SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ jainology I 169 આગમસાર (૫) સાધુ વચન :– ‘પોરસી આદિનો સમય પૂર્ણ થઈ ગયો' – આ પ્રકારે કોઈ સાધુ (સભ્ય પુરુષ)ના કહેવાથી સમય મર્યાદામાં ભૂલ થઈ જાય તો આગાર. (૬) સર્વ સમાધિ પ્રત્યયાગાર :– સંપૂર્ણ સમાધિ ભંગ થઈ જાય અર્થાત્ આકસ્મિક રોગાતંક થઈ જાય તો તેનો આગાર. (૭) મહત્તરાગાર :– ગુરુ આદિની આજ્ઞાનો આગાર. વધેલો આહાર પરઠવો પડે એવી સ્થીતિમાં ગુરુની આજ્ઞા થવાથી . (૮) સાગારિકાગાર :– ગૃહસ્થના આવી જવાથી સાધુને સ્થાન પરિવર્તન કરવાનો આગાર(એકાસણામાં) (૯) આકુંચન પ્રસારણ :- હાથ-પગ આદિ ફેલાવવાનો અથવા સંકુચિત્ત કરવાનો આગાર(એકાસણામાં) (૧૦) ગુર્વભ્યુત્થાન :– ગુરુ આદિના વિનય માટે ઊભા થવાનો આગાર. (૧૧) પારિષ્ઠાપનિકાગાર ઃ– વધેલ આહાર પરઠવો પડે તેમ હોય તો તેને ખાવાનો આગાર.(વિવેક રાખવા છતાં પણ ગોચરીમાં આહાર અધિક આવી જાય, આહાર વાપર્યા પછી પણ શેષ રહી જાય તો ગૃહસ્થ આદિને દેવો કે રાત્રે રાખવો એ સંયમ વિધિ નથી, તેથી એવો આહાર પરઠવા યોગ્ય હોય છે. તે ખાવાનો અનેક પ્રત્યાખ્યાનમાં સાધુને આગાર રહે છે. ગૃહસ્થને આ આગાર હોતો નથી (૧૨) લેપાલેપ :– શાક, ઘી આદિથી લિપ્ત વાસણમાં રાખેલો કે તેવા પદાર્થને સ્પર્શેલો ગૃહસ્થ વહોરાવે, તેનો આગાર. (૧૩) ઉત્સિંપ્ત વિવેક :– રૂક્ષ આહાર ઉપર રાખેલા સુકા ગોળ આદિને ઉઠાવીને દે તો તે લેવાનો આગાર. (૧૪) ગૃહસ્થ સંસૃષ્ટ :– દાતાના હાથે, આંગળી આદિએ લાગેલ ગોળ–ઘી આદિનો લેપ માત્ર રૂક્ષ આહારમાં લાગી જાય તેનો આગાર. (૧૫) પ્રતીત્ય પ્રક્ષિત :- કોઈ કારણો અથવા રિવાજથી કિંચિત્ત અંશ માત્ર વિગય લગાવવામાં આવે તો તેનો આગાર. જેમ કે બાંધેલા લોટ પર ઘી લગાવવામાં આવે છે, પાપડ કરતી વખતે તેલ ચોપડવામાં આવે છે. દૂધ કે દહીંના વાસણ ધોયેલ ધોવણ પાણી ઇત્યાદિ આ પદાર્થોનો નિવીમાં આગાર હોય છે. નોંધઃ। :– ક્યા પ્રત્યાખ્યાનમાં ક્યા ક્યા આગાર છે તે મૂળ પાઠ જોઈને જાણવાનો પ્રયત્ન કરવો, તેની સંખ્યા આ પ્રકારે છે– ક્રમ તપ નામ ૧ નવકારસીમાં પોરસીમાં આગાર ક્રમ | તપ નામ ૬ નિવીમાં ૭ ८ ૯ ૧૦ અભિગ્રહમાં આગાર ૯ ८ આયંબિલમાં ઉપવાસમાં ૫ દિવસ ચરિમમાં ૪ ૪ ૨ ૨ S ૩ પૂર્વાર્ધ—પુરિમઢમાં ૭ ૪ એકાસણામાં ८ ૫ એકલઠાણામાં ૭ સંકેત નવકારશીમાં સર્વસમાધિ પ્રત્યધિક આગાર હોતો નથી, બાકી બધામાં હોય છે. પરિઠાવણિયાગાર પાંચમાં હોય છે, પાંચમાં ન હોય. (૧) એકાસણુ (૨) એકલઠાણુ (૩) નીવી (૪) આયંબિલ (૫) ઉપવાસમાં હોય છે. મહત્તરાગાર બેમાં હોતા નથી—નવકારસી અને પોરસીમાં, બાકીના આઠમાં હોય છે. પ્રતીત્ય પ્રક્ષિત આગાર માત્ર નીવીમાં જ હોય છે. લેપાલેપ, ઉત્સિપ્તવિવેક, ગૃહસ્થ-સંસૃષ્ટ આ ત્રણ આગાર આયંબિલ અને નીવી આ બે પ્રત્યાખ્યાનોમાં જ હોય છે. અણાભોગ અને સહસાગાર આ બે આગાર બધા જ પ્રત્યાખ્યાનોમાં હોય છે. અંતિમ મંગલ – ઉપસંહાર–સિદ્ધ સ્તુતિ સૂત્ર(સ્તવ સ્તુતિ મંગલ સૂત્ર) = (૧) આ સૂત્રમાં પ્રથમ શબ્દ નમોત્થણં છે, આ કારણે આ સૂત્રને ‘નમોત્થણનો પાઠ’ પણ કહેવામાં આવે છે. (૨) શકેન્દ્ર આદિ ઇન્દ્ર દેવલોકમાં પણ તીર્થંકરોને તથા સિદ્ધોને આ સૂત્રથી સ્તુતિ સાથે નમસ્કાર કરે છે. આ કારણે આ સૂત્રનું નામ ‘શક્રસ્તવ’ પણ છે. (૩) આ પાઠમાં કેટલાક સ્તુતિ શબ્દ અરિહંતને માટે લાગુ પડે છે, કેટલાક શબ્દ સિદ્ધોને માટે અને કેટલાક શબ્દ બંનેને માટે છે તથા કેટલાક શબ્દ અપેક્ષાથી બંનેમાં ઘટિત કરવામાં આવે છે. (૪) આ સૂત્રના અંતમાં ઠાણું સંપાવિઉકામાણે પાઠ બોલવાથી સૂત્રોક્ત બધાં જ ગુણો તીર્થંકરોમાં ઘટિત થઈ જાય છે. ઠાણું સંપત્તાણું કહેવાથી થોડાક ગુણ સિદ્ધોમાં ઘટિત થઈ જાય છે, બાકી બધાં ગુણોને અપેક્ષાથી કલ્પિત કરીને સિદ્ધોમાં ઘટિત કરી શકાય છે. અરિહંતાણં, ભગવંતાણંથી શરૂ કરી સર્વજ્ઞ સર્વદર્શી સુધીના બધા ગુણ સ્વાભાવિક રૂપે તીર્થંકર અરિહંત ભગવંતોમાં ઘટિત થાય છે. સાર એ છે કે સિદ્ધોના ગુણ તીર્થંકરોમાં ભાવિનયની અપેક્ષા અને અરિહંતોના ગુણ તીર્થંકર સિદ્ઘોમાં ભૂતનયની અપેક્ષા અધ્યાહાર કરીને સ્વીકાર કરવામાં આવ્યા છે. સ્તુતિગત ગુણ :– ધર્મની આદિ કરવાવાળા, સ્વયં સંબુદ્ધ, પુરુષોત્તમ, ઉત્તમ સિંહ, કમળ તેમજ ગંધ હસ્તિની ઉપમાવાળા, લોકના નાથ, લોકમાં જ્ઞાન પ્રકાશ કરવાવાળા, જીવોને શરણ, બોધિ અને ધર્મ દેવાવાળા, ધર્મના ચક્રવર્તી, વીતરાગી શ્રેષ્ઠ જ્ઞાન દર્શનના ધારક, સર્વશ—સર્વદર્શી, સ્વયં તરવાવાળા અને બીજાને બોધ દઈને તારનાર, અવ્યાબાધ સુખના સ્થાનરૂપ મોક્ષ ગતિને પ્રાપ્ત કરેલ અથવા કરનાર ઇત્યાદિ. આ ગુણોનો નિર્દેશ કરવાની સાથે જ સૂત્રના પ્રારંભમાં અને અંતમાં જિનેશ્વર ભગવંતોને નમસ્કાર કરવામાં આવે છે.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy