SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ 111 jainology આગમસાર આિયંબિલ આયંબિલ પચ્ચક્ઝામિ, ૧ અણત્થણાભોગેણં, ૨. સહસાગારેણં ૩ લેવાલેવેણ ૪ ઉમ્મિત્તવિવેગેણં ૫. ગિહિત્યસંસર્ણ ૬ પારિઠ્ઠાવણિયાગારેણં, ૭ મહત્તરાગારેણં ૮ સવ્વસમાહિ–વત્તિયાગારેણં વોસિરામિ. [ઉપવાસ] ઉગ્ગએ સૂરે, અભgછું પચ્ચક્ઝામિ, ચઉવિહં પિ આહારં અસણં, પાછું, ખાઇમં, સાઇમ; ૧ અષ્ણત્થણાભોગેણં, ૨. સહસાગારેણં ૩ પારિફાવણિયાગારેણં ૪ મહત્તરાગારેણં ૫. સવ્વસમાહિ-વત્તિયાગારેણં વોસિરામિ. દિવસ ચરિમ] દિવસચરિમં પચ્ચખામિ, ચઉવિહં પિ આહાર અસણં, પાછું, ખાઇમં, સાઇમ; ૧ અણત્થણાભોગેણં, ૨. સહસાગારેણં ૩ મહત્તરાગારેણં ૪ સવ્વસમાહિ-વત્તિયાગારેણે વોસિરામિ. [અભિગ્રહ] અભિગ્રહ પચ્ચક્ઝામિ, ચઉવ્યિાં પિ આહાર અસણં પાણં, ખાઇમં, સાઇમ; ૧ અષ્ણત્થણાભોગેણં, ૨. સહસાગારેણું ૩ મહત્તરાગારેણં ૪ સવ્વસમાહિ- વત્તિયાગારેણ વોસિરામિ. ઉપસંહાર: અંતિમ મંગલ સિદ્ધ સ્તુતિ પાઠ(સ્તવ સ્તુતિ મંગલ પાઠ):(નમોત્થણે અરિહંતાણં ભગવંતાણં . ઠાણું સંપત્તાણં નમો જિણાણે જિયભયાણ .). સૂત્ર સિવાયના પ્રચલિત ગુજરાતી પાઠો (૧) છ કાયા (૬) ચૌદ સંમૂર્છાિમ (૧૧) પ્રત્યાખ્યાન (૨) પાંચ મહાવ્રત (૭) પચ્ચીસ મિથ્યાત્વ (૧૨) પ્રતિક્રમણ શુદ્ધિ (૩) રાત્રિ ભોજન (૮) ક્ષમાપના પાઠ (૧૩) અઢાર પાપ (૪) સમિતિ ગુપ્તિ (૯) કાયોત્સર્ગ આજ્ઞા (૧૪) જ્ઞાનના અતિચાર (૫) સંલેખના-સંથારા (૧૦) તપ ચિંતન (૧૫) દર્શનના અતિચાર અતિચાર ચિંતન વિધિ [ પ્રથમ આવશ્યકમાં] અતિચાર ચિંતનની બે પ્રકારની વિધિ છે. જેમ કે- (૧) દિનચર્યા ચિંતન વિધિ (૨) છ કાય, મહાવ્રત, સમિતિ ગુપ્તિના સ્વરૂપને આધારે અતિચાર ચિંતન વિધિ. (૧) સવારે સૂર્યોદય પછી મુહપત્તિ પ્રતિલેખનથી લઈને જે કાંઈ દૈનિક કાર્ય, વચન પ્રયોગ વગેરે ક્ય હોય, તેનું ક્રમથી સ્મરણ કરતાં કરતાં વિચારવું કે તેમાં ક્યાંય કોઈપણ સંયમ કલ્પવિધિમાં અતિચાર દોષ લાગ્યો નથી ને? કોઈ અવિધિ તો થઈ નથી ને? આમ ક્રમશ સાંજનું પ્રતિક્રમણ શરૂ કરતાં પહેલાંના બધા કાર્યક્રમોમાં ઉપયોગ લગાવીને અનુપ્રેક્ષણ કરવું,આ દિનચર્યા ચિંતન વિધિ છે (૨) છ કાય, પાંચ મહાવ્રત સ્વરૂપ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, એમ જ્ઞાન દર્શન, ચારિત્ર તપના સ્વરૂપના આધારે અનુપ્રેક્ષણ કરવું કે આ સંયમના મુખ્ય નિયમ, ઉપનિયમોમાં કાંઈ અલના તો થઈ નથી ને? નોંધ:- આ બંને ચિંતન વિધિનો નિર્દેશ આવશ્યક નિર્યુક્તિ ભાષ્ય ટીકામાં ઉપલબ્ધ છે. આ ચિંતન પ્રવૃત્તિઓ ભાવાત્મક રૂપથી પરંપરામાં ચાલવાથી તત્સંબંધી સ્વતંત્ર કોઈ પણ મૂળપાઠ આવશ્યક સૂત્રમાં નથી પરંતુ તેનો વિધિ રૂપ સંકેત ઉત્તરાધ્યયન સત્ર આદિમાં છે. આજકાલ ચિંતન વિધિ પ્રાયઃ લોપ જ થઈ રહી છે. કેવળ પરંપરાથી પ્રાપ્ત પાઠનું પુનરાવર્તન માત્ર કાઉસ્સગ્નમાં કરી લેવામાં આવે છે અને આત્મ- નિરીક્ષણ, અવલોકન, તેમજ ભાવાત્મક ચિંતનનું લક્ષ્ય ગૌણ થઈ ગયું છે. આત્માર્થી સાધકોએ આ વિષયમાં અવશ્ય સુધારો કરવો જોઇએ. બીજા પ્રકારે ચિંતન વિધિ માટે પાઠ આ રીતે છે. છ કાયનો પાઠ:પૃથ્વીકાય:- રસ્તામાં વિખરાયેલી સચિત્ત માટી, મુરડ, રેતી, બજરી, કાંકરી પથ્થરના ટુકડા અથવા ચૂરો, પત્થરના કોલસા અથવા ચૂરો, મીઠાં આદિ પૃથ્વીકાયના જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. અષ્કાય:- ઘરમાં ઢોળાયેલું પાણી, ધોયેલું પાણી, રસ્તામાં ફેંકાયેલું પાણી; નળ, પરબ વગેરે પાસે ઉછળતું પાણી; વર્ષા, જાકળ, ધુમ્મસ અને સૂમ વૃષ્ટિ કાયનું પાણી, નદી, નાળાં, કુવા, વાવડી, તળાવ આદિનું પાણી ઇત્યાદિ સચિત્ત અથવા મિશ્ર પાણીનો સંઘટ્ટો, વિરાધના થઈ હોય અને ધોવણની ગવેષણા આદિમાં અપ્લાય જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. તેઉકાય – ગોચરી જવાના પ્રસંગમાં કોઈપણ પ્રકારની અગ્નિની વિરાધના થઈ હોય, રસ્તે ચાલતાં બીડી આદિ, સ્કુટર, ટેક્સી આદિનો સંઘટ્ટો ઈત્યાદિ રૂપે તેઉકાયની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. વાઉકાય:- શરીરના અંગોપાંગ, હાથ, પગ, મસ્તક વગેરેને ઉપદેશ, વાતચીત આદિ કાર્યમાં. પ્રતિલેખન, પ્રમાર્જનમાં તીવગતિથી જાટકાથી, ઉતાવળથી ચલાવ્યાં હોય; આ જ રીતે કોઈપણ ઉપકરણ, રજોહરણ, પાત્ર વસ્ત્ર, પુંજણી આદિને તીવ્રગતિથી, જાટકાથી, ઉતાવળથી ચલાવ્યાં હોય, પટક્યું ફેંક્યું હોય અથવા ઉપકરણ શરીર આદિને શાંતિથી યતનાપૂર્વક હલાવવાનું ધ્યાન રાખ્યું ન હોય; મુહપત્તિ વિના બોલાયું હોય; ઉતરવું, ચઢવું, ચાલવું તીવ્રગતિથી કુદકા અથવા ઠેકડાં મારતા ક્યું હોય, જેનાથી વાઉકાયની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. વનસ્પતિકાય:- લીલું ઘાસ, અંકુરા, લીલાપાન, ફૂલ, બીજ, શાક વગેરેના છોતરાં અથવા ટુકડાં, મરચાના બી, અનાજ, ગોટલી વગેરેની રસ્તામાં, ઘરોમાં વિરાધના થઈ હોય, શેવાળ, લણનો સંઘટ્ટો થયો હોય અથવા તેનું ઉલ્લંઘન કરવું પડ્યું હોય ઇત્યાદિ વનસ્પતિકાયની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. બેઇન્દ્રિય – નાની મોટી લટ, કૃમિઓ વગેરે બેઇન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy