SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ આલોચના ૩૧ પ્રથમ પદાર્થનું દર્શન માત્ર થાય છે. પછી જ્ઞાન ગુણવડે તે પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ સમજાય છે. તેને જ્ઞાનચેતના અને દર્શનચેતના પણ કહે છે. આત્માનો મુખ્ય જ્ઞાનગુણ છે. એમ કહેતાં તેમાં દર્શનગુણ સમાયેલો છે, કેમકે દર્શન વિના જ્ઞાન હોતું નથી. એમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવવડે આત્મદ્રવ્યની ઓળખાણ કરીને આત્માની શ્રદ્ધા કરો. તે પોતે જ છે. માટે તેને જાણી, શ્રદ્ધી, અનુભવીને સંસારના જન્મ, જરા, મરણથી સર્વકાળને માટે આત્માને મુક્ત કરો. એ વિષે ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં હાથનોંધ પૃ.૭૯૪ ઉપર જણાવ્યું છે કે ઃ છું. આત્મસાધન “દ્રવ્ય– હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્ર– અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણ છું. કાળ— અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામી સમયાત્મક ભાવ— શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું.” ॥૪॥ દેહ દેવલમાં રહેળ આત્મારૂપ ભગવાનને ઓળખો ગર્ભિત પુદ્ગલપિંડમેં, અલખ અમૂરતિ દેવ; ફિરે સહજ ભવચક્રમેં, યહ અનાદિકી ટેવ. ૫ અર્થ :– પુદ્ગલ પરમાણુઓના બનેલા આ પિંડ એટલે શરીરમાં આ જીવ ગર્ભિતપણે અર્થાત્ સહેજે ખ્યાલમાં ન આવે તેમ રહેલ છે. કેમકે તે અમૂર્તિક અર્થાત્ અરૂપી દ્રવ્ય છે. ચર્મચક્ષુવડે તે દૃષ્ટિગોચર થાય તેમ નથી. તેથી તેને અલખ એટલે સહેજે લક્ષમાં ન આવે તેમ કહ્યો. તેમજ દેવ એટલે નિશ્ચયનયે જોતાં તે જ આત્મા ભગવાન સ્વરૂપ છે. પણ કર્મને આધીન તે નવા દેહ ધારણ કરી, ફરી પરપદાર્થમાં રાગદ્વેષના ભાવો કરીને આ ચતુર્ગતિરૂપ સંસારચક્રમાં ફર્યા કરે છે. એવી આ ટેવ અનાદિકાળથી પડી ગયેલી હોવાથી ભવભ્રમણ તેને સહજ થઈ ગયું છે. પા ૩ર બૃહદ્ આલોચના મમતાભાવથી કર્મ સાથે બંઘાએલ આત્મા ફૂલ અત્તર, ઘી દૂધમેં, તિલમેં તૈલ છિપાય; યું ચેતન જડ કરમ સંગ, બંઘ્યો મમતા પાય. ૬ અર્થ :– જેમ ફૂલમાં અત્તર, દૂધમાં ઘી તથા તલમાં તેલ છૂપાયેલ છે તેમ ચૈતન્ય લક્ષણે યુક્ત એવો આત્મા જડ એવા કર્મની સાથે એક ક્ષેત્રાવગાહ સંબંધે બંધાયેલ છે. તેનું કારણ જીવનો ૫૨૫દાર્થ પ્રત્યેનો અહંભાવ, મમત્વભાવ છે. “મમતાથી વંધાય છે, નિર્મમ નીવ મુ ાય; યા તે ગા પ્રયત્નસ, નિર્મમ વરો ઉપાય.’' -ઇટોપદેશ સત્પુરુષના બોઘના આધારે આત્મભાવનો પુરુષાર્થ કરીને અહંભાવ મમત્વભાવ ઘટાડી પોતાની સાથે બંધાયેલ કાર્યણવર્ગણાઓને જીવ ખેરવી શકે છે. IIII પરને પોતાનું માનવાથી પ્રતિદિન કર્મમાં વૃદ્ધિ જો જો પુદ્ગલકી દશા, તે નિજ માને હંસ; યા હી ભરમ વિભાવનેં, બઢે કરમકો વંશ. ૭ અર્થ :— આ સંસારમાં જે કંઈ પણ દૃષ્ટિગોચર થાય છે તે સર્વ પુદ્ ગલ પરમાણુની દશા છે, અર્થાત્ તેના પર્યાય છે. તે સર્વ પુદ્ગલ પરમાણુઓના જ સ્કંધ છે. દેહ પણ પુદ્ગલ પરમાણુઓનો બનેલ છે. તે દેહને આ હંસ એટલે જીવ પોતાનો માને છે. એ જ તેનો ભ્રમ છે. તેને વિભાવ કહેવામાં આવે છે. એમ જીવ પોતાના સ્વભાવને ભૂલી જઈ દેહ કુટુંબાદિમાં અહંભાવ મમત્વભાવ કરવાથી કર્મનો વંશ અર્થાત્ કર્મની પરંપરા દિન પ્રતિદિન વધારતો જાય છે; પણ તેનું તેને ભાન નથી. II|| અનંત શક્તિમાન એવો આત્મા, મોહને આધીન રતન બંથ્યો ગઠડી વિષે, સૂર્ય છિપ્યો ઘનમાંહિ; સિંહ પિંજરામેં દિયો, જોર ચલે કછુ નાંહિ. ૮ અર્થ :– પ્રકાશમાન રત્ન હોવા છતાં જો તે ગઠડી એટલે કપડાની
SR No.009110
Book TitleAlochana
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Rajchandra
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy