________________
સમાધિમરણ માટે “પ્રજ્ઞાવબોધ'માં આપેલ અભુત સમજણ
૨૯૯
આત્મા નિત્ય પ્રતીત થયો તો મરણ કહો કોને મારે?
જે ઉત્પન્ન થયું તે મરશે, દેહ નહીં હું, સુવિચારે. ૫ અર્થ – સંત પુરુષો તો જન્મ મહોત્સવની જેમ મૃત્યુ મહોત્સવને પર્વ ગણે છે. કેમકે શુદ્ધના લક્ષે શુભ કાર્યો નિસ્પૃહભાવે જીવનમાં જે કરેલા હોય તે અંત વખતે તેમને અપૂર્વ સંતોષ આપે છે.
વળી જેને આત્મા અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ” મનાયો તેને મરણ કહો કેવી રીતે મારી શકે? આ દેહ ઉત્પન્ન થયો માટે એ મરશે, એનો નાશ થશે; જ્યારે હું દેહાદિ સ્વરૂપ નથી પણ અવિનાશી એવો હું આત્મા છું એમ સમ્યક વિચારણા કરવાથી સમાધિમરણના વખતે પણ ચિત્તમાં શાંતિ રહે છે. તેથી તેમને મન મૃત્યુ મહોત્સવ છે. આ મૃત્યુ મહોત્સવ તમને ઉચ્ચ પદવી આપનાર છે.
હું ચેતન અવિનાશી જુદો, દેહ વિનાશી વિષે વસતો, વગર કહ્યું વહેલે-મોડે જડ કાયયોગ દીસે ખસતો; કરોડ ઉપાય કર્યો નહિ ટકશે, કાયા અમર ન કોઈ તે ણ ૧ ,
અનંત દેહ આવા તો મૂક્યા; હું રત્નત્રયનો જ ધણી. ૬ અર્થ - તેઓ વિચારે છે કે હું ચૈતન્ય આત્મા અવિનાશી હોવા છતાં કર્માધીન આ વિનાશી એવા શરીરમાં વાસ કરીને રહેલો છું. વગર કહ્યું વહેલું કે મોડે બધાનો જડ એવો આ કાયાનો સંયોગ નાશ પામતો દેખાય છે. કરોડો ઉપાય કરવા છતાં પણ આ દેહનો સંયોગ ટકી રહે એમ નથી. કારણકે કોઈની કાયા આ જગતમાં અમર નથી. આવા અનંત દેહ ધારણ કરીને છોડ્યા છે. જ્યારે હું તો સદા તેનો તે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રનો જ ધણી આત્મા છું. દેખવું, જાણવું, સ્થિર થવું એ મારો સ્વભાવ છે. તે કોઈ કાળે નાશ પામે એમ નથી. કા.
રત્નત્રયીરૂપ ધર્મ જ દુર્લભ, દેહ જતાં પણ તે ન તજું, સંસાર-પરિભ્રમથી બચવું છે, બચાવનાર સુધર્મ ભજું; દેહ ઉપરની મમતા તર્જી, પંડિતમરણ પુરુષાર્થ કરું,
સફળ સમાધિ-મરણ સાધવા મહત્ માર્ગને અનુસરું. ૭ અર્થ :- સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રમય એ મારો ધર્મ એટલે સ્વભાવ છે. તેને દેહ છૂટી જતાં પણ તજું નહીં. કેમકે મારે ચતુર્ગતિરૂપ સંસાર પરિભ્રમણથી હવે બચવું છે. માટે પરિભ્રમણથી બચાવનાર સર્વજ્ઞના ધર્મને જ સુશરણરૂપ માની નિરંતર ભજું.
છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ એમ જાણી દેહ પ્રત્યેના મમત્વનો ત્યાગ કરું. તથા બાહ્ય તેમજ અંતરંગ પરિગ્રહનો ત્યાગ કરી પંડિત મરણ સાધવાનો પુરુષાર્થ કરું.
ગોમ્મદસારમાં પાંચ પ્રકારના મરણ કહ્યા છે. મિથ્યાવૃષ્ટિનું મરણ તે બાળબાળમરણ,