SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ આસક્તિ કેટલી ઓછી હશે? અમસ્તા કંઈ એક દીવસમાં શીલવતમાં દઢ થઈ ગયા હશે ? - અભિગ્રહ ધારણ કરીને કોશાને ત્યાં ચોમાસુ રહ્યાં છે. રહેવાનું વેશ્યાની ચિત્રશાળામાં તે પણ ષટ્રસ ભોજન લઈને, સંપુર્ણ એકાંતમાં તેને ત્યાં ચાતુર્માસ પૂર્ણ કરવાનું, છતાં બ્રહ્મચર્ય પાલન કરવાપૂર્વક કોશાને પ્રતિબંધ કરીને આવવું? કેવી ઘેર બ્રહ્મચર્યની સાધના કરી હશે પૂ કેશા નિત નવા પ્રયત્ન કરે છે સ્થૂલભદ્રને ચલાયમાન કરવા માટે. વેશ જોઈ સ્વામી આપને, લાગે તનડામાં લાયજી છેજેગ રે સ્વામી અહીં નહીં રહે. - S*= કેશાને પ્રેમ છે-અનુરાગ છે–કામ વિહળતા છે. બધું જ ચરણે છાવર કરવાની તૈયારી છે. પૂર્વને ગાઢ સ્નેહ છે. એકાંત છે. છતાં મહામાં સ્થૂલભદ્ર અચલ–અડોલ રહ્યા અને કોશા વેશ્યાને શ્રાવિકા બનાવીને આવ્યા તે દુષ્કર દુષ્કર કારનું બિરૂદ પામ્યા. શીલરૂપી અમૂલ્ય ઘરેણું ધારણ કરનાર એવા બીજા સતિ સુભદ્રાનું પણ રોજ સ્મરણ કરો છો ને? સવારે ભરફેસર સઝાયમાં 13 : કપટપૂર્વક શ્રાવક બનીને સુભદ્રા સાથે બુદ્ધદાસ વણિકે લગ્ન કર્યા. બૌદ્ધ સાસરીમાં સુભદ્રાને ઘણી સતામણ થઈ રહી છે. છતાં અવિચલ મુનિભક્તિવાળી સુભદ્રાને જોઈને તે સાધુ પર સ્નેહવાળી છે તેવો આરોપ લગાડે છે. એવામાં એક વખત ગેચરી પધારેલા મુનિરાજની આંખમાં તણખલું પડેલું જોયું તેણે પોતાની જીભ વડે તણખલું તે ખેંચી કાઢયું પણ તેની સાસુએ આળ ચઢાવી દીધું કે જુઓ જુઓ આ સ્ત્રી દુરાચારણ છે. - સુભદ્રાએ કલંક મીટાવવા શાસન દેવીની આરાધના કરી. નગરના દરવાજા બંધ થઈ ગયા. આકાશવાણી થઈ કે જે કોઈ મહાસતી સ્ત્રી કાચા સુતરના તાંતણાની ચારણી વડે કુવામાંથી પાણી લઈ છાંટશે તેના હાથે જ આ ચંપાનગરીના દરવાજા ઉઘડશે. ગામમાં કેટલીક સ્ત્રીઓ પ્રયત્ન કરી ચૂકી પછી સુભદ્રા બોલી કે મને પણ જવા દે. દરવાજા પાસે જઈ સુભદ્રા બેલી કે આજ પર્યત
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy