________________
jainology |
265
આગમસાર
વિનય(નમ્રતા) જૈનશાસનનું મૂળ છે. વિનય જ મોક્ષ સુધી પહોંચાડે છે વિનય સહિત ક્રિયા જ ધર્મ તેમજ તપની ગણતરીમાં હોય છે. વિનય રહિત આત્માને કોઈ તપ અથવા ધર્મની પ્રાપ્તિ થવી સંભવ નથી.
દશવૈકાલિક સૂત્ર. અ૦–૯ અર્થ :– કોઈના દ્વારા કોઈ પ્રકારની શિક્ષા, ઠપકો, પ્રેરણા અથવા ભૂલ અવગુણ બતાવવા પર તેને સાંભળીને જે ગુસ્સો કરે છે, સામેની વ્યક્તિથી નારાજ થાય છે, તેને અપમાનિત કરે છે અને પોતે અસમાધિ પ્રાપ્ત કરે છે. તે વ્યક્તિ જાણે ઘરમાં આવતી લક્ષ્મીને ડંડા મારીને જોરથી બહાર ધકેલે છે.
ક્યારેય પણ કોઈ સમયે પોતાની શાંતિનો ભંગ થવાનો આભાસ થાય તો પોતે પોતાના આત્માનું, પ્રકૃતિનું, વિચારોનું દમન કરવું જોઇએ. બીજા ઉપર આદેશ, હુકમ, માસ્ટરી કરવામાં શાંતિનો સંભવ નથી. કહ્યું પણ છે— અપ્પા ચેવ દમેયલ્વો
અપ્પા દંતો સુહી હોઈ, અસ્સુિં લોએ પરત્થ ય।
આત્માનું જ દમન કરવું જોઇએ. આત્માનું દમન કરનારા આ ભવ અને પરભવમાં સુખી થાય છે.[ઉત્તરા૦ અ૦ ૧] તેથી પોતાના સ્વભાવનું, ક્ષમતાનું, પરિવર્તન, પરિવર્ધન કરવું જોઇએ પરંતુ બીજાના સ્વભાવને બદલાવીને આત્મશાંતિ પ્રાપ્ત કરવાને માટે પરેશાન અને અશાંત ન થવું જોઇએ. કહ્યું પણ છે—
પર સ્વભાવ કો મોડના ચાહે, અપના ઠસા જમાતા હૈ . યહ ન હુઇ ન હોને કી, ક્યોં નાહક જાન જલાતા હૈ ।
=
માટે પોતાની ઇચ્છાઓનું દમન કરવું, મનમાં ભૂતકાલમાં કરેલા કર્મોનો વિચાર કરવો કે મારા કરેલા કર્મોના પરિણામથી જ આ અવસર ઉત્પન્ન થયો છે; આ પરીક્ષાની ઘડીઓમાં મહાનિર્જરાનો લાભ શાંતિ દ્વારા જ પ્રાપ્ત થશે; બાંધ્યા વિના ભગતે નહીં, બિન ભગત્યાં ન છુટાય' આ રીતે આત્મચિંતન, અથવા આત્મદમનપૂર્વક સંયમના આનંદમાં ૨મણતા કરવી, એકત્વ ભાવના આદિથી આત્માનંદનો અનુભવ કરતા રહેવું જોઇએ. ધગધગતા જાજ્વલ્યમાન અંગારા પણ આત્માનંદને છીનવી શકતા નથી. વિકરાળ રાક્ષસ પણ અશાંતિ કરાવી શકતો નથી, જો પોતાની જ્ઞાન ચિંતન શક્તિ સાવધાન(જાગૃત) હોય તો.
નિમિત્ત પ્રાપ્ત થવા પર વાચિક અથવા કાયિક અશુભતારૂપ કચરાના ગ્રાહક બનવું જ ન જોઇએ. પરંતુ એવો વિચાર કરવો કે જેવા તેના અને મારા ઉદયભાવ કે સ્પર્શના છે, તે થઈ રહ્યું છે; હું શા માટે અશાંતિ કારી ચિંતન કરું ? તેનો જેવો સ્વભાવ છે તેવો જ વ્યવહાર કરી શકે છે. (જૈસી જાપે વસ્તુ હૈ, વૈસી હૈ દિખલાય, ઉસકા બુરા ન માનિયે, વો લેન કહા પર જાય ). જો મારે અશુભ કર્મ, અપયશ, અશાતા આદિનો ઉદય છે તો અધૈર્ય, અશાંતિ કરવાની જગ્યાએ, ધૈર્ય તેમજ શાંતિથી જ કામ લેવું લાભકારી થશે.
મારે હવે નવા કર્મ બાંધવા નથી. હું પોતાની સાવધાનીને શાંતિમાં મસ્ત રહું. ‘જે જેવું કરશે તેવું ભોગવશે’ હું કેટ–કેટલાની ભૂલ રૂપ કચરાને મગજમાં ભરું ? દરેકના પુણ્ય–પાપ અલગ-અલગ હોય છે, ક્ષયોપશમ પણ જુદા—જુદા હોય છે. પોતાના ઉદયને આધીન થઈને પ્રાણી નવા કર્મ બાંધી રહ્યો છે, તે ક્ષમાને પાત્ર છે, દયાને પાત્ર છે, પોતે જ દુ:ખી થવાનું ભવિષ્ય બનાવી રહ્યો છે. હું તેને કંઈ પણ કહીને વધારે દુ:ખી શા માટે કરું ? મરતા જીવને મારીને હું શા માટે પાપ કર્મનો ભાગી બનું ? એવું વિચારીને તેને માફી આપી દેવી. તેના ભૂલ રૂપી કચરાને પોતાના મગજમાં સ્થાન દેવું જ નહિ, કાઢીને ફેંકી દેવું, ઉપેક્ષા કરીને ભૂલી જવું, સાંભળ્યું, જોયું ન જોયું કરી દેવું. પોતાના ઉપાદાન કર્મને મુખ્ય કરીને, નિમિત્તને ગૌણ કરી શાંતિ–સમાધિને સુરક્ષિત રાખવી.
કોઈ પ્રત્યે નારાજી આપણા મગજમાં લાવવી નહિ. કદાચ આવી જાય તો રહેવા દેવી નહિ, કાઢી જ નાખવી. ગુણ–અવગુણ દરેક પ્રાણીમાં હોય છે. હું કોના કોના દોષ જોઉં ? આપણને અશુભ કર્મનો ઉદય હોય તો સારી વ્યક્તિ પણ ખરાબ વ્યવહાર કરી શકે છે, એક વ્યક્તિ અનેકની સાથે મિત્ર જેવા વ્યવહાર કરે છે, તે જ વ્યક્તિ કોઈની સાથે ખરાબ વ્યવહાર પણ કરી શકે છે. મારે આરાધના કરવી હોય તો કોઈના પ્રત્યે પણ નારાજી, અપ્રસન્નતા રાખવી નહિ પણ ક્ષમા આપી દેવી. કોઈ પણ રીતે શીઘ્ર શાંતિ ભાવને ધારણ કરી લેવો અને જો ક્યારેય પણ વચન પ્રયોગ આદિ દ્વારા પોતાની ભૂલ થઈ ગઈ હોય તો ‘અશુભ દશાથી મારી ભૂલ થઈ' આવું સ્વીકારી બીજાના આત્માને શાંતિ પહોંચાડતાં ક્ષમા માંગીને બંનેએ શાંતિ ધારણ કરવી જોઇએ. પોતે વચન અને કાયાથી કંઈ પણ અશુભ ન ર્ક્યુ હોય તો તેને મનથી ક્ષમા આપી દેવી અને પોતે શાંતિ રાખવી એ જ પર્યાપ્ત સમજી લેવું. જો વચન કે કાયાથી પણ અશુભ પ્રવૃત્તિ કરી હોય તો જાગૃતિ આવ્યા પછી પશ્ચાત્તાપ યુક્ત તેનાથી ક્ષમા માગવી એ પણ આરાધના માટે અતિ જરૂરી છે. તેથી ક્ષમા કરવી તથા જરૂર હોય તો ક્ષમા માંગવી, નારાજ ન થતાં પ્રસન્ન રહેવું, દરેક પ્રાણી પ્રત્યે શુભ ભાવ, શુભ વ્યવહાર કરવો, ત્યાં સુધી કે અહિત કરનારને પણ આત્મ હિતૈષી(નિર્જરા નિમિત્તક) માનીને, થઈ શકે તો તેનું પણ હિત અને ઉપકાર કરવો. અપકાર અને અહિત તો ક્યારેય કોઈનું વિચારવું જ નહિ.
કોઈના નિમિત્તથી અથવા વગર નિમિત્તે કાયિક અથવા માનસિક કોઈપણ દુ:ખ આવે તો ગભરાવું જોઇએ નહીં. પરંતુ આ રીતે વિચારવું કે (ન મે ચિરં દુખ્ખમિણે ભવિસ્સઈ) મારું આ દુઃખ કાયમ રહેવાવાળું નથી.- દશવૈકાલિક ચૂલિકા-૧. બિચારા કેટલાય પ્રાણી અસંખ્ય વર્ષો સુધી ભયંકર દુઃખ ભોગવી રહ્યા છે. મારું આ દુઃખ તો બહુ થોડું છે. એને તો ધૈર્ય અથવા જ્ઞાન દ્વારા પાર પામી જવું ઘણું સરળ છે. એમાં મુંજાવાની શું જરૂર છે? (''પલિઓવમં ઝિજઝઈ સાગરોવમં, કિ પણ મજજ ઇમં મણો દુ ં ." )દશવૈ૦ ફૂટ−૧.
આ રીતે જિનવાણી રૂપી પ્રબલ આલંબન દ્વારા પોતાના આત્માની દુઃખથી રક્ષા કરવી જોઇએ. હંમેશાં સમભાવ રૂપ આત્મ સમાધિમાં રમણ કરતા થકાં સુખનો જ અનુભવ કરવો જોઇએ. –રાઈ માત્ર ઘટ વધ નહીં, દેખ્યા કેવલજ્ઞાન,– આવું વિચારીને આર્તધ્યાનથી દૂર રહેવું જોઇએ અને સ્વાધ્યાય, ધ્યાન આદિ ધર્મધ્યાનમાં જ લીન રહેવું જોઇએ.
બીજાઓ દ્વારા અશુદ્ધ વ્યવહાર કરવા પર કે કરવાની સંભાવનામાં દુ:ખી અથવા અશાંત ન થવું. બીજાઓની પ્રકૃતિ–વ્યવહાર કેવોય હોય તો પણ જ્ઞાની તેમજ સાવધાન વ્યક્તિના આત્માનું કંઈ પણ બગાડી શકાતું નથી. જો પોતાને શુભ કર્મોના ઉદય હોય તો કંઈ જ નહી થાય. તેનો વ્યવહાર પણ સારો બની જશે. સુખી રહેવાનો સાચો ઉપાય આત્મદમન જ છે. શાંતિથી સહન કરવામાં નિર્જરા અને પરમ આનંદ પ્રાપ્ત થાય છે. પ્રતિકાર કરવામાં કર્મબંધ અને દુ:ખની પરંપરા વધે છે. કોઈપણ