂર ઉપદેશ સાંભળી મેઘકુમાર સંસારના ભોગોથી વિરક્ત થયા. માતા-પિતા પાસે અનુમતિ માંગી, માતા-પિતાએ તેમને ખૂબ સમજાવ્યા છતાં તે વૈરાગ્યમાં દઢ રહયા. અંતે તેમણે દિક્ષાની આજ્ઞા આપી. રાજકુમારે સંપૂર્ણ રાજવૈભવ તથા પરિવારનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી. પ્રથમ રાત્રે જ શ્રમણોના ગમનાગમન આદિથી ક્ષણમાત્ર પણ ઉંઘ ન આવી, જેથી તેનું મન સંયમથી ચલ-વિચલ થયું. અંતે સવાર થતાં જ ભગવાન પાસે જઈ સંયમ ત્યાગનો નિર્ણય મનોમન કરી લીધો. પ્રાતઃકાલે ભગવાન સમીપે ગયા. વંદન નમસ્કાર કરી ઊભા રહયા ત્યાં જ પ્રભુએ તેમના સંપૂર્ણ મનોગત સંકલ્પને જાહેર કરી કહ્યું કે તમે તે જ આશયથી મારી. પાસે આવ્યા છો? મેઘમુનિએ ભગવાનના વચનોનો સ્વીકાર ર્યો. ભગવાને પ્રતિબોધ માટે તેમનો પૂર્વભવ કહ્યો. પૂર્વભવઃ- હે ત્રીજા ભવમાં સમરપ્રભ નામનો હાથી હતો. એક હજાર હાથી–હાથણીઓનો નાયક હતો. નિર્ભય થઈ ક્રિીડા કરી રહયો હતો. તારી વૃદ્ધાવસ્થામાં જેઠ મહિનામાં જંગલમાં ભયંકર દાવાનળ પ્રગટ્યો. જંગલના અનેક પ્રાણીઓ ત્રાસી ભાગવા લાગ્યા. તે સમયે હે મેઘ! તું ભૂખ તરસથી આકુળ-વ્યાકુળ થઈ સરોવર તટે પહોંચ્યો. પાણી પીવાની આશાએ સરોવરમાં ઉતર્યો પણ તેમાં બહુ કીચડ હોવાથી ફસાઈ ગયો. જેમ જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરતો ગયો તેમ તેમ વધુને વધુ ખેંચતો ગયો. તે વખતે કોઈ યુવાન હાથી ત્યાં આવ્યો જેને તે તારા ઝૂંડમાંથી હરાવીને કાઢી મૂક્યો હતો. તેને જોતાંજ તે ક્રોધથી ભભૂકી ઉઠ્યો. દાંતથી ભયંકર પ્રહાર કરી લોહીલુહાણ બનાવી તારો બદલો લીધો. તે સમયે તને અસહ્ય વેદના થઈ. હે મેઘ! આવી અસહ્ય—પ્રચંડ વેદનામાં તે સાત દિવસ–રાત્રિ પસાર કરી, મૃત્યુ પામી મેરુપ્રભ નામનો હાથી બન્યો. કાળાંતરે તે મેરુપ્રભ હાથી પણ યૂથપતિ બન્યો. એક વખત ગરમીના દિવસોમાં જંગલમાં દાવાનળ લાગ્યો. બધા પ્રાણી જયાં ત્યાં ભાગવા લાગ્યા. મેરુપ્રભ તે દાવાનળને જોઈ વિચારમાં પડી ગયો. જાતિસ્મરણ જ્ઞાન થતાં પૂર્વભવનું સ્મરણ થયું. વારંવાર થતી આ આપત્તિથી બચવા તેણે ઉપાય શોધી કાઢયો. દાવાનળ શાંત થયો. વનમાં બીજા પશુઓની સહાયતાથી એક મોટું મેદાન સાફ કે જેમાં કિંચિત્ત માત્ર ઘાસ ન હોય. જેથી જંગલના તમામ પશુઓ થોડો સમય ત્યાં રહી દાવાનળથી સુરક્ષા પ્રાપ્ત કરી શકે. એક વખત જેઠ મહિનામાં ફરીને જંગલમાં આગ લાગી. સાફ કરેલું આખું મેદાન પ્રાણીઓથી ભરચક ભરાઈ ગયું. હે મેઘા તું પણ મેરુપ્રભ હાથીના રૂપમાં ત્યાં ઊભો હતો. અચાનક ચળ (ખંજવાળ) આવવાથી તે પગ ઊંચો કર્યો. સંયોગોવસાત્ સસલું તારા પગની નીચેની ખાલી થયેલી જગ્યામાં બેસી ગયું. સસલાને જોઈને હે મેઘા અનુકંપાના શ્રેષ્ઠ પરિણામોથી તેં તારો પગ ઊંચેજ રાખ્યો. અનુકંપાના શ્રેષ્ઠ પરિણામોથી સંસાર પરિત્ત
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy