________________
પ.પૂ.પ્રભુશ્રીજીએ કરાવેલ અનેક મુમુક્ષુઓના સમાધિમરણ
૧૪૫
પ.પૂ.પ્રભુશ્રીજીએ મુનિશ્રી મોહનલાલજી મહારાજનું કરાવેલ સમાધિમરણ અને તેમની અંતર આત્મદશાનું કરેલ આલેખન
‘સં. ૧૯૮૮ના ભાદ્રપદ માસમાં મુનિદેવ શ્રી મોહનલાલજીને મરણાંત વ્યાધિનો ઉદય આવ્યો. પ.પૂ.પ્રભુશ્રી વખતોવખત તેમની પાસે જતા અને અપૂર્વ જાગૃતિ આવે તેવો બોધ વરસાવતા. તેમને વેદની અત્યંત હતી છતાં બોધના અંતરપરિણમનથી અંતરમાં શાંતિનું વેદન હતું.”
મુનિશ્રીની દશા ઓર થઈ, દેહ ટકે તો ઘણાને અદ્ભુત લાભ થાય
“પ.પૂ.પ્રભુશ્રીએ એક દિવસ તેમને જાગૃતિ આપીને બહાર આવી કહ્યું કે આજે મુનિની અંતરદશા કોઈ ઓર થઈ છે. હવે જો તેમનું જીવન ટકે તો ઘણા જીવોને તેમનાથી અદ્ભુત લાભ થાય તેમ થયું છે. ત્યાર પછી આઠ દિવસે એટલે ભાદ્રપદ સુદ ૬ના રોજ તેઓશ્રી સમાધિસ્થ થયા.”
“મુનિદેવ શ્રી મોહનલાલજીની સરળતા સહિત પ્રજ્ઞા પ્રશસ્ય હતી. મુમુક્ષુઓને આત્મશ્રેય સન્મુખ કરવા તેમણે લખેલા પત્રોમાંથી નીચેનો એક પત્ર પ્રભુશ્રીએ કેટલાક મુમુક્ષુઓને મુખપાઠે કરી વિચારવા ભલામણ કરી હતી.’’ (ઉ.પૃ.[૭૨]) તે પત્ર આ પ્રમાણે છે :—