________________
બૃહદ્ આલોચના
૩૩ ગાંસડીમાં બંધાયેલ હોય તો તે પ્રકાશ બહાર આવી શકતો નથી. જાજ્વલ્યમાન સૂર્ય હોવા છતાં ઘોર વાદળોની ઘટાઓમાં છૂપાઈ જવાથી સંપૂર્ણ પ્રકાશ આપી શકતો નથી. તેમજ પ્રચંડ શક્તિનો ઘારી સિંહ પાંજરામાં પૂરાયેલો હોય તો તેનું કંઈ જોર ચાલી શકતું નથી; તેમ પોતાનો આત્મા અનંતજ્ઞાન, દર્શન, સુખવીર્યનો સ્વામી હોવા છતાં મોહને આધીન થઈ જવાથી તેનું પણ કાંઈ જોર ચાલતું નથી, અને નવા કર્મ બાંધી ચારગતિરૂપ સંસારમાં જ રઝળ્યા કરે છે. IIટા
કર્મવશાત્ અજ્ઞાની જીવનું ચિત્તભ્રમ જેવું વર્તન
ન્યું બંદર મદિરા પિયા, વિછુ ડંકિત ગાત;
ભૂત લગ્યો કૌતુક કરે, કમકા ઉત્પાત. ૯ અર્થ :- વાંદરો જાતે ચંચળ હોય છે અને વળી તેને દારૂ પાવામાં આવે તો વિશેષ ચંચળ થાય છે. તથા વીંછી ડંખ મારવાથી માણસના ગાત એટલે ગાત્ર ઢીલા પડી જાય છે, તેમજ કોઈને ભૂત વળગ્યો હોય તો તે વિશેષ કૌતુક કરવા લાગે છે.
તેમ કર્મવશાતુ અજ્ઞાની જીવ અનેક પ્રકારના મોહમાં પડી, ચિત્તભ્રમ થયેલાની જેમ વર્યા કરે છે અને નહીં કરવાયોગ્ય એવું વર્તન કરી અનંત સંસાર વઘારે છે. Iો.
કર્મમળ નાશ પામવાથી જીવ સિદ્ધસ્વરૂપ કર્મ સંગ જીવ મૂઢ છે, પાવે નાના રૂપ;
કર્મ રૂપ મલકે ટલે, ચેતન સિદ્ધ સરૂપ. ૧૦ અર્થ :- અનાદિકાળથી કર્મના સંગે જીવ મૂઢ બનેલ છે. કર્મના ઉદયમાં રાગદ્વેષ કરી ચારે ગતિઓમાં અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે. પણ સદ્ગુરુના બોઘે વસ્તુના સ્વરૂપને જાણી સમ્યગ્દર્શન પ્રગટાવીને
જ્યારે અનંતાનુબંધી કષાય સાથે મિથ્યાત્વરૂપી કર્મમળને જીવ ટાળે છે ત્યારે આગળ વઘી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી આત્માના સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપને તે પામી જાય છે. ll૧ળા
બૃહદ્ આલોચના તપ સંયમવડે આત્માની જ્ઞાનજ્યોતિમાં વૃદ્ધિ શુદ્ધ ચેતન ઉજ્જવલ દરવ, રહ્યો કર્મમલ છાય;
તપ સંયમસેં ઘોવતાં, જ્ઞાનજ્યોતિ બઢ જાય. ૧૧ અર્થ :- નિશ્ચયનયથી જોતાં પોતાનો આત્મા સ્ફટિકરત્નની જેમ શુદ્ધ ચૈતન્યમય ઉજ્વલ દ્રવ્ય છે. પણ અનાદિકાળથી તે કર્મરૂપી મળથી ઢંકાયેલો છે. તે કર્મમળને, ઇચ્છાઓના નિરોઘ કરવારૂપ તપથી કે ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ વડે ઘોવાથી આત્માની જ્ઞાનમય જ્યોતિ વૃદ્ધિ પામે છે. |૧૧|| સમ્યજ્ઞાનદર્શનચારિત્ર અને તપ વડે કર્મોની બળવાન નિર્જરા
જ્ઞાન થકી જાને સકલ, દર્શન શ્રદ્ધા રૂ૫;
ચારિત્રથી આવત કે, તપસ્યા ક્ષપન સરૂપ. ૧૨ અર્થ :- જ્ઞાન એટલે જાણવું. જ્ઞાન એ આત્માનો મુખ્ય ગુણ છે. તેના પાંચ ભેદ છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન. જ્ઞાનની નિર્મળતા થતાં ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી જગતના સર્વ પદાથોને જીવ જાણી શકે છે.
દર્શન એટલે શ્રદ્ધા. શ્રદ્ધા પણ આત્માનો ગુણ છે. તે સર્વ જીવોમાં હોય છે. પણ તે શ્રદ્ધા મિથ્યાદર્શનરૂપે પરિણમેલી છે. સદગુરુના બોઘે તેને સભ્યશ્રદ્ધાનરૂપે પરિણાવી આત્માનું હિત કરી શકાય છે.
ચારિત્ર એટલે સમ્યવર્તન. તે બે પ્રકારે છે. વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય ચારિત્ર. શ્રાવકના બાર વ્રતો કે મુનિના પાંચ મહાવ્રતો તથા પાંચ સમિતિ અને ત્રણ ગુતિ વગેરેનું પાલન કરવું તે વ્યવહાર ચારિત્ર છે. તથા આત્મામાં રમણતા કરવી તે નિશ્ચય ચારિત્ર છે. સમ્યક્ષ્યારિત્રના પાલનવડે આવતાં કર્મો રોકી શકાય છે. તે સંવર કહેવાય છે.
તથા તપસ્યા તે આત્માની પાસે રહેવા માટે ક્ષપન એટલે કર્મોની નિર્જરા સ્વરૂપ છે. તે તપઃ–ઉપવાસ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ એટલે ખાવાપીવામાં જતી વૃત્તિને રોકવી, રસપરિત્યાગ એટલે ઘી, દૂધ આદિ રસનો ત્યાગ, કાયક્લેશ એટલે સહનશીલતા વધારવા કાયાને કષ્ટ