________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ કરાવેલ મુમુક્ષુઓના સમાધિમરણ
૨૩૫
વખતે એક ભાઈએ કહ્યું : “એ તો ગાંડો છે” ત્યારે પૂજ્યશ્રી બ્રહ્મચારીજી બોલ્યા : “તેવા ગાંડા કામ કાઢી જશે અને ડાહ્યા રહી જશે.”
અને ખરેખર એમ જ બન્યું કે જ્યારે જેસંગ ખેતરમાં ચાર લેવા જાય કે કંઈ કામ કરતો હોય ત્યારે પણ તેના મોઢે મંત્ર તો હોય જ. અંતે તેના મરણ વખતે પણ જ્યાં સુધી શુદ્ધિ હતી ત્યાં સુધી મંત્રનું સ્મરણ ચાલુ હતું અને મંત્ર સ્મરણ કરતાં કરતાં જ તેણે દેહત્યાગ કર્યો હતો એમ તેના માતુશ્રી કહેતા હતા.” (પૃ.૬૨)
ભાઈ વિઠ્ઠલનું મરણ નજીક જાણી પૂજ્યશ્રીએ આપેલ સ્મરણમંત્ર
“સીમરડા નિવાસ દરમ્યાન એકવાર પૂ.શ્રી બ્રહ્મચારીજી સવારના પહોરમાં એકાદ ગાઉ દૂર ખેતરમાં દિશાએ ગયા હતા. ત્યાંથી પાછા વળતાં, ખેતરમાં એક મુમુક્ષુભાઈનો છોકરો (વિઠ્ઠલ સોમો) કંઈક કામે ગયો હશે તે સામે મળ્યો. તેને પૂજ્યશ્રીએ બોલાવ્યો અને એક રાયણના ઝાડ નીચે તેને મંત્ર સ્મરણ તથા ત્રણ પાઠની આજ્ઞા આપી, અને કહ્યું કે દેહનો ભરોસો કરવા જેવો નથી.
તે છોકરો ૧૫-૨૦ દિવસ પછી ટૂંકી માંદગી ભોગવી મરી ગયો હતો.” (પૃ.૭૪)
સ,