SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ કુગડુ મુનિ ભલે નવકારશી કરતા. પણ તપની અનુમેદના અને પોતે ન કરી શકવાના પસ્તાવાના ભાવ તેને ભાત ખાતાં ખાતાં પણ કેવળજ્ઞાન અપાવતા ગયા. એક હસ્તપ્રતનું પાનું ખાલાપુરના ભંડારમાંથી હાથમાં આવેલ તે તપ ચિતવણી કાઉસ્સગ્ગ માટે ઘણુ· ચેાગ્ય લાગ્યુ. હે જીવ! પ્રભુ મહાવીરે છ માસના તપ કર્યા એ પ્રમાણે જે તપ કરે છે તેને ધન્ય છે. છ માસથી એક દિવસ આઠે તપ કરે છે તેને ધન્ય છે. બે દિવસ એ તપ કરે તેને ધન્ય છે. એ રીતે ક્રમશઃ ઘટતાં... ... છેલ્લે ચિ‘તવે કે નવકારશી તપ કરે છે તેને ધન્ય છે. આ પ્રમાણે ભગવતે પ્રરૂપેલા તપધની અનુમાઇના કરતા પોતે જે પચ્ચક્ખાણુ કરવુ હોય તે મનમાં ધારી કાઉસ્સગ્ગ પારે. ભાવથી ભાવ—જરા વિચિત્ર લાગશે આ વાકય. ” ભાવથી ભાવ ” એ શું વળી ? ૨૬ ૦ જેમ કપિલાદાસીએ દીધેલું દાન તે દ્રવ્યદાન પણ રેવતીએ દીધેલ તે ભાવપૂર્વકનું દાન. ૦ ચક્રવતી ના ધાડા શીલ પાળે તે દ્રવ્યશીલ-પણ ગુણસાગર શ્રેષ્ઠીનું ભાવશીલ. ૦ લક્ષ્મણા આર્યોનુ' પચાસ વર્ષીનુ' તપ તે દ્રવ્ય-તપ-ઢંઢણકુમારનુ‘ ભાવ તપ કેવલ આપી ગયું. O તે રીતે ભાવપૂર્વક ભાવ.......... निच्चुनो तंबोल पासेण विणा न होइ जह रंगो तह दाणशील तव भावणाउ अहलाउ सव्व मावं विणे જેમ ચુનાના પાસ વિના પાનમાં રંગ આવતા નથી તેમ ભાવ વિનાના દાન—શીલ—તપ-ભાવ પણ નિષ્ફળ છે. અહી' ભાવ ને ઉત્તમ મનારથના અમાં લીધેા. ભાવથી (ભાવ) ઉત્તમ મનેરથના વિચાર કરેા. કપિલ કેવલીનું દૃષ્ટાંત કેટલુ સરસ છે. માત્ર બે માસા સુવણુ માટે નીકળેલા પરંતુ રાજાએ છુટ આપી તે એ માસામાંથી વધતા વધતા રાજાનુ` રાજ માગવા સુધી પહેોંચી ગયેા. ત્યાં સુધીના ભાવ તે દ્રવ્ય ભાવ હતા. પણ એકાએક વિચારધારા બદલાતા ભાવ ધારા ચઢવા લાગી ધ્યાનાગ્નિ પ્રજ્વલીત થયા તેના
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy