________________
२०६
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
अतोमुहुत्तमेत्तं चितावत्थाणमेंग वत्थुमि
छउमत्थाण झाण जोग निराहा जिणाग तु એક વસ્તુમાં અંતમુહૂર્ત મનને સ્થિર રાખવું તે છક્રમનું ધ્યાન છે. એટલે કે આત્મા જ્યાં સુધી કૈવલ્ય અવસ્થા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એક વસ્તુ પરત્વે અંતમુહર્ત ચાને બે ઘડી કે કંઈક ન્યુના ૪૮ મિનિટ સુધી જ મન સ્થિર થાય છે. તેથી વધુ સંભવે જ નહીં.
પછી શ્વાસોશ્વાસ બંધ કરવા તે પણ ધ્યાન નથી અને કલાક કે મહિના સુધી લંબાય તે પણ ધ્યાન નથી.
અને જિન એટલે કે કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય તેઓને ભાવ મનને નાશ થાય છે. તેથી તેઓને મન સંબંધિ ધ્યાન નથી પણ યોગના નિરોધરૂપ ધ્યાન છે.
ધ્યાનના મુખ્ય ચાર પ્રકાર જણાવ્યા છે.
તત્વાર્થ સૂત્રના નવમા અધ્યાયમાં ૨૯મું સૂત્ર ના રૌદ્ર ધર્મ સુવાનિ આ રૌદ્ર, ધર્મ, શુકલ - ક ક ધ સુ શાળવું તથ 'તારૂં
निव्वाण साहणाइ भवकारणमट्ट रुदाई આ રીદ-ધર્મ–શુકલ ચાર પ્રકારે ધ્યાન છે. તેમાં છેલ્લા બે નિર્વાણના સાધન છે. જ્યારે આર્તા, રૌદ્ર ભાવવૃદ્ધિના કારણરૂપ છે.
આર્સ – ર્તિ એટલે પીડા કે દુઃખ જેમાંથી ઉદભવે તે આd. જે દયાનમાં રૂદન-દીનતા-આકંદન વગેરે રહેલા છે.
આ દુઃખ ઉત્પતિના મુખ્ય ચાર કારણે શાસ્ત્રકાર મહર્ષિ જણાવે છે.
(૨) ફુદ વિચારા - પ્રિય વસ્તુ કે વ્યક્તિને વિગ જ્યારે થાય ત્યારે તેને મેળવવાની ચિંતા રૂપે જે ધ્યાન થાય તે ઈષ્ટના વિયોગરૂપ આર્તધ્યાન કહેવાય છે.
(૨) શનિદg T – અપ્રિય કે અનિષ્ટ વસ્તુ અથવા વ્યક્તિને સંગ થયું હોય ત્યારે તેના વિયેગની એટલે કે તે વ્યક્તિ કે સ્થિતિથી છુટા પડવાની ચિંતા થવી તે.
(૩) રેન નિત્તા :- શારીરિક-માનસિક પીડા કે વેદના થાય ત્યારે તે રોગ દૂર કરવા માટેની ચિંતા થાય છે, તે રેગ રિાતા રૂપ આર્તધ્યાન છે.