________________
(૬૫) ભાવના–આશ્રવ
–રોકે ઝટ આ કર્મ કચરાને
यावकिचिदिवानुभूय तरसा कह निर्जीयते तावच्चाश्रव शत्रवोऽनु समय सिंचंति भूयोऽपिततू हा कष्ट कथमाश्रय प्रतिभटाः शक्या निराध्धु मया
संसारादति भीषणान्मम हहा मुक्तिः कथंभाविनी અહો ! હજી કંઈક કર્મ જ્યાં ભગવાઈને નિર્જરી રહ્યા છે ત્યાં તે આશ્રવરૂપ શત્રુ સમયે સમયે નવા કર્મો સિંચા કરે છે.
અરે આ આશ્રવરૂપી શત્રુઓને હું કેવી રીતે જીતી શકીશ? મારો આ સંસારમાંથી મેક્ષ કેવી રીતે થશે?
મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજા શાંત સુધારસમાં આશ્રય ભાવનાને વર્ણવતા આશ્રવ તત્વની ભયાનક્તા આ શ્લોકમાં દર્શાવે છે. આ રીતે વધતા જતા કર્મોમાંથી મારો મિક્ષ કયારે થશે?
ભાવધર્મની આધાર શિલા રૂપ બાર ભાવના ભાવવાને મુખ્ય હેતુ જ સંવર એટલે કે માત્ર નિધિ છે.
આશ્રવ એટલે શું ?
જેમ લેહચુંબકમાં ચુંબકીય શક્તિ છે. તે નજીકમાં રહેલા લેખંડના ટુકડાને ખેંચે છે. ખેંચીને પિતાની સાથે જોડી દે છે. તે રીતે આત્મામાં રાગ દ્વેષ કે મેહ મમત્વ રૂપ ચુંબકત્વ પડેલું છે. જીવ અજ્ઞાનાધીન થઈ ચૌદ રાજલકમાં સર્વત્ર રહેલ કામણ વર્ગણાનાં પુદગલ પરમાણુના જથ્થાને ખેંચે છે. જે પુદગલ પરમાણુઓ આમાની સાથે ખેંચાઈને આવે છે તે આગમનની પ્રક્રિયાને–આવવાના માર્ગને આશ્રવ કહે છે. સિદ્ધ ભગવંતે રાગદ્વેષથી મુક્ત છે માટે સિદ્ધ શિલા પર કાર્મણ વર્ગણા આકર્ષાતી નથી.
શ્રવવું ને અર્થ છે ઉતરવું. મા + શ ચારે તરફથી કર્મોનું